Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Assembly Elections: ‘UP-બિહાર કે ભૈયા’ની ટિપ્પણી કરીને ભરાઈ ગયા CM ચન્ની, સ્પષ્ટતામાં કહ્યું મારા નિવેદનને ખોટી રીતે દર્શાવાયુ

પંજાબના અબોહરમાં એક રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિવેદન માટે સમગ્ર કોંગ્રેસને ભીંસમાં લીધી હતી. પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું કે ગુરુ ગોવિંદ સિંહનો જન્મ બિહારના પટના સાહિબમાં થયો હતો. તો શું આ લોકો તેમનું અપમાન કરવા માગે છે?

Punjab Assembly Elections: 'UP-બિહાર કે ભૈયા'ની ટિપ્પણી કરીને ભરાઈ ગયા CM ચન્ની, સ્પષ્ટતામાં કહ્યું મારા નિવેદનને ખોટી રીતે દર્શાવાયુ
Punjab Assembly Elections: CM Channy filled with comments on 'UP-Bihar or Bhaiya', clarified that my statement was misrepresented
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 9:13 AM

Punjab Assembly Elections: પંજાબમાં બે દિવસ પછી વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Elections)યોજાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેમણે બિહાર(Bihar)અને યુપીના ભૈયાઓને પંજાબ(Punjab)માં પ્રવેશ ન દેવાની વાત કરી હતી, ત્યાર બાદ તેમનો વિરોધ શરૂ થયો છે.

આ પછી હવે સીએમ ચન્ની (Charanjit Singh Channi)તરફથી ખુલાસો સામે આવ્યો છે. પોતાની સ્પષ્ટતામાં ચન્નીએ કહ્યું કે મારા નિવેદનને તોડફોડ કરવામાં આવી રહી છે.તેમણે કહ્યું, ‘દુર્ગેશ પાઠક, સંજય સિંહ, અરવિંદ કેજરીવાલ જેવા લોકો બહારથી આવે છે અને પંજાબને ડિસ્ટર્બ કરે છે, મેં તેમના વિશે વાત કરી. પરંતુ જે લોકો ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનથી પંજાબ આવે છે અને પંજાબમાં કામ કરે છે, પંજાબ પણ એટલું જ તેમનું છે જેટલું આપણું છે.

ચન્નીના વિવાદાસ્પદ નિવેદનનો આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રિયંકા હસતી અને મુખ્યમંત્રીના નિવેદનને વધાવતી જોવા મળી રહી છે. પંજાબના રૂપનગરમાં કોંગ્રેસની જાહેરસભા દરમિયાન આ નજારો જોવા મળ્યો હતો. પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું, ‘પ્રિયંકા ગાંધી પંજાબની વહુ છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીના જે ભાઈઓ પંજાબમાં શાસન કરવા માગે છે, અમે તેમને રાજ્યમાં પ્રવેશવા નહીં દઈએ.

આજનું રાશિફળ તારીખ : 18-03-2025
દીકરીના જન્મ પર સરકાર આપશે 1.5 લાખ રૂપિયા
IPL 2025ના તે ખેલાડીઓ જેમને BCCI તરફથી મળે છે પેન્શન
Nita Ambani New Look : નીતા અંબાણીનો પરંપરાગત સાડીમાં નવો લુક, જુઓ Photos
AC નું આયુષ્ય કેટલું હોય છે અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
IPLમાં અમ્પાયરોને કેટલો પગાર મળે છે?

સીએમ ચન્નીના આ નિવેદન બાદ વડાપ્રધાન મોદીએ તેમના અને કોંગ્રેસ પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે પૂછ્યું, સંત રવિદાસનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. શું તમે તેમને પંજાબમાંથી હાંકી કાઢશો? સંત રવિદાસજીએ સમાજનું ઘણું કલ્યાણ કર્યું અને તેમનો જન્મ કાશીમાં થયો હતો. તેઓ કહે છે કે યુપી અને બિહારના લોકોને પ્રવેશવા દેવામાં આવશે નહીં. ગુરુ ગોવિંદ સિંહનો જન્મ પટના સાહિબમાં થયો હતો. તમે કહો છો કે બિહારના લોકોને પ્રવેશવા દેવામાં આવશે નહીં. શું તમે ગુરુ ગોવિંદ સિંહ જીનું અપમાન કરશો?

બીજેપી નેતા અને રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ પણ સીએમ ચન્નીના નિવેદન પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે જે રીતે પ્રિયંકા ગાંધીએ પંજાબની સામે યુપી-બિહારના લોકો વિરુદ્ધ નિવેદન આપ્યું અને પ્રિયંકા ગાંધી તાળીઓ પાડતા રહ્યા, તે કોંગ્રેસ વિચારનો ઉલ્લેખ કરે છે. મોદીએ કહ્યું કે ચન્નીએ બિહાર-યુપીના લોકોને રાજ્યમાં પ્રવેશ ન આપવા અંગે જે કહ્યું તે વાંધાજનક છે.

પંજાબના સીએમએ પ્રિયંકા ગાંધીની હાજરીમાં બિહાર-યુપીના લોકો પ્રત્યે નફરત વ્યક્ત કરી છે જો ભૂલથી પણ કોંગ્રેસ પંજાબ જીતી જશે તો બિહાર-યુપીના લોકો માટે ત્યાં રહેવું મુશ્કેલ થઈ જશે.

g clip-path="url(#clip0_868_265)">