AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણીને લઇ ભાજપ 365 દિવસ એક્શન મોડમાં ! હવે 5 રાજ્યના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે આવશે ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Election) ભાજપે બ્યુગલ ફૂંકી દીધુ છે. જુદા-જુદા 5 રાજ્યોના કાર્યકરોને ચૂંટણી પ્રચાર (Gujarat election)  ની જવાબદારી આપવામાં આવી છે.

ચૂંટણીને લઇ ભાજપ 365 દિવસ એક્શન મોડમાં !  હવે 5 રાજ્યના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે આવશે ગુજરાત
Gujarat Election 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 11:06 AM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election)જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષો પણ સજ્જ થઈ ગયા છે. ભાજપ (Gujarat BJP) અને કોંગ્રેસ સાથે AAP પણ મેદાનમાં ઉતર્યું છે તો PM મોદી અને અમિત શાહ (Amit shah)સહિતના દિગ્ગજ નેતાઓના પ્રવાસ પણ વધ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપે તૈયારીઓ આરંભી છે. જુદા-જુદા 5 રાજ્યના કાર્યકરો ચૂંટણી પ્રચાર (Gujarat election 2022)  માટે ઓગસ્ટ અંત સુધીમાં ગુજરાત આવશે. મહત્વનું છે કે, ઝોન પ્રમાણે અલગ-અલગ રાજ્યોને જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપે વિધાનસભા ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંક્યુ

જેમાં ગુજરાત ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાનના કાર્યકરોને, મધ્ય ઝોનની જવાબદારી મધ્યપ્રદેશ અને ઝારખંડના કાર્યકરોને સોંપવામાં આવી છે.જ્યારે દક્ષિણ ઝોનની જવાબદારી મહારાષ્ટ્ર ભાજપના શિરે થોપવામાં આવી છે.તો સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી બિહાર ભાજપના કાર્યકરોને સોંપવામાં આવી છે.

ચૂંટણી પહેલા કેજરીવાલની વચનોની લ્હાણી

શ્રાવણના પહેલા સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલ સોમનાથ પહોંચ્યા હતા, આ દરમિયાન કેજરીવાલે તેમના સંબોધનમાં અનેક વચનોની લ્હાણી કરી. અરવિંદ કેજરીવાલે (Arvind Kejrival) એ કહ્યુ કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બનશે તો તમામ બેરોજગારોને નોકરી આપશે અને તેના માટે 10 લાખ નોકરીઓ બહાર પાડશે. એટલુ જ નહીં તેમણે કહ્યુ જ્યાં સુધી નોકરી નહીં મળે ત્યાં સુધી દરેક બેરોજગાર યુવકને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થુ આપશે. વધુમાં તેમણે કહ્યુ કે, સહકારી વિભાગોમાં પણ નોકરી આપવાની પ્રક્રિયામાં ફેરફાર કરીને પારદર્શક્તા લાવશુ. જો AAP ની સરકાર બનશે તો 5 વર્ષમાં દરેક બેરોજગારને નોકરી આપશે. આ સાથે તેમણે દિલ્હી મોડેલનુ ઉદાહરણ આપ્યુ કે તેમણે દિલ્હીમાં 12 લાખ બેરોજગારોને નોકરી અપાવી છે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">