Akshay Kumarની માતાની તબિયત નાજુક, અભિનેતાએ પોસ્ટ કરીને કહ્યું તમારી પ્રાર્થનાની છે જરૂર

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) ની માતાની તબિયત ઘણી ગંભીર છે. તેઓ પોતાની આગામી ફિલ્મ 'સિન્ડ્રેલા'નું શૂટિંગ અધવચ્ચે છોડીને સોમવારે ભારત પરત ફર્યા છે.

Akshay Kumarની માતાની તબિયત નાજુક, અભિનેતાએ પોસ્ટ કરીને કહ્યું તમારી પ્રાર્થનાની છે જરૂર
Akshay Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 9:55 PM

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) ની માતાની હાલત ઘણી ગંભીર છે. અક્ષયની માતા અરુણા ભાટિયા હાલમાં મુંબઈની હિરાનંદાની હોસ્પિટલમાં ICU માં દાખલ છે. અક્ષયના પરિવાર માટે આ સમય ઘણો મુશ્કેલ છે. માતાની તબિયત બગડ્યા બાદ અક્ષય સોમવારે સવારે લંડનથી મુંબઈ પરત ફર્યા હતા. હવે પોસ્ટ શેર કરીને ચાહકોએ પ્રાર્થના કરવાનું કહ્યું છે.

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું- મારી માતાના સ્વાસ્થ્ય માટે તમારી ચિંતા જોઈને મારી પાસે શબ્દો નથી. મારા અને મારા પરિવાર માટે આ ઘણો મુશ્કેલ સમય છે. તમારી બધી પ્રાર્થનાઓ અમને મદદ કરશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

અહીં જુઓ અક્ષય કુમારની પોસ્ટ

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

આ પોસ્ટને શેર કરતા અક્ષયે હાથ જોડીને ઇમોજી શેર કરી હતી. અક્ષયની પોસ્ટ પર કમેન્ટ કરતા તેમના ચાહકો તેમની માતાની જલ્દી સ્વસ્થ થવાની ઈચ્છા કરી રહ્યા છે. તેમની આ પોસ્ટ લાખો લોકોએ પસંદ કરી છે.

લંડનમાં સિન્ડ્રેલાનું શૂટિંગ કરી રહ્યા હતા

તમને જણાવી દઈએ કે અક્ષય તેમની આગામી ફિલ્મ સિન્ડ્રેલા માટે છેલ્લા કેટલાક અઠવાડિયાથી શૂટિંગ કરી રહ્યા હતા. માતાની તબિયત વિશે જાણ્યા બાદ અક્ષય લંડનમાં પોતાને રોકી શક્યા નહીં અને તરત જ ભારત પરત ફર્યા. તેમણે ભારત આવવાનું અને તેમની સાથે રહેવાનું નક્કી કર્યું છે.

અક્ષય કુમાર તેમના પ્રોફેશનાલિઝમ માટે જાણીતા છે. અલબત્ત તેઓ ભારત પરત છે પરંતુ તેમણે નિર્માતાઓને શૂટિંગ બંધ કરવાની ના કહી છે. તેમણે મેકર્સને એવા દ્રશ્યો શૂટ કરવા કહ્યું છે જેમાં તેમની જરૂર નથી. પરંતુ શૂટિંગ ચાલુ રહેવું જોઈએ.

ઘણા પ્રોજેક્ટ છે પાસે

તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર પાસે ફિલ્મોની લાઈન છે. તાજેતરમાં તેમની ફિલ્મ બેલ બોટમ થિયેટરોમાં રિલીઝ થઈ છે. વિવેચકોની સાથે સાથે દર્શકોને પણ આ ફિલ્મ પસંદ આવી છે. અત્યારે અક્ષય પાસે બચ્ચન પાંડે, સૂર્યવંશી, અતરંગી રે, પૃથ્વીરાજ, રામ સેતુ, ઓહ માય ગોડ 2 જેવી ઘણી ફિલ્મો છે. ચાહકો હંમેશા અક્ષય કુમારની ફિલ્મોની રાહ જોતા હોય છે. તેઓ તેમની ફિલ્મોની એનાઉન્સમેન્ટની રાહ જોતો રહે છે.

આ પણ વાંચો :- Tiger 3 માટે ખુબ પરસેવો બહાવી રહી છે કેટરીના કૈફ, તુર્કીમાં ડાન્સ રિહર્સલ કરતી વખતે શેર કર્યો વીડિયો

આ પણ વાંચો :- Akshay Kumarની માતાની હાલત નાજુક, ICUમાં દાખલ, UKથી ફિલ્મનું શૂટિંગ છોડ્યા બાદ ઉતાવળમાં મુંબઈ પરત ફર્યા અભિનેતા

Latest News Updates

અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
g clip-path="url(#clip0_868_265)">