UP Election 2022: ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, 4 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી 5 જિલ્લાઓની જનતા સાથે કરશે વર્ચ્યુઅલ સંવાદ

વડાપ્રધાન મોદી 4 ફેબ્રુઆરીએ બપોર બાદ ઉત્તરપ્રદેશના 5 જિલ્લાઓમાં વર્ચ્યુઅલ રેલી કરશે. અલીગઢ, નોઈડા, મેરઠ, ગાજિયાબાદ અને હરપુર જિલ્લામાં વડાપ્રધાન મોદીની રેલી રાજ્યના 23 વિધાનસભા વિસ્તારોને કવર કરશે.

UP Election 2022: ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, 4 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી 5 જિલ્લાઓની જનતા સાથે કરશે વર્ચ્યુઅલ સંવાદ
PM Narendra Modi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 8:07 PM

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022) થવાના હવે થોડા દિવસો બચ્યા છે. ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપ ચૂંટણી પ્રચાર (BJP Campaign) માટે પૂરજોશમાં છે. ચૂંટણીને લઈ ભાજપના મોટા નેતા રાજ્યમાં મોટા સ્તર પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah), ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P. Nadda), મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath), ડેપ્યુટી મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્ય સહિત ઘણા અન્ય નેતાઓ બાદ હવે વડાપ્રધાન મોદી પણ ચૂંટણી પ્રચાર માટે 4 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશના 5 જિલ્લાઓમાં વર્ચ્યુઅલ રેલી કરશે (PM Narendra Modi Rally).

વડાપ્રધાન મોદી 4 ફેબ્રુઆરીએ બપોર બાદ ઉત્તરપ્રદેશના 5 જિલ્લાઓમાં વર્ચ્યુઅલ રેલી કરશે. અલીગઢ, નોઈડા, મેરઠ, ગાજિયાબાદ અને હરપુર જિલ્લામાં વડાપ્રધાન મોદીની રેલી રાજ્યના 23 વિધાનસભા વિસ્તારોને કવર કરશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ 122 સ્થળોની ઓળખ કરવામાં આવી છે. જ્યાં લોકો માટે વડાપ્રધાનના સંબોધનને સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચના ધોરણોમાં છૂટછાટ સાથે ભાજપ આ સ્થાનો પર એક લાખથી વધુ લોકોની વ્યક્તિગત ભાગીદારી જોવાની અપેક્ષા રાખે છે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

તમામ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવશે પ્રસારણ

ત્યારે ભાજપ તમામ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી વડાપ્રધાનના આ સંબોધનનું પ્રસારણ પણ કરશે અને ઓછામાં ઓછા 20 લાખથી વધારે ફૂટ ફોલની અપેક્ષા છે. આ પહેલા 31 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ વિધાનસભા ચૂંટણીના પ્રથમ અને બીજા ચરણના મતદાન વાળા 5 જિલ્લા માટે વર્ચ્યુઅલ રેલી કરી ઉત્તરપ્રદેશમાં ભાજપના અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્ય સહિત મોટાભાગના નેતાઓએ ડોર ટુ ડોર અભિયાન હેઠળ પ્રચાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: સુપર માર્કેટમાં વાઈનના વેચાણને લઈને શરદ પવારનું નિવેદન, મહારાષ્ટ્ર સરકાર કરી શકે છે નિર્ણય પર ફરીવાર વિચાર

આ પણ વાંચો: Budget Session 2022: રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું- રાષ્ટ્રપતિના સંબોધનમાં સત્યનો અભાવ, ગયા વર્ષે 3 કરોડ યુવાનોએ નોકરી ગુમાવી 

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">