AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ચૂંટણીનો જંગ જીતવા ભાજપે કમરકસી, દિલ્લીમાં PM આવાસ ખાતે મળી મહત્વની બેઠક

દિલ્લીમાં PM આવાસ ખાતે મળેલી બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, (AMit shah) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

Gujarat Election 2022 : ચૂંટણીનો જંગ જીતવા ભાજપે કમરકસી, દિલ્લીમાં PM આવાસ ખાતે મળી મહત્વની બેઠક
Gujarat Election 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 8:03 AM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવતા જ દરેક રાજકીય પાર્ટી એક્શનમાં જોવા મળી રહી છે. દિવાળી બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે. આ બધાની વચ્ચે ભાજપ (BJP)  એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે દિલ્લીમાં PM (PM Narendra modi) આવાસ ખાતે ભાજપની મહત્વની બેઠક મળી હતી. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ, (AMit shah) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સાડા ત્રણ કલાક વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

ચૂંટણી માટે ભાજપનો ‘માસ્ટર પ્લાન’

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં મિશન 182ના મિશનને સાર્થક કરવા ભાજપના કેન્દ્રીય નેતાઓથી માંડી એક-એક કાર્યકર્તા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. મતદારો સુધી પહોંચવા ભાજપ દ્વારા એક પછી એક આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું (Gujarat Gaurav Yatra) આયોજન કરવામાં આવ્યુ છે. આ યાત્રા 20 ઓક્ટોબર સુધી ચાલશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (J. P. Nadda) આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે,ત્યારે આ વખતે ભાજપ (Gujarat BJP) પણ સત્તા કાયમી રાખવા શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. ભાજપ 5 તબક્કાની યાત્રામાં 144 બેઠક આવરી લેવામાં આવશે. 5734 કિમીની યાત્રામાં 145 જાહેરસભા યોજાશે. જો વિગતે વાત કરીએ તો આ યાત્રાનો બહુચરાજી અને દ્વારકાથી પ્રારંભ થશે. બહુચરાજીથી માતાના મઢ સુધી આ યાત્રા જશે. તો બીજી બાજુ દ્વારકાથી પોરબંદર (Porbandar) સુધી યાત્રા યોજાશે. તમને જણાવી દઈએ કે, આ ગૌરવ યાત્રા આગામી 20 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં ભાજપે 5 કેન્દ્રીય પ્રધાનોના શીરે યાત્રાની જવાબદારી થોપી છે. પ્રથમ તબક્કાની યાત્રા 9 દિવસમાં 9 જિલ્લામાંથી પસાર થશે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">