Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election: વડાપ્રધાન મોદીનો બલિયામાં પરિવારવાદ પર પ્રહાર, કહ્યું- તેમણે જનતાને નકારીને પોતાની તિજોરી ભરી

ઉત્તર પ્રદેશ વિધાનસભા (Uttar Pradesh Assembly Election 2022) ચૂંટણીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સોમવારે પૂર્વાંચલના બલિયા જિલ્લાના હેબતપુર ગામમાં જાહેર સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા.

UP Election: વડાપ્રધાન મોદીનો બલિયામાં પરિવારવાદ પર પ્રહાર, કહ્યું- તેમણે જનતાને નકારીને પોતાની તિજોરી ભરી
PM Narendra Modi In Balia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 5:47 PM

ઉત્તર પ્રદેશ વિધાનસભા (Uttar Pradesh Assembly Election 2022) ચૂંટણીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સોમવારે પૂર્વાંચલના બલિયા જિલ્લાના હેબતપુર ગામમાં જાહેર સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાને વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું, તો ત્યાં તેમણે બલિયા પ્રત્યેનો લગાવ પણ વ્યક્ત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે બલિયા સાથે મારું ભાવનાત્મક જોડાણ છે, કારણ કે મફત ગેસ સિલિન્ડર યોજના ઉજ્જવલા અહીંથી શરૂ કરવામાં આવી હતી. યુપીનો વિકાસ મારી જવાબદારી અને પ્રાથમિકતા છે. યોગી સરકારમાં હવે બલિયાના એક પણ બિઝનેસમેનને પોતાના પૈસા ચોરાઈ જવાનો ડર નથી. PMએ ફરી ભાજપ સરકાર બનાવવાની અપીલ કરી. પીએમ મોદીને સાંભળવા માટે જાહેર સભા સ્થળે ભીડ ઉમટી હતી.

તમને જણાવી દઈએ કે, યુપી ચૂંટણી તેના છઠ્ઠા તબક્કા તરફ આગળ વધી ગઈ છે. 3 માર્ચે મતદાન થવાનું છે. આ અર્થમાં, બલિયા જિલ્લામાં રાજકીય ઉથલપાથલ પૂર્વાંચલના અન્ય જિલ્લાઓ કરતાં વધુ છે. ઈશારામાં સપા પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે આ પરિવારવાદી પોતે જ ઉત્તર પ્રદેશનો વિકાસ રોકવા માંગે છે. આવા લોકોથી આપણે સાવધાન રહેવું જોઈએ. આ લોકોએ માત્ર પોતાની તિજોરી ભરી છે.

જાણો કોણ છે અભિનેત્રી ઇમાનવી ઇસ્માઇલ, જેની ફિલ્મમાંથી દુર કરવાની માંગ ઉઠી
તુલસી પર બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી
લસણના ફોતરાં ખૂબ જ ઉપયોગી છે, ફેંકી દેવાની ભૂલ કરતા પહેલા આ રીતે વાપરો!
Vastu Tips: ભૂલથી પણ બાથરૂમમાં આ વસ્તુઓ ન રાખો, ધનની અછત થઈ શકે છે
Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?

રાજ્યમાં ગરીબોને 34 લાખથી વધુ પાકાં મકાનો અપાયા

પીએમ મોદીએ કહ્યું કે ગરીબો પાસે પણ પાકું ઘર હોવું જોઈએ, આ માટે પણ અમારી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, ઉત્તર પ્રદેશમાં અહીં ગરીબોને 34 લાખથી વધુ પાકાં મકાનો આપવામાં આવ્યા છે. અહીં બલિયામાં પણ હજારો ગરીબોને પાકાં મકાનો આપવામાં આવ્યા છે. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે સગર્ભા માતાઓ કુપોષણનો શિકાર ન બને તે માટે અમારી સરકાર માતૃ વંદના યોજના ચલાવી રહી છે. 10 હજાર કરોડથી વધુ રૂપિયા ગર્ભવતી માતાઓના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

પીએમએ ડબલ એન્જિન સરકારનું મહત્વ જણાવ્યું

60 વર્ષની ઉંમર પછી, કામદારો, ખેડૂતો, નાના દુકાનદારો બધાને 3,000 રૂપિયા માસિક પેન્શન મળે છે. આ માટે ભાજપ સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. હું આ યોજનાઓને અમલમાં મૂકવા સક્ષમ છું કારણ કે અહીં યોગીજીની ડબલ એન્જિન સરકાર છે. હું દિલ્હીથી જે મોકલું છું તેનાથી કોઈ અવરોધ ઊભો થતો નથી અને તે યોજનાઓનો લાભ સીધો લાભાર્થીઓ સુધી પહોંચે છે.

આ પણ વાંચો : Delhi Riots: દિલ્હી હાઈકોર્ટે રમખાણ કેસમાં સોનિયા-રાહુલ-પ્રિયંકા ગાંધી અને અનુરાગ ઠાકુરને મોકલી

નોટિસ, પૂછ્યું- કેસ કેમ નોંધવામાં ન આવે

આ પણ વાંચો : Russia-Ukraine Crisis: સ્વાસ્થ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માર્ગદર્શિકામાં કર્યો ફેરફાર, યુક્રેનથી આવતા ભારતીયોને છૂટ

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
g clip-path="url(#clip0_868_265)">