Gujarat Election 2022 : વનવાસીઓ માટે ડબલ એન્જિન સરકારે અનેક વિકાસ કાર્યો ઝડપભેર પૂર્ણ કર્યા : સીએમ ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે. ત્યારે હવે પોતાના પક્ષના પ્રચાર માટે વિવિધ પક્ષના દિગ્ગજ નેતાઓએ ગુજરાત પ્રવાસ શરુ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વલસાડ અને ભાવનગર જિલ્લાની મુલાકાતે છે. તેવો વલસાડના નાનાપોંઢા ખાતે જનસભાને સંબોધિત કરવાના છે.  જો કે આ પૂર્વે ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

Gujarat Election 2022 : વનવાસીઓ માટે ડબલ એન્જિન સરકારે અનેક વિકાસ કાર્યો ઝડપભેર પૂર્ણ કર્યા : સીએમ ભૂપેન્દ્ર પટેલ
Gujarat CM Bhupendra PatelImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2022 | 11:15 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે. ત્યારે હવે પોતાના પક્ષના પ્રચાર માટે વિવિધ પક્ષના દિગ્ગજ નેતાઓએ ગુજરાત પ્રવાસ શરુ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વલસાડ અને ભાવનગર જિલ્લાની મુલાકાતે છે. તેવો વલસાડના નાનાપોંઢા ખાતે જનસભાને સંબોધિત કરવાના છે.  જો કે આ પૂર્વે ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.  સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું  કે  વનવાસીઓ માટે ડબલ એન્જિન સરકારે વિકાસ કાર્યો ઝડપભેર પૂર્ણ કર્યા છે.

નાનાપોંઢામાં યોજાયેલી ભાજપની સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યુ કે, નરેન્દ્ર મોદી વિકાસનો પર્યાય છે. સૌને ભરોસાની ભાજપ સરકાર પર વિશ્વાસ છે. વડાપ્રધાને વનબંધુઓ માટે સારી યોજનાઓ બનાવી છે. આદિવાસી વિસ્તારોમાં સારા રસ્તાઓ બનાવ્યા છે.

ગુજરાતમાં લોકો શાંતિથી વેપાર કરી શકે છે

જ્યારે નાનાપોંઢામાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, આ ચૂંટણી ન ભુપેન્દ્ર લડે છે કે ન તો નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો ગુજરાતની જનતા લડી રહી છે. આ વિસ્તાર મારા માટે નવો નથી. અહીં મે વર્ષો રહીને અનેક પ્રવાસો કર્યા. અમે અહીં સાઇકલ લઇને આવતા હતા. PM મોદી  કહ્યુ કે,  બે દાયકા પહેલા ગુજરાતમાં નિરાશાનું વાતાવરણ હતુ. ભૂકંપ  પછી  લોકોને એવુ હતુ કે ગુજરાત ક્યારેય ઊભુ નહીં થાય. એક સમય હતો જ્યારે વારંવાર હિંસા થતી. આજે ગુજરાતમાં લોકો શાંતિથી વેપાર કરી શકે છે. નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઇએ, તેના માટે મારે કામ કરવું છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંથી દુનિયાભરમાં સામાન પહોંચે છે

પીએમએ જનસભા સંબોધતા જણાવ્યુ તે અમે મા નર્મદાના પાણીથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પાણી પહોંચાડ્યુ છે. એક સમયે હેડપંપ બનાવડાવે ત્યારે પેંડા વહેચાતા હતા. આજે ઘરે ઘરે પાઇપલાઇનથી પાણી પહોંચાડ્યુ છે. તો બંદરોનો વિકાસ પણ કર્યો, કનેક્ટિવીટી વધારી. માછીમારો માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરી છે. આજે ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંથી દુનિયાભરમાં સામાન પહોંચે છે. જેના કારણે રોજગારી પણ ઊભી થઇ છે.

વડાપ્રધાને જણાવ્યુ કે, દિલ્હીમાં આજે અમે વિકાસ માટે કામ કરી રહ્યા છે. તમે કહ્યુ દિલ્હી જાઓ એટલે દિલ્હી આવ્યા છીએ. રાષ્ટ્રના વિકાસ માટે જ ગુજરાતનો વિકાસ એ ભાવના સાથે જ કામ કર્યુ છે. આપણે કઇક મેળવવા માટે હાથ આગળ નથી કર્યો,મદદ કરવા માટે આગળ કર્યો છે.  તેમણે કહ્યુ કે, ભાજપ નવા લોકોને સતત આગળ કરે છે. રાષ્ટ્રના વિકાસ માટે ગુજરાતના વિકાસની ભાવના સાથે જ આપણે સતત કામ કરતાં આવ્યા છીએ.

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">