AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Assembly Election 2022: RSS ચીફ મોહન ભાગવત અને મુલાયમ સિંહ વચ્ચે થઈ મુલાકાત, યુપી કોંગ્રેસે કહ્યું- નવી SPમાં ‘S’ નો અર્થ ‘સંઘવાદ’

ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા ચૂંટણી જંગ વચ્ચે સંઘ પ્રમુખ મોહન ભાગવત અને સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ વચ્ચેની મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહી છે.

UP Assembly Election 2022: RSS ચીફ મોહન ભાગવત અને મુલાયમ સિંહ વચ્ચે થઈ મુલાકાત, યુપી કોંગ્રેસે કહ્યું- નવી SPમાં 'S' નો અર્થ 'સંઘવાદ'
rss chief mohan bhagwat and mulayam singh yadav
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 7:54 AM
Share

UP Assembly Election 2022:ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા ચૂંટણી ( Election)જંગ વચ્ચે આરએસએસના વડા મોહન ભાગવત (RSS Chief Mohan Bhagwat) અને સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav) વચ્ચેની મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહી છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત અને મુલાયમ સિંહ યાદવની મુલાકાતના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસે પણ બંનેની બેઠક પર કટાક્ષ કર્યો છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત (RSS Chief Mohan Bhagwat) અને સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav)ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ એક જ સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વચ્ચે લગભગ 20 મિનિટ સુધી વાતચીત ચાલી હતી.

કોંગ્રેસે કટાક્ષમાં, કહ્યું- “નવી SP”માં ‘S’ એટલે ‘સંઘવાદ’

સૂત્રોના જણાવ્યા અનુસાર બંને ઉપરાષ્ટ્રપતિના પારિવારિક લગ્ન સમારોહમાં મળ્યા હતા. મુલાયમ સિંહ યાદવની મોહન ભાગવત સાથેની તસવીરને લઈને કોંગ્રેસે સમાજવાદી પાર્ટી પર કટાક્ષ કર્યો છે. બંનેની તસવીર પોસ્ટ કરતા કોંગ્રેસે લખ્યું, “નવી એસપી”માં ‘એસ’નો અર્થ ‘સંઘવાદ’ થાય છે.

સંઘના વડા મોહન ભાગવત અને સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ વચ્ચેની આ મુલાકાતે યુપીના રાજકીય વાતાવરણને વધુ ગરમ કરી દીધું છે. જો કે આ બેઠકમાં શું થયું તે અંગે કંઈ કહેવું મુશ્કેલ છે.

યુપીના રાજકીય જંગમાં ભાજપ અને સપા વચ્ચે જોરદાર ટક્કર

યુપીના રાજકીય જંગમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી બંને વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. એક ન્યુઝ ચેનલના સર્વે મુજબ યુપીમાં જનતા ભાજપને પસંદ કરી રહી છે. સર્વે મુજબ ભાજપનો વોટ શેર સતત વધી રહ્યો છે. જો કે આ મામલે સમાજવાદી પાર્ટી (SP) પણ પાછળ નથી. સમાજવાદી પાર્ટીને 34 ટકા મત મળવાનો અંદાજ છે. આ સિવાય બસપાને 13 ટકા અને કોંગ્રેસને 13 ટકા વોટ મળતાં જણાય છે.

આ પણ વાંચો : ચીન પાકિસ્તાન ખબરદાર, પંજાબ સેક્ટરમાં ખડકાઈ S 400 મિસાઈલ સિસ્ટમ, દુશ્મનોનાં હથિયારોનાં બોલાવશે ખાત્મા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">