AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માનહાનિ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, સંજયલીલા ભણસાલી સહિત આ સ્ટાર્સને મળી રાહત

સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં મુખ્ય ભૂમિકા માટે આલિયા ભટ્ટને (Alia Bhatt) કાસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ લાઈમલાઈટમાં આવ્યા બાદ આ તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Mumbai : 'ગંગુબાઈ કાઠિયાવાડી' માનહાનિ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, સંજયલીલા ભણસાલી સહિત આ સ્ટાર્સને મળી રાહત
Alia bhatt and Sanjay leela bhansali
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 5:39 PM
Share

Bombay High Court : ફિલ્મોને લઈને વિવાદોમાં રહેતા બોલિવૂડના એવા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીને (Sanjay Leela Bhansali) આખરે રાહત મળી છે. તમને જણાવી દઈએ કે, તેમની મોટાભાગની ફિલ્મો વિવાદમાં રહેતી જોવા મળે છે. આ વખતે તેની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મને લઈને વિવાદ ઉભો થયો હતો. તેમની આ ફિલ્મ પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે હાલ આ મામલે સ્ટે મૂકીને આ ફિલ્મ સાથે જોડાયેલા સ્ટાર્સને મોટી રાહત આપી છે.

આ સ્ટાર્સને મળી મોટી રાહત

સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં મુખ્ય ભૂમિકા માટે આલિયા ભટ્ટને (Alia Bhatt) કાસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ લાઈમલાઈટમાં આવ્યા બાદ આ તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે બોમ્બે હાઈકોર્ટે આ કેસ પર સ્ટે મુકી દીધો છે. તમને જણાવી દઈએ કે, કોર્ટના આ નિર્ણયથી નિર્દેશક સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટને મોટી રાહત મળી છે.

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મને લઈને વિવાદ

આ ફિલ્મની સ્ટોરી વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે હુસૈન જૈદીની નવલકથા ‘ધ માફિયા ક્વીન ઑફ મુંબઈ’ના એક પ્રકરણ પર આધારિત છે. પોતાને ગંગુબાઈના દત્તક પુત્ર તરીકે ગણાવતા બાબુજી શાહનું કહેવુ છે કે ફિલ્મના ઘણા ભાગોમાં ગંગુબાઈ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે તેઓએ ફિલ્મના રિલીઝ થવા પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી.

આલિયા ભટ્ટ ઉપરાંત અજય દેવગન પણ લીડ રોલમાં જોવા મળશે

ગંગુબાઈ કાઠિયાવાડીએ મુંબઈની કોઠાવાળીની સ્ટોરી પર આધારિત ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે. જેનો ગુના સાથે ઊંડો સંબંધ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. તેના સિવાય અજય દેવગણ (Ajay Devgan), વિજય રાજ ​​અને શાંતનુ મહેશ પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 18 ફેબ્રુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : કોરોનાની દહેશત : બોલિવુડ બાદ ટેલીવિઝન સ્ટાર પણ કોરોનાની ઝપેટમાં ! આ પોપ્યુલર એક્ટર થયો કોરોના સંક્રમિત

આ પણ વાંચો : Mumbai : બોલિવુડ ક્વીન પહોંચી ખાર પોલીસ સ્ટેશન, શીખ સમુદાય પરના વિવાદિત નિવેદનને કારણે કંગનાની વધી મુશ્કેલી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">