TMKOC : કારેલાનું નામ સાંભળતા જ તારકે ગુમાવ્યા ભાન, ભૂલી ગયો રસ્તો, પહોંચી ગયો કબ્રસ્તાન

તારક મહેતાએ થોડા દિવસ પહેલા જ રેસ્ટોરન્ટમાંથી ખાધું હતું, જેના કારણે અંજલિ પહેલાથી જ તેનાથી નારાજ છે. અંજલિના મનમાં પણ અનેક વિચારો ચાલી રહ્યા છે. અંજલિ તારક મહેતા વિશે થોડી ચિંતિત પણ છે.

TMKOC : કારેલાનું નામ સાંભળતા જ તારકે ગુમાવ્યા ભાન, ભૂલી ગયો રસ્તો, પહોંચી ગયો કબ્રસ્તાન
After hearing the name of bitter gourd, Tarak Mehta lost his temper
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 7:58 PM

સોની સબ ટીવીનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય શો છે. શોનું દરેક પાત્ર તેની જાન છે. એક પ્રેરણાદાયી વાર્તાની સાથે, શોના દર્શકોને ભરપૂર મનોરંજન પણ જોવા મળે છે. હાલમાં શોમાં તારક મહેતાના આહારને લઈને એક તમાશો ચાલી રહ્યો છે. તારક મહેતાએ વિચિત્ર વર્તન કરવાનું શરૂ કર્યું છે. તારક મહેતા, જેમને દરેક વ્યક્તિ શાંત, હોશિયાર અને બુદ્ધિશાળી લેખક તરીકે ઓળખે છે, તે કારેલાનું નામ સાંભળતા જ અચાનક ભાન ગુમાવી બેસે છે.

કારેલાની તેના મન પર એવી અસર થાય છે કે તે ચારેબાજુ કારેલાના શબ્દો જ સાંભળે છે અને રસ્તાઓમાં કારેલાની વાવણીઓ દેખાય છે. તેના પર કારેલાની એટલી ઘાતક અસર થઈ કે તે રસ્તો ભૂલી ગયો અને ચાલતા ચાલતા કબ્રસ્તાનમાં પહોંચી ગયો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ બધા વચ્ચે તારક મહેતાની પત્નિ ગોકુલધામમાં ગુસ્સે થઇને બેઠી છે. તે તારક પર ગુસ્સો કરે કે પછી તેમના ઘરે પરત ન આવવાને લઇને ચિંતા કરે તેને સમજમાં નથી આવતું. તેના મગજ પર કારેલા એ રીતે છવાય જાય છે કે તે પોતાના હોશ ગુમાવી દે છે. તારકને હમણા અંજલીનો પ્રેમ અને ચિંતા, ગોકુલધામ વાસીઓને સ્નેહ કે પછી ઓફિસનું કામ કઇં જ યાદ નથી.

તારક મહેતાએ થોડા દિવસ પહેલા જ હોટેલમાં ખાવાનું ખાધુ હતુ જેને લઇને અંજલી પહેલાથી જ તેના પર ગુસ્સે છે. અંજલીના મનમાં ઘણા બધા વિચારો પણ ચાલી રહ્યા છે. અંજલી તારક મહેતાને લઇને થોડી ચિંતિત પણ છે. તેવામાં શું તારક મહેતા સમયસર ઘરે આવશે ? કોણ તેમને ગોકુલધામ પાછા લાવશે ? કે પછી તેઓ આખી રાત કબ્રસ્તાનમાં જ કાઢશે ? આ પ્રકારના ઘણા સવાલો દર્શકોના મનમાં ઉઠી રહ્યા છે. આ સવાલોના જવાબ તો દર્શકોને મળશે જ, પરંતુ સાથે લોકોના ઘરમાં હાસ્યસ્પદ માહોલ બનશે.

આ પણ વાંચો –

Viral : ઓમિક્રોનના સંકટ વચ્ચે સોનુ સૂદે ફરી દેખાડી ઉદારતા, સોશિયલ મીડિયા દ્વારા આપ્યો આ સંદેશ

આ પણ વાંચો –

Video : સલમાન ખાને ઓટો રિક્ષા ચલાવી માયાનગરીની કરી સફર, ચાહકોએ કહ્યુ “ભાઈજાનના અજીબ શોખ”

આ પણ વાંચો –

Mumbai : ટેલિવિઝન જગતમાં ઓમિક્રોનનુ સંકટ, આ પોપ્યુલર એક્ટર ઓમિક્રોન સંક્રમિત થતા ખળભળાટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">