Tadap BO Collection: દર્શકોનું દિલ જીતવામાં સફળ થયા અહાન-તારા સુતરિયા, બીજા દિવસે ‘તડપે’ કરી આટલા કરોડની કમાણી
એક અહેવાલ મુજબ તડપે રિલિઝના બીજા દિવસે પણ સારી કમાણી કરી છે. ફિલ્મે રિલિઝના બીજા દિવસે લગભગ 4.25 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. તેની સાથે જ ફિલ્મની બે દિવસની કુલ કમાણી લગભગ 8 કરોડ રૂપિયા થઈ છે.
સુનિલ શેટ્ટીએ પોતાના પુત્ર અહાન શેટ્ટી (Ahan Shetty)ની ડેબ્યુ ફિલ્મ તડપથી ખુબ આશા હતી અને બોક્સઓફિસ કલેક્શન જોઈને લાગે છે કે ફિલ્મ તેમના વિશ્વાસ પર ખરી ઉતરી છે. અહાન શેટ્ટી અને તારા સુતરિયા (Tara Sutaria)ની રોમેન્ટિક જોડીનો જાદુ દર્શકો પર ચાલી ગયો છે. ફિલ્મે રિલિઝના પ્રથમ દિવસે જ સારી કમાણી કરી હતી અને બીજા દિવસે પણ સારી કમાણી કરી છે. મિલન લુથરિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મે શુક્રવારે 4.05 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો અને બીજા દિવસે શનિવારે પણ ફિલ્મની આટલી જ કમાણી રહી.
એક અહેવાલ મુજબ તડપે રિલિઝના બીજા દિવસે પણ સારી કમાણી કરી છે. ફિલ્મે રિલિઝના બીજા દિવસે લગભગ 4.25 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. તેની સાથે જ ફિલ્મની બે દિવસની કુલ કમાણી લગભગ 8 કરોડ રૂપિયા થઈ છે. જો કે આ ફિલ્મને ફેમિલી ઓડિયન્સની જરૂર નથી, પરંતુ આ સપ્તાહના અંતે એટલે કે આજે રવિવારે ફિલ્મ વધુ કમાણી કરશે તેવી આશા છે, બની શકે કે લોકો તેમના પરિવાર સાથે આ ફિલ્મ જોવા થિયેટરોમાં જાય છે.
ફિલ્મને મળી રહેલા રિસ્પોન્સથી ખુશ છે અહાન શેટ્ટી
અહાન અને તારાની આ ફિલ્મ તેલુગુ ફિલ્મ આરએક્સ 100ની હિન્દી રીમેક છે. ફિલ્મની કહાની એક ઈન્ટન્સ લવ સ્ટોરી પર આધારિત છે. અહાન અને તારાની જોડી દર્શકોને ખુબ પસંદ આવી છે. ત્યારે અહાન શેટ્ટીના અભિનયની પ્રશંસા પણ દરેક લોકો કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અહાન શેટ્ટી બોલિવુડને એક નવો સુપરસ્ટાર મળ્યો છે. ફિલ્મને મળી રહેલા સારા રિવ્યુના કારણે અહાન શેટ્ટી ખુબ જ ખુશ છે.
સુનિલ શેટ્ટીએ લખી હતી પુત્ર અહાન માટે સ્પેશિયલ પોસ્ટ
આ ફિલ્મની સફળતાથી અહાન સિવાય બીજુ કોઈ ખુશ છે તો તે સુનિલ શેટ્ટી. સુનિલ શેટ્ટી સક્રિય રીતે પુત્ર અહાન શેટ્ટીની ફિલ્મનો પ્રચાર કરી રહ્યા છે. તેમને વ્યક્તિગત રીતે ફિલ્મની પ્રશંસા કરનારા અને અહાનને શુભકામનાઓ આપનારા લોકોને ધન્યવાદ આપ્યો છે. હાલમાં જ સુનિલ શેટ્ટીએ ફિલ્મની રિલિઝ પર ઈન્સ્ટાગ્રામ પર એક સ્પેશિયલ નોટ લખી અને અહાન માટે એક સલાહ આપી હતી.
સુનિલ શેટ્ટીએ લખ્યું- અહાન તમારો પ્રથમ શુક્રવાર, તમારી પ્રથમ ફિલ્મ રિલિઝ થઈ છે. તડપનો સમય આવી ગયો છે અને દરેક બીજા દિવસની જેમ આગળ પણ જશે. પરંતુ એક વાત યાદ રાખો, જો તમે સાચા છો તો લોકો પણ છે. જો તેઓ તમારી ટીકા કરે છે તો તેને હૃદય પર ન લો, તે એક પાઠ છે. વખાણના નશામાં ન બનો.
આ પણ વાંચો: Career Guidance: જો તમને ઈતિહાસ વિષયમાં રસ હોય તો તમે આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકો છો