AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022: ઉતર પ્રદેશમાં આયારામ ગયારામની મોસમ શરુ, કોંગ્રેસ-સપાના ધારાસભ્ય ભાજપમાં જોડાયા

Uttar Pradesh Assembly Election 2022: ધારાસભ્યો અને રાજકીયપક્ષના નેતાઓની આયારામ ગયારામની રમતમાં સહારનપુર જિલ્લાના બેહટથી કોંગ્રેસના ધારાસભ્ય નરેશ સૈની (Naresh Saini) અને પૂર્વ સપા ધારાસભ્ય ધરમપાલ યાદવ ભાજપમાં જોડાયા છે.

UP Election 2022: ઉતર પ્રદેશમાં આયારામ ગયારામની મોસમ શરુ, કોંગ્રેસ-સપાના ધારાસભ્ય ભાજપમાં જોડાયા
UP Election 2022: Congress and sp MLA join Uttar Pradesh BJP
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 3:22 PM
Share

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોના નેતાઓમાં આયારામ ગયારામની મોસમ શરૂ થઈ ગઈ છે. સપા, બસપા, કોંગ્રેસ અને ભાજપ જેવા મુખ્ય પક્ષોમાં નેતાઓની અવર જવાર ચાલી રહી છે. જેના કારણે સપા અને ભાજપ-કોંગ્રેસને સતત આંચકા જનક સમાચાર મળી રહ્યા છે. ભાજપના સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Maurya) સપામાં જોડાયા બાદ હવે ભાજપે સમાજવાદી પાર્ટીને ઝટકો આપ્યો છે.

બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની હાજરીમાં કોંગ્રેસના ધારાસભ્ય નરેશ સૈની, સપા ધારાસભ્ય હરિઓમ યાદવ (Hariom Yadav) અને પૂર્વ સપા ધારાસભ્ય ધરમપાલ સિંહ (Dharampal SIngh) ભાજપ પ્રદેશ કાર્યાલયે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ધારાસભ્યો અને રાજકીયપક્ષના નેતાઓની આયારામ ગયારામની રમતમાં સહારનપુર જિલ્લાના બેહટથી કોંગ્રેસના ધારાસભ્ય નરેશ સૈની (Naresh Saini) અને પૂર્વ સપા ધારાસભ્ય ધરમપાલ યાદવ ભાજપમાં જોડાયા છે.

ભાજપમાં જોડાવવાના પ્રસંગે હરિ ઓમ યાદવે કહ્યું કે સમાજવાદી પાર્ટીમાં મારું સન્માન નહોતું તેથી હું આજે ભાજપમાં જોડાયો છું. મુલાયમ સિંહ યાદવ અને રામ ગોપાલ સાથે મળીને અમે પાર્ટીને મજબૂત બનાવી છે. 35 વર્ષથી હું પાર્ટીમાં હતો. પરંતુ હવે ત્યાં કોઈ સાંભળતુ નથી. અખિલેશ યાદવ એવા લોકોથી ઘેરાયેલા છે જેમનો સમાજ સાથે કોઈ સંબંધ નથી. સ્વામી પ્રસાદ મૌર્ય અને મારા જેવા નેતાઓમાં ઘણો તફાવત છે. તમે ચૂંટણી પછી આમારા બન્ને વચ્ચેનો તફાવત જોઈ શકશો, મને પણ પંચાયતની ચૂંટણી પછી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે બીજી તરફ ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ધારાસભ્ય અવતારસિંહ ભડાના (BJP MLA Avtar Singh Bhadana joined RLD) એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને રાષ્ટ્રીય લોકદળ (RLD) માં જોડાયા છે. ભડાનાએ છેલ્લે મેરઠના મેરપુર વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી લડી હતી. ટ્વિટર પર આ માહિતી આપતા RLDએ લખ્યું, “ભૂતપૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા અવતાર ભદાના આજે રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી જયંત સિંહની હાજરીમાં રાષ્ટ્રીય લોકદળમાં જોડાયા.

બે દિવસમાં ભાજપને પાંચમો ફટકો વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ છેલ્લા બે દિવસમાં પાંચમા ધારાસભ્યએ ભાજપને ઝટકો આપ્યો છે. અવતાર સિંહ ભડાના બુધવારે રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીને મળ્યા અને તેમને પાર્ટીમાં સામેલ કર્યા. અવતાર સિંહ ભડાનાને પશ્ચિમ યુપીમાં ભાજપને મજબૂત કરનાર નેતા તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતોના આંદોલનને કારણે પશ્ચિમ યુપીમાં ભાજપનું પ્રદર્શન પ્રમાણમાં નબળું રહેવાની આશંકા છે. યુપી વિધાનસભા ચૂંટણીના સાત તબક્કા આ વિસ્તારમાંથી શરૂ થવાના છે. આવી સ્થિતિમાં અવતાર સિંહ ભડાનાનું પક્ષ છોડવો એ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

આ પણ વાંચોઃ

Uttar Pradesh Assembly election 2022 : ઉત્તરપ્રદેશમાં 10 હજાર રૂપિયા રોકડા લઈને નિકળશો તો પણ રાખજો ધ્યાન, બતાવવા પડશે કાગળ નહીં તો પૈસા થશે જપ્ત

આ પણ વાંચોઃ

UP Assembly Election 2022: આવી ગયો 403 બેઠકનો મહાઓપિનિયન પોલ, જાણો કયા પક્ષને મળી શકે છે કેટલી બેઠક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">