AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કોંગ્રેસને વધુ એક ઝટકો, આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ કિરણ કુમાર રેડ્ડી ભાજપમાં જોડાયા

કિરણ કુમાર રેડ્ડી શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. રેડ્ડી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બલુનીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. દરમિયાન પાર્ટીના નેતા પ્રહલાદ જોશીએ કહ્યું કે કિરણ કુમાર રેડ્ડીના નેતૃત્વમાં આંધ્રમાં ભાજપ વધુ મજબૂત બનશે.

Breaking News: કોંગ્રેસને વધુ એક ઝટકો, આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ કિરણ કુમાર રેડ્ડી ભાજપમાં જોડાયા
Kiran Kumar Reddy Joins BJP
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 12:56 PM
Share

કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને અવિભાજિત આંધ્રપ્રદેશના છેલ્લા મુખ્યપ્રધાન એન. કિરણ કુમાર રેડ્ડી શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. રેડ્ડી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બલુનીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. દરમિયાન પાર્ટીના નેતા પ્રહલાદ જોશીએ કહ્યું કે કિરણ કુમાર રેડ્ડીના નેતૃત્વમાં આંધ્રમાં ભાજપ વધુ મજબૂત બનશે. ત્રણ પેઢી કોંગ્રેસમાં કામ કરતી રહી. તેમના પિતા 3 વખત ધારાસભ્ય અને મંત્રી રહ્યા. કિરણ કુમાર રેડ્ડી મુખ્યમંત્રી હતા. 4 વખત ધારાસભ્ય ચૂંટાયા.

માર્ચ 2014 સુધી અવિભાજિત આંધ્રપ્રદેશના 16માં મુખ્યપ્રધાન રહ્યા હતા

આ વર્ષે માર્ચમાં રેડ્ડીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. સપ્ટેમ્બર 1959 માં જન્મેલા, રેડ્ડીએ 25 નવેમ્બર 2010 થી 01 માર્ચ 2014 સુધી અવિભાજિત આંધ્રપ્રદેશના 16માં મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. 2 જૂન, 2014ના રોજ તેલંગાણા રાજ્યની રચના પહેલા તેઓ સંયુક્ત આંધ્રપ્રદેશના છેલ્લા મુખ્યમંત્રી હતા.

આ પણ વાંચો : Amritpal Singh : બૈસાખી પર આત્મસમર્પણ કરી શકે છે અમૃતપાલ, પંજાબમાં હાઈ એલર્ટ, પોલીસ અધિકારીઓની રજા પણ રદ

બીજેપીમાં જોડાયા બાદ કિરણે કહ્યું કે તેણે રાજ્યના વિકાસ માટે આ પગલું ભર્યું છે. કોંગ્રેસના પૂર્વ નેતા કિરણ કુમાર રેડ્ડીએ દિલ્હીમાં ભાજપમાં જોડાયા બાદ કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે કોંગ્રેસ છોડવી પડશે. રાહુલ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે એક કહેવત છે કે, મારો રાજા ખૂબ જ બુદ્ધિશાળી છે, તે પોતાના વિશે વિચારતો નથી, તે કોઈની સલાહ સાંભળતો નથી.

કિરણ ભ્રષ્ટાચાર સામેની અમારી લડાઈને વધુ મજબૂત બનાવશે: પ્રહલાદ જોશી

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, કિરણ કુમાર રેડ્ડીના પરિવારના ઘણા સભ્યો કોંગ્રેસમાં છે. થોડા સમય પહેલા જ્યારે હું તેમને મળ્યો ત્યારે તેમણે મને કહ્યું કે તેઓ પીએમ મોદીથી પ્રભાવિત છે, તેથી જ તેઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે કિરણ ભ્રષ્ટાચાર સામેની અમારી લડાઈને વધુ મજબૂત બનાવશે કારણ કે ધારાસભ્ય અને મંત્રી તરીકે તેમની ખૂબ જ સ્વચ્છ છબી છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">