અમદાવાદમાંથી એકમાત્ર જગદીશ પંચાલ બીજીવાર બન્યા સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન

ઓગસ્ટ 2022માં પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો પરત લઈને ભૂપેન્દ્ર પટેલે, જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગનો વધારાનો હવાલો સોપ્યો હતો. 2022ની ચૂંટણીમાં નિકોલ વિધાનસભા બેઠક પરથી જગદીશ પંચાલનો કોંગ્રેસના રણજીત બારડ સામે 54 હજાર કરતા વધુ મતથી ભવ્ય વિજય થયો હતો.

અમદાવાદમાંથી એકમાત્ર જગદીશ પંચાલ બીજીવાર બન્યા સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન
Jagdish Panchal, Minister with Independent Charge of State
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2022 | 5:18 PM

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની બીજીવારની સરકારમાં, અમદાવાદ શહેર અને જિલ્લામાંથી એકમાત્ર નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તો જગદીશ પંચાલ પૂર્વ અમદાવાદના નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી સતત ત્રીજીવાર જીત્યાં છે. જગદીશ પંચાલ, ભૂપેન્દ્ર પટેલની ગત સરકારમાં પણ રાજ્યકક્ષાના કુટીર ઉદ્યોગ પ્રધાન તરીકે હતા. તો ભૂપેન્દ્ર પટેલની બીજીવારની સરકારમાં પણ જગદીશ પંચાલ (વિશ્વકર્મા) ને સ્થાન આપવામાં આવ્યું છે.

ઓગસ્ટ 2022માં પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો પરત લઈને ભૂપેન્દ્ર પટેલે, જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગનો વધારાનો હવાલો સોપ્યો હતો. 2022ની ચૂંટણીમાં નિકોલ વિધાનસભા બેઠક પરથી જગદીશ પંચાલનો કોંગ્રેસના રણજીત બારડ સામે 54 હજાર કરતા વધુ મતથી ભવ્ય વિજય થયો હતો.

જગદીશ પંચાલ અમદાવાદ શહેરની નિકોલ વિધાનસભા બેઠક પરથી 2012, 2017 અને 2022માં ભારે મતની સરસાઈથી જીતતા આવ્યા છે. જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. અમદાવાદ શહેરના પ્રમુખ પૂર્વે તેઓ ગુજરાત ભાજપમાં ઉદ્યોગ સેલના કન્વીનર તરીકે પણ સારી કામગીરી કરી ચૂક્યા છે. 1988માં ઠક્કરબાપાનગર વિસ્તારમાં બુથ પ્રભારી તરીકે ભાજપમાં રાજકીય સફર શરૂ કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નિકોલનુ રાજકીય ગણિત

વિધાનસભા મતવિસ્તારના નવા સિમાકનથી નિકોલ બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ સતત આ બેઠક ઉપર ભાજપનો વિજય થતો આવ્યો છે. 2012ની ચૂંટણીમાં ભાજપના જગદીશ પંચાલે, કોંગ્રેસના નરસિંહ પટેલને 49,302 મતે હરાવ્યા હતા. જગદીશ પંચાલને 88,886 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના નરસિંહ પટેલને 39,584 મત મળ્યા હતા. જો કે, નરસિંહ પટેલ 2017ની ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. 2017ની ચૂંટણીમાં જગદીશ પંચાલે કોંગ્રેસના ઉમેદવાર અને યુવક કોંગ્રેસના પૂર્વ યુવા પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહીલને હરાવ્યા હતા. જગદીશ પંચાલને 2017ની ચૂંટણીમાં 87764 મત મળ્યાં હતા. જ્યારે ઈન્દ્રવિજયસિંહ ગોહીલને 62884 મત મળ્યાં હતા. 2012ની ચૂંટણીની સરખામણીએ 2017ની ચૂંટણીમાં ભાજપની જીતની સરસાઈ ઘટી હતી. 24880 મતે ભાજપનો વિજય થયો હતો. ભાજપની સરસાઈ ઘટવા પાછળ પાટીદાર અનામત આંદોલનની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">