AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Assembly Election: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું- પંજાબમાં કોંગ્રેસ પાર્ટી અસ્થિર છે, માત્ર ભાજપ જ કરી શકે છે વિકાસ

પંજાબની તમામ સીટો અને યુપીમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે બંને રાજ્યોમાં ભાજપની જીતનો દાવો કર્યો છે. તેમણે વિપક્ષ પર પ્રહારો પણ કર્યા છે.

Punjab Assembly Election: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું- પંજાબમાં કોંગ્રેસ પાર્ટી અસ્થિર છે, માત્ર ભાજપ જ કરી શકે છે વિકાસ
Union Minister Jitendra singh - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 9:26 PM
Share

પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election 2022) ની તમામ બેઠકો માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે (Union Minister Jitendra singh) પંજાબમાં ભાજપ (BJP) ની જીતનો દાવો કરતા વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે પંજાબમાં કોંગ્રેસ (Congress) પાર્ટી ખૂબ જ અસ્થિર છે. તે જ સમયે, પંજાબમાં હવે આતંકવાદી સંગઠનો સાથે AAPના સંબંધો લોકોની સામે આવી ગયા છે. રાજ્યમાં ભાજપની ગઠબંધન સરકાર સકારાત્મક વિકાસ કરવા સક્ષમ છે. પંજાબમાં ભાજપ લોક કોંગ્રેસ અને સુખદેવ સિંહની પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. યુપી વિધાનસભા ચૂંટણી પર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ પ્રતિક્રિયા આપી છે.

પંજાબની તમામ 117 સીટો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. તમામ પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે. ભાજપના સાથી એવા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ પંજાબમાં જીતનો દાવો કર્યો છે. આ સાથે જ તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું છે. અમરિંદર સિંહે કહ્યું કે આ વખતે પંજાબમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે. આ સાથે જ તેમણે AAPના સીએમ ઉમેદવાર ભગવંત માન સિંહને પણ દેશદ્રોહી કહ્યા છે.

પંજાબમાં બહુકોણીય હરીફાઈ

પંજાબ વિધાનસભામાં આ વખતે 1304 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 93 મહિલા ઉમેદવારો છે. આ વખતે અનેક દિગ્ગજોનું ભાવિ પણ દાવ પર છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ કોંગ્રેસનો મુખ્યમંત્રી પદનો ચહેરો છે. તેઓ બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે.

બીજી તરફ પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહનો મુકાબલો અમૃતસર પૂર્વથી SADના બિક્રમ સિંહ મજીઠિયા, AAPના જવાનજ્યોત કૌર અને ભાજપના જગમોહન સિંહ રાજુ સામે છે. જ્યારે સંગરુરથી AAPના સાંસદ અને પાર્ટીના સીએમ ચહેરા ભગવંત માન ધુરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે પંજાબમાં બહુકોણીય હરીફાઈ જોવા મળી રહી છે.

કેન્દ્રીય મંત્રીએ સપા પર સાધ્યું નિશાન

યુપીમાં પણ ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપે રાજ્યમાં ફરી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે બીજા તબક્કાના મતદાન બાદ જ સમાજવાદી પાર્ટીનો વિશ્વાસ ઉઠી ગયો છે. અખિલેશ યાદવના સમગ્ર પરિવારને ચૂંટણી પ્રચાર માટે કરહલમાં ઉતરવું પડ્યું હતું. તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મતદારોમાં સારી પકડ છે. રાજ્યના લોકોને સરકારની યોજનાઓનો લાભ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે યોગી સરકારે રાજ્યની મહિલાઓને સન્માન અને સુરક્ષા આપી છે.

આ પણ વાંચો: Punjab Assembly Elections: બોલિવૂડ એક્ટર સોનુ સૂદનો મોટો આરોપ, કહ્યું- મોગાના કેટલાક બૂથમાં વહેંચાઈ રહ્યા છે પૈસા

આ પણ વાંચો: Haryana: સોનીપતમાંથી 4 ખાલિસ્તાની આતંકવાદી પકડાયા, પંજાબ ચૂંટણીનો માહોલ બગાડવાનું ષડયંત્ર રચાયું હતું !

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">