AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: વડોદરાની વાઘોડિયા બેઠક પર ચૂંટણી નહીં લડે મધુ શ્રીવાસ્તવ, જાણો શું કારણ જણાવ્યુ

Gujarat Election: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કેટલાક ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જો કે ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની એકપણ યાદી જાહેર કરવામાં આવી નથી. ઉમેદવારોના નામ પર અંતિમ ચર્ચા કરી દેવામાં આવી છે.

Gujarat Election: વડોદરાની વાઘોડિયા બેઠક પર ચૂંટણી નહીં લડે મધુ શ્રીવાસ્તવ, જાણો શું કારણ જણાવ્યુ
મધુ શ્રીવાસ્તવ ચૂંટણી નહીં લડે
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 2:26 PM
Share

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. વિવિધ રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવવાની કામગીરીમાં જોતરાઇ ગયા છે. ચૂંટણી માટે ફોર્મ ભરાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કેટલાક ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જો કે ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની એકપણ યાદી જાહેર કરવામાં આવી નથી. ઉમેદવારોના નામ પર અંતિમ ચર્ચા કરી દેવામાં આવી છે. જો કે સત્તાવાર રીતે આ નામોની યાદી જાહેર કરવામાં આવી નથી. આ દરમિયાન વડોદરાની વાઘોડિયા બેઠક પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.

મારી પત્ની પણ નહીં લડે ચૂંટણી: મધુ શ્રીવાસ્તવ

વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ઉમેદવારી નહીં કરે તેવી જાહેરાત કરી છે. આ અગાઉ તેમણે તેઓ નહીં પણ તેમના પત્ની ચૂંટણી લડશે તેવું જણાવ્યુ હતુ. જો કે હવે તેમણે પત્નીને ટિકિટ આપવા બાબતે ફેરવી તોડતા કહ્યું છે કે- તેમણે મશ્કરીમાં કહ્યું હતું કે તેઓ પોતે નહીં તો તેમના પત્ની ચૂંટણી લડશે.. પરંતુ ભાજપમાં કોઈ સગાને ટિકિટ આપવાની ના પાડેલી છે.. જેથી ટિકિટનો સવાલ જ નથી ઉભો થતો. તેમણે કહ્યું કે- તેઓ ભાજપમાં છે અને ભાજપના સેવક બનીને જ રહેવાના છે.

અપક્ષમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ દાવેદારી નોંધાવી

તો આ તરફ વાઘોડીયા બેઠક પર 2017માં અપક્ષમાંથી દાવેદારી કરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ દાવેદારી નોંધાવી છે. મહત્નું છે કે, 2017માં મધુ શ્રીવાસ્તવ સામે અપક્ષમાંથી ચૂંટણી લડનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 52 હજાર મત મળ્યા હતા જ્યારે મધુ શ્રીવાસ્ત્વને 63 હજાર મત મળ્યા હતા અને ગત વિધાનસભાની ચૂંટણી હાર બાદ પણ મત ક્ષેત્રમાં સક્રિય રહીને મધુ શ્રીવાસ્તવને સતત પડકાર આપી રહ્યા છે.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">