Karnataka Assembly Election: સોનિયા ગાંધીનું નિવેદન ભારતને તોડવાનું ઊંડું કાવતરું: અનુરાગ ઠાકુર
કેન્દ્રીય મંત્રી ઠાકુર કહે છે કે સોનિયા ગાંધી કે તેમની પાર્ટીએ ક્યારેય ભારતને એક રાષ્ટ્ર તરીકે સ્વીકાર્યું નથી. ભાજપે ચૂંટણી પંચને સોનિયા ગાંધીની ટિપ્પણી બદલ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપવા પણ કહ્યું છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક રેલીને સંબોધી હતી. પોતાના સંબોધનની ક્લિપ શેર કરતા કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું કે સોનિયા ગાંધીએ 6.5 કરોડ કન્નડ લોકોને કડક સંદેશ આપ્યો છે. પાર્ટીએ આગળ લખ્યું કે કોંગ્રેસ કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ કે અખંડિતતા માટે કોઈને પણ ખતરો ઉભો કરવાની મંજૂરી આપશે નહીં. આ નિવેદનના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
આ પણ વાચો: Karnataka Election: PM મોદીએ બદલ્યો કર્ણાટક ચૂંટણીનો મૂડ, 2 અઠવાડિયામાં કરી 16 રેલી, 6 રોડ શો
અનુરાગ ઠાકુરે દાવો કર્યો હતો કે સોનિયા ગાંધીની ટિપ્પણી ભારતને તોડવાના કોંગ્રેસના ઊંડા કાવતરાનો ઘટસ્ફોટ છે. ઠાકુરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરીને સોનિયા ગાંધી સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. ઠાકુરે ટ્વિટર પર લખ્યું કે કર્ણાટકની સાર્વભૌમત્વનો હવાલો આપીને સોનિયા ગાંધીએ ભારતને તોડવાના કોંગ્રેસના ઊંડા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.
અલગ રાજ્યના ધ્વજની ડિઝાઈનને મંજૂરી આપી હતી
કેન્દ્રીય મંત્રી ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, લોકો ભૂલી નથી ગયા કે કેવી રીતે કોંગ્રેસ સરકારે જનતાની ભાવનાની વિરુદ્ધ જઈને ‘એક રાષ્ટ્ર, એક ધ્વજ’ અને કર્ણાટક માટે અલગ ધ્વજ પ્રત્યેની ભાજપની નિષ્ઠાનો તોફાની રીતે મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. વાસ્તવમાં કેન્દ્રીય મંત્રી ઠાકુરે વર્ષ 2018નો ઉલ્લેખ કર્યો હતો. 2018ની વિધાનસભા ચૂંટણી પહેલા, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે કર્ણાટક માટે અલગ રાજ્યના ધ્વજની ડિઝાઇનને મંજૂરી આપી હતી અને કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો હતો.
By referring to ‘Karnataka’s sovereignty’, Sonia Gandhi Ji, you have revealed the Congress’s deep conspiracy to disintegrate India.
People have not forgotten how the Congress government, going against public sentiment, mischievously introduced a separate flag for Karnataka to…
— Anurag Thakur (@ianuragthakur) May 8, 2023
સોનિયા ગાંધી વિરુદ્ધ FIR દાખલ થવી જોઈએ
કેન્દ્રીય મંત્રી ઠાકુર કહે છે કે સોનિયા ગાંધી કે તેમની પાર્ટીએ ક્યારેય ભારતને એક રાષ્ટ્ર તરીકે સ્વીકાર્યું નથી. કન્નડ લોકો કોંગ્રેસનો ગેમ પ્લાન ખતમ કરી દેશે. તે જ સમયે, ભાજપે ચૂંટણી પંચને તેમની ટિપ્પણી માટે સોનિયા ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપવા પણ કહ્યું છે. ફરિયાદ દાખલ કરનાર કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીએ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…