Punjab Assembly Election 2022: પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો, વધુ પાંચ નેતાઓ ‘હાથ’ છોડી ‘કમળ’માં જોડાયા

પંજાબમાં કોંગ્રેસને (Punjab Congress) મોટો ઝટકો લાગ્યો છે. સમાચાર અનુસાર, અમૃતસર જિલ્લા કોંગ્રેસ સમિતિ (ગ્રામીણ) પ્રમુખ ભગવંતપાલ સિંહ સહિત તેના પાંચ વરિષ્ઠ નેતાઓ રવિવારે ભાજપમાં જોડાયા છે.

Punjab Assembly Election 2022: પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો, વધુ પાંચ નેતાઓ 'હાથ' છોડી 'કમળ'માં જોડાયા
5 Senior Amritsar Congress Leaders Join BJP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 8:37 PM

પંજાબમાં કોંગ્રેસને (Punjab Congress) મોટો ઝટકો લાગ્યો છે. સમાચાર અનુસાર, અમૃતસર જિલ્લા કોંગ્રેસ સમિતિ (ગ્રામીણ) પ્રમુખ ભગવંતપાલ સિંહ સહિત તેના પાંચ વરિષ્ઠ નેતાઓ રવિવારે ભાજપમાં જોડાયા છે. પાર્ટીમાં તેમનું સ્વાગત કરતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે (Tarun Chugh) કહ્યું કે પંજાબ ટૂંક સમયમાં ‘કોંગ્રેસ-મુક્ત’ બનશે. ભાજપમાં સામેલ થનારાઓમાં પ્રદીપ સિંહ ભુલ્લર, રતન સિંહ સોહલ, પરમજીત સિંહ રંધાવા અને તજિંદરપાલ સિંહનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ડો. હરજોત કમલ ભાજપમાં જોડાઈ ગયા છે. બીજેપીમાં જોડાવાનું બીજું મુખ્ય કારણ એ હતું કે અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદને પંજાબના મોગાથી ટિકિટ મળી હતી.

કોંગ્રેસે 86 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

જણાવી દઈએ કે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 86 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તાજેતરમાં કોંગ્રેસમાં સામેલ થયેલા માલવિકા સૂદ મોગાથી કોંગ્રેસના ઉમેદવાર હશે. તે જ સમયે, મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબથી મેદાનમાં છે જ્યારે નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી ચૂંટણી લડશે. આ સિવાય ડેપ્યુટી સીએમ સુખજિંદર સિંહ રંધાવા ડેરા બાબા નાનક સીટ પરથી ચૂંટણી લડશે.

ચન્નીના નાના ભાઈ બન્યા ‘બળવાખોર’, અપક્ષ તરીકે ચૂંટણી લડશે

બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નાના ભાઈ ડૉ. મનોહર સિંહે બળવાખોર વલણ અપનાવીને અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસે તેમને ટિકિટ આપવાની ના પાડી દીધી છે, જે બાદ તેણે આવો નિર્ણય લીધો હતો. મનોહર સિંહ બસ્સી પઠાણા મતવિસ્તારમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જણાવી દઈએ કે કોંગ્રેસે અહીંથી વર્તમાન ધારાસભ્ય ગુરપ્રીત સિંહ જીપીને ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં ડૉ. સિંહે કહ્યું કે, હું બસ્સી પઠાણા સીટ માટે દાવેદાર હતો, પરંતુ પાર્ટી (કોંગ્રેસ)એ ટિકિટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે, 2007માં પણ આ કર્યું અને ચૂંટણી જીતી.

પંજાબમાં વિધાનસભા ચૂંટણી 2022 પહેલા, ચરણજીત સિંહ ચન્નીની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે વીજળીના દરમાં પ્રતિ યુનિટ રૂ. 3નો ઘટાડો કર્યો છે. પાર્ટીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સીએમ ચન્નીની ઘણી જાહેરાતો શેર કરી છે. તેમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને ખેડૂતો માટે લેવાયેલા પગલાંનો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા સીએમ ચન્નીએ તમામ ગૌશાળાઓના વીજ બિલ માફ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો : Punjab Assembly Election 2022: CM Channiના ભાઈને ન મળી કોંગ્રેસની ટિકિટ, હવે પાર્ટી વિરુદ્ધ માંડશે મોરચો

આ પણ વાંચો : UP Election 2022: AAPએ 150 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, સંજય સિંહે કહ્યું- લાયક અને શિક્ષિત ઉમેદવારોને પસંદ કરવાનો પ્રયાસ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">