AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માનહાનિ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, સંજયલીલા ભણસાલી સહિત આ સ્ટાર્સને મળી રાહત

સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં મુખ્ય ભૂમિકા માટે આલિયા ભટ્ટને (Alia Bhatt) કાસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ લાઈમલાઈટમાં આવ્યા બાદ આ તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Mumbai : 'ગંગુબાઈ કાઠિયાવાડી' માનહાનિ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, સંજયલીલા ભણસાલી સહિત આ સ્ટાર્સને મળી રાહત
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 5:39 PM
Share

Bombay High Court : ફિલ્મોને લઈને વિવાદોમાં રહેતા બોલિવૂડના એવા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીને (Sanjay Leela Bhansali) આખરે રાહત મળી છે. તમને જણાવી દઈએ કે, તેમની મોટાભાગની ફિલ્મો વિવાદમાં રહેતી જોવા મળે છે. આ વખતે તેની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મને લઈને વિવાદ ઉભો થયો હતો. તેમની આ ફિલ્મ પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે હાલ આ મામલે સ્ટે મૂકીને આ ફિલ્મ સાથે જોડાયેલા સ્ટાર્સને મોટી રાહત આપી છે.

આ સ્ટાર્સને મળી મોટી રાહત

સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં મુખ્ય ભૂમિકા માટે આલિયા ભટ્ટને (Alia Bhatt) કાસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ લાઈમલાઈટમાં આવ્યા બાદ આ તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે બોમ્બે હાઈકોર્ટે આ કેસ પર સ્ટે મુકી દીધો છે. તમને જણાવી દઈએ કે, કોર્ટના આ નિર્ણયથી નિર્દેશક સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટને મોટી રાહત મળી છે.

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મને લઈને વિવાદ

આ ફિલ્મની સ્ટોરી વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે હુસૈન જૈદીની નવલકથા ‘ધ માફિયા ક્વીન ઑફ મુંબઈ’ના એક પ્રકરણ પર આધારિત છે. પોતાને ગંગુબાઈના દત્તક પુત્ર તરીકે ગણાવતા બાબુજી શાહનું કહેવુ છે કે ફિલ્મના ઘણા ભાગોમાં ગંગુબાઈ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે તેઓએ ફિલ્મના રિલીઝ થવા પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી.

આલિયા ભટ્ટ ઉપરાંત અજય દેવગન પણ લીડ રોલમાં જોવા મળશે

ગંગુબાઈ કાઠિયાવાડીએ મુંબઈની કોઠાવાળીની સ્ટોરી પર આધારિત ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે. જેનો ગુના સાથે ઊંડો સંબંધ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. તેના સિવાય અજય દેવગણ (Ajay Devgan), વિજય રાજ ​​અને શાંતનુ મહેશ પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 18 ફેબ્રુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : કોરોનાની દહેશત : બોલિવુડ બાદ ટેલીવિઝન સ્ટાર પણ કોરોનાની ઝપેટમાં ! આ પોપ્યુલર એક્ટર થયો કોરોના સંક્રમિત

આ પણ વાંચો : Mumbai : બોલિવુડ ક્વીન પહોંચી ખાર પોલીસ સ્ટેશન, શીખ સમુદાય પરના વિવાદિત નિવેદનને કારણે કંગનાની વધી મુશ્કેલી

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">