AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: વડોદરાની વાઘોડિયા બેઠક પર ચૂંટણી નહીં લડે મધુ શ્રીવાસ્તવ, જાણો શું કારણ જણાવ્યુ

Gujarat Election: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કેટલાક ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જો કે ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની એકપણ યાદી જાહેર કરવામાં આવી નથી. ઉમેદવારોના નામ પર અંતિમ ચર્ચા કરી દેવામાં આવી છે.

Gujarat Election: વડોદરાની વાઘોડિયા બેઠક પર ચૂંટણી નહીં લડે મધુ શ્રીવાસ્તવ, જાણો શું કારણ જણાવ્યુ
મધુ શ્રીવાસ્તવ ચૂંટણી નહીં લડે
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 2:26 PM
Share

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. વિવિધ રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવવાની કામગીરીમાં જોતરાઇ ગયા છે. ચૂંટણી માટે ફોર્મ ભરાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કેટલાક ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જો કે ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની એકપણ યાદી જાહેર કરવામાં આવી નથી. ઉમેદવારોના નામ પર અંતિમ ચર્ચા કરી દેવામાં આવી છે. જો કે સત્તાવાર રીતે આ નામોની યાદી જાહેર કરવામાં આવી નથી. આ દરમિયાન વડોદરાની વાઘોડિયા બેઠક પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.

મારી પત્ની પણ નહીં લડે ચૂંટણી: મધુ શ્રીવાસ્તવ

વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ઉમેદવારી નહીં કરે તેવી જાહેરાત કરી છે. આ અગાઉ તેમણે તેઓ નહીં પણ તેમના પત્ની ચૂંટણી લડશે તેવું જણાવ્યુ હતુ. જો કે હવે તેમણે પત્નીને ટિકિટ આપવા બાબતે ફેરવી તોડતા કહ્યું છે કે- તેમણે મશ્કરીમાં કહ્યું હતું કે તેઓ પોતે નહીં તો તેમના પત્ની ચૂંટણી લડશે.. પરંતુ ભાજપમાં કોઈ સગાને ટિકિટ આપવાની ના પાડેલી છે.. જેથી ટિકિટનો સવાલ જ નથી ઉભો થતો. તેમણે કહ્યું કે- તેઓ ભાજપમાં છે અને ભાજપના સેવક બનીને જ રહેવાના છે.

અપક્ષમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ દાવેદારી નોંધાવી

તો આ તરફ વાઘોડીયા બેઠક પર 2017માં અપક્ષમાંથી દાવેદારી કરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ દાવેદારી નોંધાવી છે. મહત્નું છે કે, 2017માં મધુ શ્રીવાસ્તવ સામે અપક્ષમાંથી ચૂંટણી લડનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 52 હજાર મત મળ્યા હતા જ્યારે મધુ શ્રીવાસ્ત્વને 63 હજાર મત મળ્યા હતા અને ગત વિધાનસભાની ચૂંટણી હાર બાદ પણ મત ક્ષેત્રમાં સક્રિય રહીને મધુ શ્રીવાસ્તવને સતત પડકાર આપી રહ્યા છે.

Follow Us
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
g clip-path="url(#clip0_868_265)">