AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar pradesh assembly election 2022: અખિલેશ યાદવ લડશે ચૂંટણી, આઝમગઢની ગોપાલપુર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આઝમગઢના ગોપાલપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે. અખિલેશ યાદવ હજુ પણ આઝમગઢથી સાંસદ છે.

Uttar pradesh assembly election 2022: અખિલેશ યાદવ લડશે ચૂંટણી, આઝમગઢની ગોપાલપુર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં
Akhilesh yadav (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 10:01 AM
Share

Uttar pradesh assembly election 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022(Uttar Pradesh Assembly elections)માં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ (Akhilesh Yadav) પણ લડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આઝમગઢના ગોપાલપુર વિધાનસભા મતવિસ્તાર(Gopalpur Legislative Constituency)થી ચૂંટણી લડશે. હાલ અખિલેશ યાદવ આઝમગઢ(Azamgarh)થી સાંસદ છે. જો કે આ પહેલા 1 નવેમ્બરના રોજ અખિલેશ યાદવે પોતે મીડિયા સામે નિવેદન આપ્યું હતું કે તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. ત્યારે અખિલેશ યાદવની જાહેરાતે બધાને ચોંકાવી દીધા હતા. 

હવે આ દરમિયાન, ANIએ સમાજવાદી પાર્ટીના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે સપાના વડા અખિલેશ યાદવ આઝમગઢની ગોપાલપુર બેઠક પરથી ચૂંટણી લડશે. જો કે, અખિલેશ યાદવ યુપી વિધાનસભાની ચૂંટણી લડશે તે અંગે સમાજવાદી પાર્ટી તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

અખિલેશે વિધાનસભાની ચૂંટણી લડવા માટે લોકસભાનું સભ્યપદ છોડવું પડશે

જો સપાના વડા અખિલેશ યાદવ યુપી વિધાનસભાની ચૂંટણી લડશે તો તેમણે લોકસભાનું સભ્યપદ છોડવું પડશે. અખિલેશ યાદવ હાલમાં આઝમગઢ સીટથી લોકસભાના સાંસદ છે. અગાઉ, ચૂંટણી મેદાનમાં ઉતરવાના પ્રશ્ન પર અખિલેશ યાદવ કહેતા રહ્યા છે કે તેઓ પાર્ટીના નિર્ણય પર ચૂંટણી મેદાનમાં ઉતરશે. યુપીમાં કુલ 403 સીટો છે. અહીં સાત તબક્કામાં મતદાન થવાનું છે. આ તબક્કાઓ હેઠળ 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થશે. ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">