Akshay Kumarની ‘સૂર્યવંશી’ને 100 ટકા સ્ક્રીન સાથે રિલીઝ કરવાની છે યોજના, શું સલમાનની ફિલ્મ ‘અંતિમ’ થશે પોસ્ટપોન?

ફિલ્મ 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ' (Antim: The Final Truth) મરાઠી ફિલ્મ 'મુલશી પેટર્ન'ની રિમેક છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી 'મુલશી પેટર્ન' પ્રવીણ તરડે દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી.

Akshay Kumarની 'સૂર્યવંશી'ને 100 ટકા સ્ક્રીન સાથે રિલીઝ કરવાની છે યોજના, શું સલમાનની ફિલ્મ 'અંતિમ' થશે પોસ્ટપોન?
Sooryavanshi, Antim
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 6:28 PM

કોવિડને કારણે લાંબા સમયથી થિયેટરો બંધ હતા, પરંતુ હવે આખરે થિયેટરો ફરી ખોલવાનું શરૂ થયું છે. મહારાષ્ટ્ર સરકારે પણ આખરે થિયેટરો ખોલવાની પરવાનગી આપી દીધી છે. આ પરવાનગી પછી ફિલ્મની રિલીઝ તારીખ પણ એક પછી એક જાહેર કરવામાં આવી છે, આ યાદીમાં અક્ષય કુમાર (Akshay Kumar) અભિનીત સૂર્યવંશી (sooryavanshi) પણ છે.

અક્ષય અને કેટરિના કૈફ (Katrina Kaif) સ્ટારર સૂર્યવંશી 2020માં લોકડાઉનને કારણે થિયેટરોમાં રિલીઝ થઈ શકી નથી. દિવાળી નિમિત્તે આ ફિલ્મ રજૂ કરવામાં આવશે. આવી સ્થિતિમાં સૂર્યવંશી ફિલ્મ (sooryavanshi Film) સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ અંતિમ (Antim)નો સામનો કરવા જઈ રહી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

સૂર્યવંશીને મળશે 100% સ્ક્રિનિંગ?

એક અંગ્રેજી અખબારના સમાચાર અનુસાર અક્ષય કુમાર અભિનીત ‘સૂર્યવંશી’ના નિર્માતાઓએ થિયેટર માલિકોને ફોન કરવાનું શરૂ કરી દીધું છે કે તેમની ફિલ્મ અન્ય કોઈ ફિલ્મ સાથે સ્ક્રીન શેર નહીં કરે. એટલે કે મેકર્સ થિયેટરોમાં 100% સ્ક્રીનિંગ ઈચ્છે છે.

નિર્માતાઓ ફિલ્મ માટે 100 ટકા સ્ક્રીનિંગ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સમાચાર આવી રહ્યા છે કે તેના કારણે સલમાન ખાન-વરુણ ધવન-આયુષ શર્મા સ્ટારર ‘અંતિમ’ અને અંગ્રેજી ફિલ્મ માર્વલની ‘ઈટર્નલ’ને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે થિયેટરોના માલિકો પણ સૂર્યવંશી પર ધ્યાન આપી રહ્યા છે.

તે સ્પષ્ટ છે કે અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ સૂર્યવંશીને જ ફાયદો થવાનો છે. આ સમાચારથી સ્પષ્ટ છે કે ફિલ્મના નિર્માતાઓ રિલીઝ દરમિયાન આ ફિલ્મને સંપૂર્ણ 100 ટકા સ્ક્રીન સાથે રિલીઝ કરવા માંગે છે. જો આવું થાય તો સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ પોસ્ટપોન થઈ શકે છે. જો ખરેખર સૂર્યવંશી 100% સ્કીનિંગ મેળવે અથવા તેની નજીક પણ જાય તો અંતિમના નિર્માતાઓ પાસે ફિલ્મની રિલીઝ આગળ વધારવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.

સૂર્યવંશી સાથે ક્લેશ પર બોલ્યા મહેશ

નવેમ્બરમાં રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’ સાથે ‘અંતિમ’ બોક્સ ઓફિસ પર રજૂ થશે. આવી સ્થિતિમાં ફિલ્મની ટક્કર વિશે વાત કરતી વખતે અંતિમના નિર્દેશક મહેશ માંજરેકરે (Mahesh Manjrekar) કહ્યું છે કે અંતિમ નવેમ્બરમાં રિલીઝ થઈ રહી છે, પરંતુ અમારે હજી તારીખ નક્કી કરવાની છે. ભૂતકાળમાં બે મોટી ફિલ્મો સ્ક્રીન પર ઘણી વખત અથડાઈ હતી. ફિલ્મો દ્વારા ઘણું બધું દાવ પર લાગ્યું છે અને ભૂતકાળમાં એવા કિસ્સાઓ છે, જ્યારે બે ફિલ્મો એક જ રિલીઝ ડેટ પર ટકરાઈ હતી અને છતાં બંનેએ સારું પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો :- Bigg Boss 14 ફેમ નિક્કી તંબોલીએ કાળી સાડીમાં મચાવ્યો કહેર, બોલ્ડ લુકના ચાહકો થયા દિવાના

આ પણ વાંચો :- Expensive: પૂજા હેગડેએ પહેર્યું હતું થાઈ-સ્લિટ રફલ્ડ ગાઉન, નહીં આંકી શકો તમે તેની કિંમત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">