Garbada Election Result 2022 LIVE Updates: ગરબાડા બેઠક પર ભાજપના મહેન્દ્ર ભાભોરની જીત

Garbada MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: ગરબાડા બેઠક પર ભાજપના મહેન્દ્ર ભાભોરની જીત થઈ છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા બારિયાએ પ્રચંડ જીત નોંધાવી હતી. તેમણે ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ભાભોરને હરાવ્યા હતા.

Garbada Election Result 2022 LIVE Updates: ગરબાડા બેઠક પર ભાજપના મહેન્દ્ર ભાભોરની જીત
Garbada
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 7:19 PM

ગુજરાતની ગરબાડા બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election Result  ગરબાડા બેઠક પર ભાજપના મહેન્દ્ર ભાભોરની જીત થઈ છે. ગરબાડાથી આ વખતની ટર્મમાં કોંગ્રેસે ચંદ્રિકા બારિયાને ટિકિટ આપી  મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 28,10,000ની જંગમ મિલકત છે. તેમને SSC સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપી હતી. તેમની પાસે રૂપિયા 9,83,669ની જંગમ મિલકત છે. મહેન્દ્ર ભાભોરના અભ્યાસની વાત કરીએ તો તેમને ધોરણ 8 સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે શૈલેશ ભાભોરને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 58,05,00ની જંગમ મિલકત છે. શૈલેશ ભાભોરે ધોરણ 4 સુધીનો અભ્યાસ કર્યો છે.

2012માં બની હતી વિધાનસભા બેઠક

2 દાયકાથી વધુ સમયથી ગરબાડાને તાલુકાનો દરજ્જો મળ્યો છે. આ બેઠક પર છેલ્લા 10 વર્ષ કોંગ્રેસનું શાસન છે. ગરબાડા બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ વધારે છે. વર્ષ 2012માં વિભાજન થતા ગરબાડાને વિધાનસભા બેઠકનો દરજ્જો મળ્યો હતો. હાલમાં અહીં કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકા બારિયા છેલ્લી 3 ટર્મથી વિજેતા બની રહ્યા છે. ગરબાડા વિધાનસભા ચૂંટણીઓ પર નજર કરવામાં આવે તો અત્યાર સુધી આ બેઠક પર બે ચૂંટણીઓ યોજાઈ છે. જેમાં વર્ષ 2012 અને વર્ષ 2017માં ચૂંટણી જંગ જામ્યો હતો. આ બેઠક પર યોજાયેલી છેલ્લી ચૂંટણીઓ પર નજર કરીએ તો 2012 તથા 2017માં કોંગ્રેસના ચંદ્રિકા બારિયા સતત વિજયી બની રહ્યા છે. 2017માં ચંદ્રિકા બારિયાએ 64,280 મત મેળવ્યા હતા જ્યારે મહેન્દ્ર ભાભોરે 48,152 મત મેળવ્યા હતા. 2017માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચંદ્રિકા બારિયાએ ભારતીય જનતા પાર્ટીના મહેન્દ્ર ભાભોરને 16,128 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી. 2012ની ચૂંટણી વિશે વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા બારિયાએ 35,774 મતોના માર્જીન સાથે ભાજપના ઉમેદવાર મોહિન્દ્રા રાઠોડને હરાવ્યા હતા. ગરબાડા વિધાનસભા મત વિસ્તાર દાહોદ લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે.

આ બેઠક પર આદિવાસી સમુદાયનું વર્ચસ્વ

ગરબાડા બેઠક પર આદિવાસી વોટ બેન્કનું પ્રભુત્વ વધારે છે. ગરબાડા વિધાનસભા બેઠક પર અંદાજે કુલ 2,90,000 મતદારો છે. તેના મતવિસ્તારમાં 3 તાલુકાઓનો સમાવેશ થાય છે. જેમાં દાહોદ, ગરબાડા અને ધાનપુરનો સમાવેશ થાય છે. મતવિસ્તારમાં કુલ 105 ગામો આવેલા છે. જેમાં 90 ટકા આદિવાસી સમાજની વસતી છે. એટલે કે અહીં આદિવાસી સમાજનું વર્ચસ્વ છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">