AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Assembly Elections: અયોધ્યા નહીં આ જગ્યાએથી ચૂંટણી લડશે સીએમ યોગી, સિરાથુથી કેશવ પ્રસાદ પર લગાવ્યો ભાજપે દાવ

જોકે, અગાઉ એવી ચર્ચા હતી કે પાર્ટી સીએમ યોગીને અયોધ્યામાંથી ઉતારી શકે છે. બીજી તરફ આજે પ્રથમ તબક્કામાં ભાજપે 57 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી.

UP Assembly Elections: અયોધ્યા નહીં આ જગ્યાએથી ચૂંટણી લડશે સીએમ યોગી, સિરાથુથી કેશવ પ્રસાદ પર લગાવ્યો ભાજપે દાવ
CM Yogi Adityanath (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 2:03 PM
Share

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh assembly election ) માટે પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટી દ્વારા આજે(15 જાન્યુઆરી, શનિવાર) જાહેર કરવામાં આવેલી યાદીમાં રાજ્યના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના નામ પણ સામેલ છે. પાર્ટીએ ગોરખપુર સીટ પરથી સીએમ યોગીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને પ્રયાગરાજની સિરાથુ સીટથી ટિકિટ આપવામાં આવી છે. જોકે, અગાઉ એવી ચર્ચા હતી કે પાર્ટી સીએમ યોગીને અયોધ્યામાંથી ઉતારી શકે છે. બીજી તરફ આજે પ્રથમ તબક્કામાં ભાજપે 57 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી.

રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી છે. આજે આ યાદીમાં 57 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં સૌથી મોટું નામ રાજ્યના સીએમ યોગી આદિત્યનાથનું છે. જે પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડશે. બીજી તરફ દિલ્હીમાં આજે રાજ્યના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી.

પ્રથમ અને બીજા તબક્કાની જાહેરાત

ભાજપે પહેલા તબક્કાની 58 સીટોમાંથી 57 સીટો જ્યારે બીજા તબક્કાની 55 સીટોમાંથી 48 સીટોની જાહેરાત કરી છે. બીજી તરફ ભાજપે પોતાની પ્રથમ યાદીમાં કલ્યાણ સિંહના પૌત્ર સંદીપ સિંહને પણ ટિકિટ આપી છે. આ ઉપરાંત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરથી ચૂંટણી લડશે

જો કે અગાઉ ચર્ચા હતી કે યોગી આદિત્યનાથ અયોધ્યા સીટ પરથી ચૂંટણી લડશે. પરંતુ પાર્ટીએ તેમને ગોરખપુર શહેરથી ટિકિટ આપી છે. વાસ્તવમાં અયોધ્યા દ્વારા પાર્ટી સમગ્ર રાજ્યને સંદેશ આપવા માંગતી હતી અને કહેવામાં આવી રહ્યું હતું કે જો સીએમ યોગી અયોધ્યાથી ચૂંટણી લડે છે તો તેઓ આસપાસની 60 સીટો પર પ્રભાવ પાડી શકે છે. જો કે, એવું પહેલાથી જ માનવામાં આવતું હતું કે કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુ બેઠક પરથી ચૂંટણી લડશે અને તાજેતરમાં જ તેમના નજીકના ગણાતા નેતાને સિરાથુ બેઠકના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ સાથે આગ્રા ગ્રામીણમાંથી બેબી રાની મૌર્યને મેદાનમાં ઉતારવામાં આવી છે. હકીકતમાં, યુપી ચૂંટણી પહેલા પાર્ટીએ તેમને ઉત્તરાખંડના રાજ્યપાલ પદ પરથી હટાવીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. તે જ સમયે, હવે પાર્ટીએ તેમને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે.

આ પણ વાંચો: WhatsApp પર દરેક મેસેજ માટે કરી શકાશે Like અને ઈમોજી રિએક્ટ, આવી રહ્યું છે જબરદસ્ત ફિચર

આ પણ વાંચો: India Corona Update: દેશમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, સામે આવ્યા 2.68 લાખ નવા કેસ, ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 6,000ને પાર

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">