Akshay Kumarએ ‘રામ સેતુ’ના સ્ક્રીપ્ટ રીડિંગ સેશનની તસવીર શેર કરી, જેકલીન ફર્નાન્ડિઝ અને નુસરત ભરૂચા પણ જોવા મળ્યા
ફિલ્મ અભિનેતા અક્ષયકુમારે ફિલ્મ 'રામ સેતુ'ની તૈયારી શરૂ કરી દીધી છે. ફિલ્મના સ્ક્રીપ્ટ રીડિંગ સેશનમાં અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ, નુસરત ભરૂચા ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક સાથે જોવા મળ્યા હતા.
ફિલ્મ અભિનેતા અક્ષયકુમારે ફિલ્મ ‘રામ સેતુ’ની તૈયારી શરૂ કરી દીધી છે. ફિલ્મના સ્ક્રીપ્ટ રીડિંગ સેશનમાં અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ, નુસરત ભરૂચા ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક સાથે જોવા મળ્યા હતા. આ બધા ટેબલ પર બેઠા સ્ક્રીપ્ટ રીડિંગ સેશનમાં ભાગ લઈ રહ્યા છે. આ સાથે અભિનેતા અક્ષય કુમાર, અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ અને નુસરત ભરૂચાએ ફિલ્મ રામ સેતુની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક શર્મા કરશે, જ્યારે આ ફિલ્મમાં ક્રિએટિવ ઈનપુટ ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદી આપશે.
https://twitter.com/Nushrratt/status/1368209123263668232
અક્ષય કુમારે સ્ક્રીપ્ટ રીડિંગ સેશનનો ફોટો શેર કર્યો હતો. તેમણે લખ્યું કે, ‘જે ટીમ સાથે તૈયારી કરે છે, તેને સફળતા પણ સાથે મળે છે. આજે ખૂબ જ જબરદસ્ત સ્ક્રીપ્ટ રીડિંગ સેશન રામ સેતુની ટીમ સાથે કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે હું ઉત્સાહિત છું. તે વિશે. જેકલીન ફર્નાન્ડિઝ, નુસરત ભરૂચા, અભિષેક શર્મા અને ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદી પણ સાથે જોવા મળી રહ્યા છે. આના જવાબમાં નુસરત ભરૂચાએ લખ્યું કે, ‘રામ સેતુનો ભાગ બનવું મારા માટે ગર્વની વાત છે. હું એક પ્રતિભાશાળી ટીમ સાથે જોડાઈને ખુશ છે.
The team that preps together excels together!An extremely productive script reading session with the team of #RamSetu this evening. Can’t wait to begin filming this one@Asli_Jacqueline @Nushrratt #AbhishekSharma #CapeOfGoodFilms @Abundantia_Ent @vikramix#DrChandraprakashDwivedi pic.twitter.com/tbwLud2sR7
— Akshay Kumar (@akshaykumar) March 6, 2021
આ બીજી વખત છે, જ્યારે અક્ષય કુમાર અને ચંદ્રપ્રકાશ દ્વિવેદી એક સાથે ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ પહેલા આ બંને પૃથ્વીરાજમાં પણ કામ કરી ચૂક્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં દિવાળીના અવસર પર અક્ષયકુમારે ફિલ્મ રામ સેતુનું પહેલું પોસ્ટર રજૂ કર્યું હતું. રામ સેતુ. ફોટો શેર કરી તેમણે લખ્યું, ‘આ દીપાવલીએ પ્રભુ શ્રીરામના આદર્શોને જીવંત રાખવા, જેથી તમામ ભારતીય આવનારી પેઢી માટે સેતુનું નિર્માણ કરી શકે.’ તેમણે દીવાળી પર સૌને અભિનંદન પણ આપ્યા હતા. પ્રભાસ અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષ પણ રામાયણ પર આધારિત છે.
આ પણ વાંચો: ઉરી પહોંચ્યો Vicky Kaushal, ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, સૈન્યની વચ્ચે રહેવું મોટુ સન્માન, ‘જય હિન્દ’