AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: AAP નેતા ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામથી લડશે ચૂંટણી, CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આપી માહિતી

ગુજરાતમાં ભાજપ હજુ પણ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવવામાં લાગી છે. જો કે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી ના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડશે.

Gujarat Election: AAP નેતા ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામથી લડશે ચૂંટણી, CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આપી માહિતી
આપ નેતા ગોપાલ ઇટાલિયાImage Credit source: Tv9 Gfx
Baldev Suthar
| Edited By: | Updated on: Nov 09, 2022 | 10:38 AM
Share

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. કુલ બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. ત્યારે હવે ગુજરાતની ચૂંટણીના મેદાનમાં એક પછી એક ઉમેદવારો ઝંપલાવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં વિવિધ રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોને જીતાડવા સક્રિય બની ગયા છે. ગુજરાતમાં ભાજપ હજુ પણ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવવામાં લાગી છે. જો કે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી ના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડશે.

કતારગામ વિસ્તાર બેઠક પર દાવેદારી નોંધાવી શકે

ગુજરાત વિધાનસભા ઇલેક્શનની અંદર સુરત આવનારા દિવસની અંદર એપી સેન્ટર બની રહે તો નવાઈ નહીં. કારણકે વરાછા અને કતારગામ બેઠક ઉપર પાટીદાર ગઢની અંદર રસાકસી જોવા મળી રહી છે. જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે ગોપાલ ઇટાલીયા પાટીદાર વિસ્તાર એટલે કે કતારગામ વિસ્તાર બેઠક પર દાવેદારી નોંધાવી છે. આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા ટ્વીટ કરીને સત્તાવાર જાહેરાત કરી દેવાઇ છે. ત્યાં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા કરંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે.  લાંબા સમયથી ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા ગુજરાતમાં કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ હતું, ત્યારે આ સવાલ પરથી આજે પડદો ઉચકાયો છે.

અલ્પેશ કથીરિયાની નિમણૂક થતાની સાથે જ પ્રચાર શરુ

જે રીતે માહિતી મળી રહે છે તે પ્રમાણે આવનારા દિવસોની અંદર ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઈને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી પ્રચાર કરવામાં કોઈ કચાસ નહીં રાખે અને વરાછા બેઠકની અંદર પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાની નિમણૂક થતાની સાથે જ પ્રચાર જોર શોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે.

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
g clip-path="url(#clip0_868_265)">