AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amritpal Singh : બૈસાખી પર આત્મસમર્પણ કરી શકે છે અમૃતપાલ, પંજાબમાં હાઈ એલર્ટ, પોલીસ અધિકારીઓની રજા પણ રદ

બૈસાખીના અવસર પર અકાલ તખ્તની અપીલ મુજબ અમૃતપાલ સિંહ આત્મસમર્પણ કરી શકે છે. આ પ્રસંગે પંજાબ પોલીસ અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.

Amritpal Singh : બૈસાખી પર આત્મસમર્પણ કરી શકે છે અમૃતપાલ, પંજાબમાં હાઈ એલર્ટ, પોલીસ અધિકારીઓની રજા પણ રદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 9:26 AM
Share

ખાલિસ્તાન તરફી સંગઠન ‘વારિસ પંજાબ દે’નો ભાગેડુ ચીફ અમૃતપાલ સિંહ લગભગ 20 દિવસથી ફરાર છે. પંજાબ પોલીસ હજુ સુધી તેને શોધી શકી નથી. તે બૈસાખીના અવસર પર આત્મસમર્પણ કરી શકે છે ની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન, અમૃતસરમાં અકાલ તખ્ત સાહિબ અને ભટિંડાના તાલ્બો સાબોમાં દમદમા સાહિબના બંને ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

બૈસાખીના અવસર પર અકાલ તખ્તની અપીલ મુજબ અમૃતપાલ સિંહ આત્મસમર્પણ કરી શકે છે. આ પ્રસંગે પંજાબ પોલીસ અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે. અમૃતપાલ સિંહને 7 એપ્રિલે અકાલ તખ્તના જથેદાર ગિયાની હરપ્રીત સિંહ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું.

વરિષ્ઠ અધિકારીઓની રજાઓ રદ કરાઈ

અમૃતપાલ 12 થી 15 એપ્રિલ દરમિયાન દમદમા સાહિબ ખાતે યોજાનાર ધાર્મિક મેળાવડા દરમિયાન આત્મસમર્પણ કરે તેવી અપેક્ષા છે. પંજાબ પોલીસે તેના અધિકારીઓ અને કર્મચારીઓને હાઈ એલર્ટ પર રાખ્યા છે. તમામ વરિષ્ઠ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. જે અધિકારીઓ પહેલાથી રજા પર હતા તેમને પણ ફરજ પર પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે. અધિકારીઓને ઈમરજન્સી વગર રજા ન લેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમૃતપાલને લઈને પત્ની કિરણદીપનું નિવેદન આવ્યું સામે, કહ્યું- તે ધર્મ માટે લડી રહ્યો છે, પણ…

તહેવાર પહેલા 7 એપ્રિલે બેઠક

બૈસાખીના અવસરે આયોજિત કાર્યક્રમ પહેલા અકાલ તખ્ત સાહિબના જથેદાર ગિયાની હરપ્રીત સિંહે 7 એપ્રિલે દમદમા સાહિબ તલવંડી સાબો ખાતે એક વિશેષ બેઠક બોલાવી છે. આ બેઠકમાં ધાર્મિક પ્રચાર અને રાષ્ટ્રીય અધિકારોના રક્ષણમાં શીખ મીડિયાના યોગદાન, વિચારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા, પડકારો અને શીખ મીડિયાની ભાવિ વ્યૂહરચના અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પંથ, પંજાબ અને પંજાબિયતને સમર્પિત દેશ-વિદેશના જથેદારો, શીખ પત્રકારો, નિહંગ બૌદ્ધિકો અને શીખ બૌદ્ધિકો ભાગ લેશે.

કટ્ટરપંથી સંગઠનોનું અમૃતપાલને સમર્થન

આ પહેલા અકાલ તખ્તે 7મી એપ્રિલે બેઠક બોલાવી હતી. બેઠકમાં પંજાબ પોલીસની કાર્યવાહીની પણ ટીકા કરવામાં આવી હતી અને અમૃતપાલના તમામ સમર્થકોને 24 કલાકની અંદર મુક્ત કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. કટ્ટરપંથી શીખ સંગઠનો અમૃતપાલને સમર્થન આપી રહ્યા છે. અકાલી દળ (અમૃતસર)ના વડા અને લોકસભા સાંસદ સિમરનજીત સિંહે તેમને પાકિસ્તાન ભાગી જવાની સલાહ પણ આપી હતી. તે જ સમયે, રાજકીય પક્ષ અકાલી દળે પણ તેમને સમર્થન આપ્યું હતું અને કાયદાકીય મદદ આપવાની જાહેરાત કરી હતી.

Follow Us
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
ખાવા-પીવામાં સાવધાની રાખો, રમત-ગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો
ખાવા-પીવામાં સાવધાની રાખો, રમત-ગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો
g clip-path="url(#clip0_868_265)">