History of Election Ink: શું તમને ખબર છે કે મતદાન દરમિયાન આંગળી પર લગાડવામાં આવતી શાહીનો શું છે ઈતિહાસ? નથી ખબર તો વાંચો આ પોસ્ટ

ચૂંટણીમાં મતદાન કરનારા મતદારોને આંગળી પર વાદળી શાહી લગાવવામાં આવે છે. જે ઘણા દિવસો સુધી કાયમ રહે છે. ભારતીય ચૂંટણીમાં આ શાહીનો ઉપયોગ થયાને 60 વર્ષ થવા જઈ રહ્યા છે. તેના ઉપયોગની વાર્તા પણ રસપ્રદ છે.

History of Election Ink: શું તમને ખબર છે કે મતદાન દરમિયાન આંગળી પર લગાડવામાં આવતી શાહીનો શું છે ઈતિહાસ? નથી ખબર તો વાંચો આ પોસ્ટ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 1:24 PM

જો તમે તમારો મત (Vote) આપી રહ્યા છો, તો તમારી આંગળીઓ પર અમિટ વાદળી શાહી (Election Ink) લગાવવામાં આવે છે. આંગળી પર આ વાદળી શાહીનું નિશાન હવે આપણા ચૂંટણી ચિન્હોમાં ગણવામાં આવે છે. આ ચિહ્ન જણાવે છે કે, કોણે વોટ આપ્યો છે અને કોણે નહી. આ નિશાન 15 દિવસ પહેલા ભૂંસી શકાતું નથી. આ શાહીમાં શું છે (History of Election Ink) અને તેનો ઈતિહાસ શું છે, ચાલો જાણીએ.

ઈતિહાસ

મૈસુર કર્ણાટકમાં આવેલું એક સ્થળ છે. આ સ્થાન પર અગાઉ વાડિયાર વંશનું શાસન હતું. આઝાદી પહેલા તેના શાસક મહારાજા કૃષ્ણરાજા વાડિયાર હતા. વાડિયાર રાજવંશ વિશ્વના સૌથી ધનિક રાજવીઓમાંનો એક હતો. આ રાજવી ઘરની પોતાની સોનાની ખાણ (Gold Mine) હતી. 1937માં કૃષ્ણરાજા વાડિયારે મૈસૂર લેક એન્ડ પેઇન્ટ્સ નામની ફેક્ટરીની સ્થાપના કરી. આ ફેક્ટરીમાં પેઇન્ટ અને વાર્નિશ બનાવવાનું કામ કરવામાં આવતું હતું.

ભારતની આઝાદી બાદ આ ફેક્ટરીને કર્ણાટક સરકારનો અધિકાર મળ્યો. હાલમાં આ ફેક્ટરીમાં કર્ણાટક સરકાર 91 ટકા હિસ્સો ધરાવે છે. 1989 માં આ ફેક્ટરીનું નામ બદલીને મૈસુર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ (Mysore Paint & Varnish Ltd.) કરવામાં આવ્યું.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

પહેલાં શાહી લગાવવાનો કોઈ નિયમ નહોતો

ભારતમાં પ્રથમ ચૂંટણી 1951-52માં યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં મતદારોની આંગળીઓમાં શાહી લગાવવાનો કોઈ નિયમ નહોતો. ચૂંટણી પંચને અન્ય કોઈને મત આપવા અને બે વાર મતદાન કરવાની ફરિયાદો મળી હતી. આ ફરિયાદો બાદ ચૂંટણી પંચે તેને રોકવા માટે અનેક વિકલ્પો પર વિચાર કર્યો હતો. શ્રેષ્ઠ માર્ગએ હતો કે ભૂંસાઈ ના શકે તેવી શાહીનો ઉપયોગ કરવો.

ચૂંટણી પંચે આવી શાહી બનાવવા અંગે નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા (NPL) સાથે વાત કરી હતી. NPLએ એવી શાહીની શોધ કરી હતી, જેને પાણી કે કોઈ રસાયણથી ભૂંસી ન શકાય. NPLએ મૈસુર પેઇન્ટ અને વાર્નિશ કંપનીને આ શાહી બનાવવાનો આદેશ આપ્યો હતો. 1962માં યોજાયેલી ચૂંટણીમાં આ શાહીનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારથી દરેક ચૂંટણીમાં આ શાહીનો જ ઉપયોગ થાય છે.

શાહીમાં સિલ્વર નાઈટ્રેટ ભેળવવામાં આવે છે

NPL અથવા મૈસૂર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડે આ શાહી બનાવવાની પદ્ધતિને ક્યારેય જાહેર કરી નથી. તેનું કારણ જણાવવામાં આવ્યું હતું કે, જો આ ગુપ્ત ફોર્મ્યુલા જાહેર કરવામાં આવશે તો લોકો તેને ભૂંસી નાખવાનો માર્ગ શોધી લેશે અને તેનો હેતુ ખત્મ થઈ જશે. નિષ્ણાંતોના મતે આ શાહીમાં સિલ્વર નાઈટ્રેટ (Silver nitrate) ભેળવવામાં આવે છે. જે ફોટોસેન્સિટિવ પ્રકૃતિની શાહી બનાવે છે. આને કારણે તે સૂર્યના સંપર્કમાં આવતાની સાથે જ વધુ મજબૂત બને છે.

શાહી બાબતે અફવા પણ ફેલાઈ હતી

જ્યારે આ શાહી નખ પર લગાવવામાં આવે છે, ત્યારે તે બ્રાઉન થઈ જાય છે. પરંતુ લગાવ્યા બાદ તે ઘેરા જાંબલી રંગમાં ફેરવાઈ જાય છે. સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે, આ શાહી બનાવવા માટે ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ અફવાઓને ફગાવી દેવામાં આવી હતી. આ શાહી વિવિધ રસાયણોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

શાહી 28 દેશોમાં થાય છે સપ્લાય

મૈસૂર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડના જણાવ્યા અનુસાર, આ શાહી 28 દેશોમાં સપ્લાય કરવામાં આવે છે. તેમાં અફઘાનિસ્તાન, તુર્કી, દક્ષિણ આફ્રિકા, નાઇજીરીયા, નેપાળ, ઘાના, પાપુઆ ન્યુ ગિની, બુર્કિના ફાસો, બુરુન્ડી, કેનેડા, ટોગો, સિએરા લિયોન, મલેશિયા, માલદીવ અને કંબોડિયાનો સમાવેશ થાય છે. ભારત આ શાહીનો સૌથી મોટો ઉપભોક્તા છે. ભારતમાં આ શાહી લાકડાની સળી વડે આંગળી પર લગાવવામાં આવે છે. જ્યારે કંબોડિયા અને માલદીવ્સમાં આંગળીને જ શાહીમાં ડુબાડવામાં આવે છે. આ શાહી અફઘાનિસ્તાનમાં પેન સાથે, તુર્કીમાં નોઝલ સાથે, બુર્કિના ફાસો અને બુરુન્ડીમાં બ્રશ સાથે લગાવવામાં કરવામાં આવે છે.

સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે આ શાહી કેટલા દિવસ સુધી ઝાંખી પડતી નથી. મૈસૂર પેઇન્ટ અને વાર્નિશ કંપનીએ કહ્યું કે, 15 દિવસ પહેલા આ શાહીને કોઈપણ રીતે ભૂંસી શકાય તેમ નથી.

આ પણ વાંચો: Uttar Pradesh Assembly Election Voter Slip: મતદાર સ્લીપ કેવી રીતે ડાઉનલોડ કરવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આ પણ વાંચો: National Voters Day: શા માટે મનાવવામાં આવે છે મતદાર દિવસ, જાણો શું છે તેનો હેતુ?

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">