Bhavnagar: 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ભાવનગરમાં, 2.5 કિલોમીટર લાંબો રોડ શો કરી અનેક વિકાસકાર્યોની આપશે ભેટ

ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન આગામી સમયમાં ગુજરાતનો (PM Modi Gujarat Visit) ઝંઝાવાતી પ્રવાસ કરવાના છે અને તેનો આરંભ નવરાત્રિમાં જ થઈ જશે. 

Bhavnagar: 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ભાવનગરમાં, 2.5 કિલોમીટર લાંબો રોડ શો કરી અનેક વિકાસકાર્યોની આપશે ભેટ
Pm Narendra Modi Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 11:18 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (Pm Narendra Modi) આ મહિનામાં  29 સપ્ટેમ્બરે ભાવનગરની (Bhavnagar) મુલાકાત લેશે. ભાવનગરમાં તેઓ 2.5 કિલોમીટરનો લાંબો રોડ શો કરશે. વડાપ્રધાનની  ભાવનગર ખાતેની સભામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 2 લાખ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે, ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી  કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન આગામી સમયમાં ગુજરાતનો (PM Modi Gujarat Visit) ઝંઝાવાતી પ્રવાસ કરવાના છે અને તેનો આરંભ નવરાત્રિમાં જ થઈ જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે. તેમજ જવાહર મેદાન ખાતે ભવ્ય સભાને પણ સંબોધશે. વડાપ્રધાનના આગમનને લઇ અધિકારીઓ અને પદાધિકારીઓ કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે. નરેન્દ્ર મોદીનું ભાવનગર ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં હજારોની સંખ્યામાં જાહેર જનતા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે. નરેન્દ્ર મોદીના હસ્તે કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લઇ અમરેલી, બોટાદ તેમજ ભાવનગર જિલ્લાના મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ અને રાજકીય નેતાઓની કલેક્ટર કચેરી ખાતે મીટિંગ યોજાઇ હતી. જેમાં તમામ રૂપરેખા સાથે વડાપ્રધાનના કાર્યક્રમને જાહેર કરવામાં આવ્યો હતો. આ સભામાં બે લાખથી વધુ લોકો જોડાવાની સંભાવના છે. તેમજ નરેન્દ્ર મોદીનો બેથી અઢી કિલોમીટરનો રોડ શો ભાવનગરમાં પ્રથમ વખત યોજાશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ચૂંટણી અગાઉ વડાપ્રધાન મોદીનો ઝંઝાવાતી પ્રવાસ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે મહતમ બેઠકો હાંસલ કરવા દરેક રાજકીય પાર્ટીઓ (Political party) એડી ચોટીનુ જોર લગાવી રહી છે.રાજ્યમાં આ વખતે AAP પણ મેદાનમાં છે, ત્યારે ત્રિપાંખિયો જંગ જામશે.આ બધાની વચ્ચે ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ (BJP) પણ એક્શનમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. મળતી માહિતી મુજબ PM મોદી (PM Modi Gujarat visit) ફરી એકવાર ગુજરાત આવશે.

અનેક વિકાસકાર્યોની ભેટ આપશે વડાપ્રધાન મોદી

નવરાત્રી શરૂ થતાં જ PM મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ (PM Modi gujarat visit) શરૂ થઈ જશે. 5 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ 12 થી વધુ જનસભા સંબોધી શકે છે. જો વિગતે વાત કરીએ તો 29,30 સપ્ટેમ્બર અને 9 થી 11 ઓકટોબર દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં ધામા નાખશે. જેમાં 29-30 સપ્ટેમ્બરએ PM મોદી સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીનો (Ambaji) પ્રવાસ કરશે. 9 ઓક્ટોબરે મોડાસામાં (modasa) વડાપ્રધાનનો સંભવિત પ્રવાસ માનવામાં આવી રહ્યો છે. તો 10 ઑક્ટોબરએ જામનગર અને ભરૂચ અને 11 ઑકટોબરએ રાજકોટના જામ કંડોરણાની મુલાકાત કરશે.આ દરમિયાન રાજ્યને અનેક વિકાસ કાર્યોની વડાપ્રધાન મોદી PM મોદી ભેટ આપશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">