AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fateh Rally: સુરક્ષામાં ક્ષતિ બાદ વડાપ્રધાન મોદીએ પંજાબ આવવાની જાહેરાત કરી, કહ્યું- હું ફરી પંજાબ આવીશ અને લોકોને મળીશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફતેહગઢ સાહિબ અને લુધિયાણાના મતદારોને ફતેહ રેલી દ્વારા સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું, એનડીએની પરંપરા રહી છે કે તે હંમેશા દેશભક્તોની સાથે રહે છે, દરેક ક્ષણે તેમના સન્માનની રક્ષા કરે છે.

Fateh Rally: સુરક્ષામાં ક્ષતિ બાદ વડાપ્રધાન મોદીએ પંજાબ આવવાની જાહેરાત કરી, કહ્યું- હું ફરી પંજાબ આવીશ અને લોકોને મળીશ
Prime Minister Narendra Modi - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 5:47 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ફતેહગઢ સાહિબ અને લુધિયાણાના મતદારોને ફતેહ રેલી (Fateh Rally) દ્વારા સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું, એનડીએની પરંપરા રહી છે કે તે હંમેશા દેશભક્તોની સાથે રહે છે, દરેક ક્ષણે તેમના સન્માનની રક્ષા કરે છે. તેમણે કહ્યું, કેટલાક લોકો હંમેશા શીખ પરંપરાના વિરોધમાં જોવા મળશે, ભાજપ હંમેશા શીખ પરંપરા સાથે ઉભો રહ્યો છે. કેટલાક લોકો માટે પંજાબ માત્ર સત્તાનું સાધન રહ્યું છે, અમારા માટે તે ગુરુ પરંપરાનું માધ્યમ છે, પંજાબીઓ માટે સેવા અને આતિથ્યનું માધ્યમ છે. કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે શીખોનો નરસંહાર કર્યો, અમે નરસંહારના ગુનેગારોને સજા આપી. કોંગ્રેસ કરતારપુરને ભારતમાં પણ ન રાખી શકી, અમે કરતારપુરનો રસ્તો ખુલ્લો કર્યો.

PM મોદીએ ફતેહ રેલીમાં કહ્યું, શું પંજાબ માટે આ ચૂંટણી માત્ર નવી સરકાર બનાવવા માટે છે? શું આ ચૂંટણી માત્ર નવા મુખ્યમંત્રી બનાવવા માટે છે? શું આ ચૂંટણી નવા ધારાસભ્ય, નવા મંત્રીની પસંદગી માટે છે? ના, આ પંજાબમાં વિકાસની ગતિને ઝડપી બનાવવા અને પંજાબને અનિશ્ચિતતામાંથી બહાર લાવવાની ચૂંટણી છે.

પીએમે વધુમાં કહ્યું કે, ભાજપ તેના સાથી પક્ષો સાથે મળીને પંજાબ માટે વિકાસ અને વિશ્વાસનો નવો અને નક્કર રોડમેપ લઈને આવ્યું છે. એનડીએ પંજાબ માટે તેના 11 સંકલ્પ રજૂ કર્યા છે. આ 11 સંકલ્પ દરેક પંજાબીના છે જે પંજાબ અને પંજાબિયતની વાત કરે છે.

પીએમ મોદીએ એનડીએના સંકલ્પ જણાવ્યા

પીએમ મોદીએ કહ્યું, એનડીએ સંકલ્પ કરે છે કે આતંકવાદ પીડિતોની મદદ માટે એક કમિશન બનાવવામાં આવશે. અમારો સંકલ્પ છે કે અમે પંજાબના દરેક ગરીબને પાકું ઘર આપીશું. અમે સંકલ્પ કર્યો છે કે સરહદી વિસ્તારોના વિકાસ માટે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવશે. અમે સંકલ્પ કર્યો છે કે આગામી 5 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયા પંજાબના વિકાસ માટે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જ ખર્ચવામાં આવશે.

વિરોધીઓ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, જે લોકોએ ડ્રગ્સને લઈને વિવિધ ભાષણો કર્યા, તેઓએ તમારી મદદ કરી નહીં પરંતુ દિલ્હીના લોકોમાં આ રોગ ફેલાવ્યો. પંજાબે આવા લોકોથી ખૂબ કાળજી રાખવી પડશે.

પીએમ મોદીએ કહ્યું, આજે હું પંજાબ જે ઉંચાઈને હકદાર છે, તેના વિકાસ માટે હું તમારા બધાનો સહયોગ માંગું છું. આપણા ગુરુઓએ આપણને શીખવેલી સમાનતા અને સામાન્ય લોકોના ઉપદેશોને અનુસરીને આપણે નવા પંજાબના નિર્માણ તરફ કામ કરવું પડશે. આ સાથે પીએમ મોદીએ એમ પણ કહ્યું કે તેઓ ફરી એકવાર પંજાબ જશે અને પંજાબના લોકોને મળશે.

આ પણ વાંચો : UP Election: તમામ પાક પર MSPથી લઈને મફત શિક્ષણ અને મફત લેપટોપ સુધી, સપાના ‘વચન પત્ર’માં અખિલેશ યાદવની મોટી જાહેરાતો

આ પણ વાંચો : મેઘાલયમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, તમામ પાંચ ધારાસભ્યોએ પાર્ટી છોડી, MDAમાં થશે સામેલ

Follow Us
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
g clip-path="url(#clip0_868_265)">