UP Assembly Election 2022: આવતા અઠવાડિયે યુપીમાં ભાજપ કરશે છ રેલી, PM મોદી અને જેપી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ આપશે હાજરી

આ છ રેલીઓમાં પાર્ટી યુપીના મહત્તમ ભાગોને કવર કરશે અને યુપીના વારાણસી અને લખનૌ ઉપરાંત પશ્ચિમ યુપી, બુંદેલખંડમાં છ રેલીઓનું આયોજન કરવામાં આવશે.

UP Assembly Election 2022: આવતા અઠવાડિયે યુપીમાં ભાજપ કરશે છ રેલી, PM મોદી અને જેપી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ આપશે હાજરી
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 7:11 AM

UP Assembly Election 2022: ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપનું વધુ ફોકસ યુપી પર છે અને તેણે અત્યાર સુધી ઘણા દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી આગામી સપ્તાહે યુપીમાં છ મોટી રેલીઓ કરશે અને પીએમ મોદી (PM Narendra Modi) સહિત પાર્ટીના ઘણા મોટા દિગ્ગજ તેમાં સામેલ થશે. PM મોદી 7 ડિસેમ્બરે ગોરખપુરમાં મોટી રેલી કરશે અને તેમાં ચાર લાખ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે (BJP to hold six rallies in UP next week).

એક મીડિયાના રિપોર્ટ અનુસાર, પાર્ટીના ટોચના નેતાઓએ જણાવ્યું કે આગામી સપ્તાહે ઘણી રેલીઓનું આયોજન કરવામાં આવશે અને તેમાં પાર્ટીના ટોચના નેતાઓ સામેલ થશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) પણ તેમાં હાજરી આપશે. વાસ્તવમાં રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ તમામ રેલીઓનું આયોજન કરવામાં આવશે.

આ રેલીઓ દ્વારા પાર્ટી યુપીમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગે છે. જ્યારે આ પહેલા પીએમ મોદી ગયા મહિને રાજ્યની ચાર મુલાકાત કરી ચૂક્યા છે. ભાજપના વ્યૂહરચનાકાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) રાજ્યની અવારનવાર મુલાકાતે છે. બે દિવસ પહેલા તેમણે યુપીના પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એક મોટી રેલી કરી હતી.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

વારાણસી અને લખનૌમાં રેલીઓ યોજાશે માહિતી અનુસાર, આ છ રેલીઓમાં પાર્ટી યુપીના મહત્તમ ભાગોને કવર કરશે અને યુપીના વારાણસી અને લખનૌ ઉપરાંત પશ્ચિમ યુપી, બુંદેલખંડમાં છ રેલીઓનું આયોજન કરવામાં આવશે. આ સાથે PM મોદી 7 ડિસેમ્બરે પૂર્વાંચલના ગોરખપુરમાં ખાતરની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશે અને અહીં એક મોટી જનસભાને સંબોધિત કરશે. જ્યારે તે પછી તે મહિનાના મધ્યમાં વારાણસી જશે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 312 બેઠકો મળી હતી જો 2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો આ ચૂંટણીમાં ભાજપને સૌથી મોટી જીત મળી હતી અને પાર્ટીને 312 સીટો મળી હતી. જ્યારે સમાજવાદી પાર્ટીને 47, BSPને 19 અને કોંગ્રેસને સાત બેઠકો મળી હતી. બીજી તરફ આરએલડી અને નિષાદ પાર્ટીને 1-1 સીટ મળી છે. અપના દળે 9 અને સુહલદેવ ભારતીય સમાજ પાર્ટીએ 4 બેઠકો જીતી હતી. તેથી આ વખતે પણ પાર્ટી પર અગાઉની કામગીરીનું પુનરાવર્તન કરવાનું દબાણ છે.

આ પણ વાંચો: વાવાઝોડુ જવાદ નબળુ પડ્યુ, પુરી પહોચતા સુધીમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટની દસ્તકથી તંત્રની વધી ચિંતા, સંપર્કમાં આવેલા તમામ લોકોની કરવામાં આવી તપાસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">