AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધીનું મોટુ નિવેદન, “ગુજરાતમાં કોંગ્રેસ જીતશે ચૂંટણી, AAP તો માત્ર હવા છે”

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ નિવેદન આપ્યુ છે કે ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ લોકોમાં મોટા પાયે એન્ટી ઈન્કમ્બન્સી છે અને આમ આદમી પાર્ટી માત્ર જાહેરાતોના આધારે ધૂમ મચાવી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધીનું મોટુ નિવેદન, ગુજરાતમાં કોંગ્રેસ જીતશે ચૂંટણી, AAP તો માત્ર હવા છે
Rahul Gandhi (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 9:18 PM
Share

ગુજરાતની આગામી ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે. એક ચર્ચામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ લોકોમાં મોટાપાયે એન્ટિ-ઈન્કમ્બન્સી છે અને આમ આદમી પાર્ટી જાહેરાતોના આધારે ધૂમ મચાવી રહી છે. આમ આદમી પાર્ટીને કોઈ ગ્રાઉન્ડ સપોર્ટ નથી. તેમણે કહ્યું કે, ‘અમે એક મજબૂત પાર્ટી તરીકે ગુજરાતમાં છીએ.’ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન તેલંગાણામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી.

રાહુલ ગાંધીએ પત્રકારો સાથેની ચર્ચા દરમિયાન કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતની ચૂંટણી પુરી તાકાતથી લડશે અને જીત પણ મેળવશે. આ સાથે જ આમ આદમી પાર્ટીના સવાલ પર તેમણે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટી માત્ર હવામાં છે, ગ્રાઉન્ડ પર તેમની પાસે કંઈ નથી.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘ગુજરાતમાં મોટા પાટે એન્ટી-ઈન્કમ્બન્સી છે. આમ આદમી પાર્ટી માત્ર તેની જાહેરાતોથી ધૂમ મચાવી છે. કોંગ્રેસ એક મજબૂત પાર્ટી છે અને ગુજરાતની ચૂંટણીમાં જીત કોંગ્રેસ જ જીત મેળવશે’

ભાજપ વિભાજન કરી રહી છે, અમે જોડી રહ્યા છીએ

રાહુલે કહ્યું, દેશમાં બે વિચારધારાઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એક જે દેશના ભાગલા પાડવાની રાજનીતિ કરી રહ્યા છે અને બીજા દેશને એક કરવાની કોશિશ કરી રહ્યા છે. આ બંને વચ્ચેની રેખા ખૂબ જ સ્પષ્ટ છે. એ જરૂરી છે કે વિપક્ષે એકસાથે મળીને કામ કરવુ પડશે, જેથી આરએસએસ અને ભાજપની વિચારધારાને હરાવી શકાય.

રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ સામાન્ય રીતે જોશો તો આમ તો એક રાજકીય પાર્ટી છે. આ પાર્ટીને જોવાનો આ એક સાર્વત્રિક રીત છે. પરંતુ વાસ્તવમાં ભાજપ એક મજબુત લાગણી છે જે ભાજપ અને આરએસએસની નેતૃત્વમાં જોવા મળે છે. તેને ધ્યાનથી જોવામાં આવે તો તે નફરત ફેલાવનારી લાગણી છે. તે માત્ર નફરતની વિચારધારાનો પ્રચાર કરે છે.

ભયના બે અલગ અલગ પ્રકાર

રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં સાવરકર અને ગોલવેલકરનું નામ પણ લીધું હતું. તેણે કહ્યું, ‘મેં સાવરકર અને ગોલવેલકર વિશે વાંચ્યું છે. તમે પણ વાંચશો તો ખબર પડશે કે આ નફરત નથી. પરંતુ ભય છે. તે એ ભયથી ડરેલા છે.

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">