Gujarat Election 2022 : અમદાવાદમા રન ફોર વોટ દ્વારા અચૂક મતદાનનો સંદેશ અપાયો, 15,000 રમતવીરોએ ભાગ લીધો

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે આજે અમદાવાદના રિવરફ્રન્ટ વલ્લભસદન ખાતે 'અવસર લોકશાહી નો' અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે યોજાયેલ મેગા મેરેથોન દોડને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ મેગા મેરેથોન દોડમાં આશરે 15,000 દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લઈને 'રન ફોર વોટ'ના સૂત્ર સાથે અચૂક મતદાનનો સંદેશ અમદાવાદના નાગરિકો સુધી પહોંચાડ્યો હતો.

Gujarat Election 2022 : અમદાવાદમા રન ફોર વોટ દ્વારા અચૂક મતદાનનો સંદેશ અપાયો, 15,000 રમતવીરોએ ભાગ લીધો
Ahmedabad Run For Vote
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 27, 2022 | 4:48 PM

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે આજે અમદાવાદના રિવરફ્રન્ટ વલ્લભસદન ખાતે ‘અવસર લોકશાહી નો’ અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે યોજાયેલ મેગા મેરેથોન દોડને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ મેગા મેરેથોન દોડમાં આશરે 15,000 દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લઈને ‘રન ફોર વોટ’ના સૂત્ર સાથે અચૂક મતદાનનો સંદેશ અમદાવાદના નાગરિકો સુધી પહોંચાડ્યો હતો. જેમાં રિવર ફ્રન્ટ ખાતે યોજાયેલ રન ફોર વોટ મેગા મેરેથોન દોડમાં વિવિધ શાળાના શિક્ષક. આચાર્ય. સંચાલકો. પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ, સિવિલ ડિફેન્સ અને કલેકટર કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓના કર્મચારી ઓ અને નાગરિકો જોડાયા હતા. અને મતદાન જાગૃતિનો સંદેશ આપતા વિવિધ પોસ્ટર અને બેનર સહિત દોડવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

લોકશાહીના આ ઉત્સવમાં  નાગરિકોને મતદાન કરવા અપીલ

આ મેગા મેરેથોન દોડ પ્રસંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડૉ. ધવલ પટેલે જણાવ્યું કે, મહત્તમ લોકો મતદાન કરે તેની જાગૃતિ માટે આ મેગા મેરેથોન દોડનું આજે આયોજન કરવામાં આવ્યું છે. લોકશાહીના આ ઉત્સવમાં તમામ નાગરિકો ઉત્સાહભેર ભાગ લે અને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે એ આપણે સુનિશ્ચિત કરવાનું છે. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો પોતાનો વોટ અવશ્ય કરે તેમજ અચૂકપણે મતદાન કરે એવો તેમણે અનુરોધ કર્યો હતો.

નિષ્પક્ષ મતદાનના સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા

મેરેટજોન દરમિયાન મતદાન જાગૃતિ અભિયાન-સ્વીપ (SWEEP)ના મુખ્ય નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા મતદાનનું મહત્ત્વ સમજાવવા સાથે સ્વાગત પ્રવચન આપી માહિતી પૂરી પાડવામાં આવી હતી. જે કાર્યક્રમમા સ્વીપના આસિસ્ટન્ટ નોડલ ડૉ. એમ.આર. કુરેશી દ્વારા ઉપસ્થિતોને ” હું ભારતના બંધારણને સાક્ષી માનીને શપથ લઉં છું કે , આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં હું કોઈ પણ ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઈ પણ રીતે પ્રલોભિત થયા સિવાય, અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઊજવીશ’ શબ્દો સાથે અચૂક અને નિષ્પક્ષ મતદાનના સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ મેરેથોનમાં નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ, અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભરત વાઢેર, શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈ, આઈ.કે. પટેલ, નોડલ ઓફિસર જે.કે. પટેલ, ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ અને યુથ નોડલ ઓફિસર ડો.યોગેશ પારેખ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમનું સંચાલન મધુબહેન મોદી અને ડી. એચ અમીન દ્વારા કરવામાં આવ્યું હતું.

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">