AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત ચૂંટણી 2022: આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગજવશે ચાર સભા

Gujarat Election 2022: આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સભાઓ ગજવશે. પીએમ મોદી પાલિતાણા, અંજાર, જામનગર અને રાજકોટમાં જંગી જનસભા સંબોધશે અને ભાજપની તાકાત મજબુત કરવા માટે મતદારોને રિઝવવા પ્રયાસ કરશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 11:52 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાન તેમના હાથમાં લીધી છે. જેમા તેઓ તાબડતોબ ચૂંટણીસભાઓ સંબોધી રહ્યા છે. આવતીકાલે પીએમ મોદી મિશન સૌરાષ્ટ્ર પર છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. પ્રથમ તબક્કાની ચૂંટણીની બેઠકો પર PM મોદીનો આ છેલ્લો પ્રચાર રહેશે. PM મોદી ભાવનગરના પાલીતાણામાં બપોરે 12.15 કલાકે જનસભા સંબોધશે. ત્યારબાદ બપોરે 2:45એ અંજારમાં, 4:30 કલાકે જામનગરમાં અને સાંજે 6:30 કલાકે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભામાં સંબોધશે. આ સભામાં PM મોદી મતદારોનો મત જીતવા પ્રયાસ કરશે.

વડાપ્રધાને સુરતમાં કર્યો 27 કિલોમીટર લાંબો રોડ શો

આજના પ્રચારની વાત કરીએ આજના દિવસમાં પીએમ મોદીએ એક જ દિવસમાં ત્રણ મેરેથોન સભા ગજવી હતી. જેમાં આતંકવાદ, તુષ્ટિકરણ સહિતના મુદ્દે વિપક્ષ પર વાર કર્યા હતા. ભરૂચના નેત્રંગમાં જંગી જાહેરસભાને સંબોધી ભાજપે જાહેર કરેલા સંકલ્પ મુજબ ગુજરાતના સર્વાંગી વિકાસનો નિર્ધાર વ્યક્ત કર્યો. સાથે જ આદિવાસીઓના વિકાસ મુદ્દે ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ખેડાના મહેમદાબાદમાં આતંકવાદ મુદ્દે મોદીએ કોંગ્રેસ અને અન્ય પક્ષો પર સણસણતા ચાબખાં માર્યા હતા. અને કહ્યુ કે, “તુષ્ટિકરણની રાજનીતિ કરનારા દરેક પક્ષો આતંકવાદીઓના સમર્થક છે”. તો બીજી તરફ સુરતના વરાછામાં 27 કીમીનો મેગા રોડ શો કર્યો હતો. અને જંગી જાહેર સભા યોજી PM મોદીએ તમામ રેકોર્ડ તોડવાની વાત કરી હતી.

કેન્દ્ર  સરકાર આતંકવાદને ડામવામાં પુરી તાકાત સાથે કામ કરી રહી છે.

પીએમ મોદીએ સુરતમાં મોટા વરાછામાં તેમની ચૂંટણી સભા દરમિયાન જણાવ્યુ કે બહુ મહેનત બાદ અમે ગુજરાતને આતંકવાદથી મુક્ત રાખ્યુ છે. બચાવીને રાખ્યુ છે. અમે હજુ 14 વર્ષ પહેલા થયેલા દેશના સૌથા મોટા આતંકી હુમલાની યાદ આવે છે. તત્કાલિન સરકારે આતંકવાદીઓને બચાવી હિંદુઓને આતંકી સાબિત કરવામાં લાગેલી હતી. આજે ભાજપ સરકાર રાજ્યમાં હોય કે કેન્દ્ર  સરકારઆતંકવાદને ડામવામાં પુરી તાકાત સાથે કામ કરી રહી છે.

દેશના 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપવાનુ કામ કર્યુ- પીએમ મોદી

વડાપ્રધાને કહ્યુ  કોરોનાની આટલી મોટી મહામારી સમયે ગરીબોના ઘરમાં ચૂલો સળગતો રહે તેના માટે મફત રાશન આપવાનું કામ કર્યુ. મફત વેક્સિન આપવાનુ કામ કર્યુ. આજે દેશના 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપી રહી છે. જેની પાછળ 3 લાખ કરોડ મફત રાશન પાછળ ખર્ચી રહ્યા છે. દુનિયાના 125 દેશની કુલ વસ્તી કરતા વધુ 3 લાખ કરોડનું મફત અનાજ છેલ્લા ત્રણ વર્ષથી પહોંચાડવામાં આવી રહ્યુ છે. જેના માટે સાડા બાર હજાર કરોડ રૂપિયા ખર્ચ સરકારે કર્યો છે.ૉ

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">