AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબમાં AAPની સરકાર બનતાની સાથે જ સીએમ-નેતાની જગ્યાએ ઓફિસોમાં આંબેડકર અને ભગત સિંહની તસવીરો લગાડવામાં આવશેઃ Arvind Kejriwal

Arvind Kejriwal Punjab: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં તેમની સરકાર બનતાની સાથે જ ઓફિસોમાં બાબાસાહેબ આંબેડકર અને ભગત સિંહની તસવીરો લગાવવામાં આવશે.

પંજાબમાં AAPની સરકાર બનતાની સાથે જ સીએમ-નેતાની જગ્યાએ ઓફિસોમાં આંબેડકર અને ભગત સિંહની તસવીરો લગાડવામાં આવશેઃ Arvind Kejriwal
Delhi CM-Arvind Kejriwal (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 3:51 PM

Arvind Kejriwal Punjab: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) રવિવારે પંજાબના અમૃતસરમાં કહ્યું કે, પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની સરકાર બન્યા બાદ ઓફિસોમાં મુખ્યમંત્રી કે કોઈ નેતાની તસવીર નહીં હોય. તેના બદલે તેમની જગ્યાએ બાબાસાહેબ આંબેડકર અને શહીદ ભગત સિંહ (Bhagat Singh)ની જ તસવીર લગાવવામાં આવશે. તેમણે કહ્યું કે આઝાદી ખૂબ જ મુશ્કેલ હતી, આ માટે ઘણા લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું, લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો, પરંતુ આપણે ધીમે ધીમે તેમના બલિદાન, સંઘર્ષ અને વિચારોને ભૂલી રહ્યા છીએ.

ગંદી રાજનીતિ સમગ્ર સિસ્ટમ પર પ્રભુત્વ ધરાવે છે. આઝાદી મેળવવા માટે ઘણા લોકોએ બલિદાન આપ્યા છે અને જો આપણે કોઈપણ બલિદાન કે, સંઘર્ષ તરફ નજર કરીએ તો બે વ્યક્તિત્વ જોવા મળે છે જે એક રીતે સમગ્ર સ્વતંત્રતા ચળવળનું પ્રતિનિધિત્વ કરે છે. અને તેઓ છે બાબાસાહેબ આંબેડકર અને શહીદ-એ-આઝમ ભગતસિંહ. આ બે સ્વાતંત્ર્ય સેનાની એવા વ્યક્તિત્વ હતા, તે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. અમે બાબાસાહેબના ભક્ત છીએ, તેમની પૂજા કરીએ છીએ. આથી પંજાબ સરકારની તમામ ઓફિસોમાં તેની તસવીરો લગાવવામાં આવશે. જેથી કરીને તેમને જોઈને આપણી ભાવિ પેઢી પ્રેરણા લઈ શકે. તેમનું બલિદાન, સંઘર્ષ અને વિચારો તેમને જોનારા તમામ લોકો યાદ કરશે.

EDના દરોડા પર કેજરીવાલે શું કહ્યું

જ્યારે કેજરીવાલને EDના દરોડા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું, ‘શું ચન્ની સાહેબ પર EDના દરોડા પડ્યા છે, જો હું આટલો પાવરફુલ હોઉં તો મારે બીજા લોકો પર પણ આ કામ કરાવવું જોઈએ. આ સવાલ પર તેણે હસીને કહ્યું, ‘મારા પર ઈડી, સીબીઆઈ, ઈન્કમટેક્સ થઈ તે લોકો મારા બેડરૂમમાં ઘૂસી ગયા હતા. જો મારું ચાલશે તો હું શા માટે આવું કરીશ તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં EDએ પંજાબમાં લગભગ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi)ના સંબંધીઓના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

સારા તેંડુલકરની ક્રિકેટ ટીમનું નામ શું છે?
1 મહિનામાં 5 કિલો વજન કેવી રીતે ઘટાડવું? જાણો ડાયેટ પ્લાન
ઈન્સ્ટાગ્રામ પર છવાયો વૈભવ સૂર્યવંશીનો જાદુ
અભિનેત્રીએ કરોડો રુપિયાની નવી લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો
High Blood Pressure ના શરૂઆતી લક્ષણ કયા છે ? દરેકે જાણવા જરૂરી
અર્જુન રામપાલના પરિવાર વિશે જાણો

ભગવંત માન અત્યંત પ્રમાણિક હોવાનું જણાવ્યું

આમ આદમી પાર્ટીનો સીએમ ચહેરો ભગવંત માન છે. તેમના વિશે અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘જ્યારે હું સરદાર ભગવંત માનને ‘કટ્ટર ઈમાનદાર’ કહું છું, તો અન્ય પક્ષોના નેતાઓને દુઃખ થાય છે, કારણ કે તેઓ પોતે કટ્ટર ભષ્ટ્રાચારી છે. દરેક ફાઈલમાં સહી કરતા પહેલા સામા પક્ષના નેતાઓ જોઈ લે છે કે તેમાંથી કેટલા પૈસા કમાઈ શકે છે. કોઈ તેને મળવા આવે છે, હું તેની પાસેથી કેટલા પૈસા છીનવી લઈશ, તે માત્ર અને માત્ર પૈસા લૂંટવાનું જ વિચારે છે. અને આ માણસ માત્ર પંજાબ વિશે જ વિચારે છે.

આ પણ વાંચો-નવી વાઈન પોલિસી મુદ્દે રાજકારણ: BJP નેતાના આરોપ પર શિવસેના સાંસદ સંજય રાઉતે કર્યો વળતો પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">