AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAP સાથે ગઠબંધન તોડ્યા બાદ હવે BTP કોંગ્રેસની નજીક ! આ બેઠકો માટે કરી શકે છે ગઠબંધન

ગઠબંધનને લઈને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ (Amit Chavda) કહ્યું કે, ચૂંટણીલક્ષી જોડાણ અને ગઠબંધનના જે પણ નિર્ણય હશે તે અમારા પ્રભારી અને હાઈકમાન્ડ લેશે.

AAP સાથે ગઠબંધન તોડ્યા બાદ હવે BTP કોંગ્રેસની નજીક ! આ બેઠકો માટે કરી શકે છે ગઠબંધન
Chhotu Vasava
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 7:52 AM
Share

AAP સાથે ગઠબંધન તોડ્યા બાદ હવે BTP કોંગ્રેસ (Congress Party) સાથે ગઠબંધન કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસ ઝઘડિયા અને ડેડિયાપાડા ગુજરાત વિધાનસભા બેઠકને (Gujarat Assembly Seat)  લઈ BTP સાથે ગઠબંધન કરી શકે છે. અગાઉ કોંગ્રેસના (Congress) મીડિયા ઈનચાર્જ પવન ખેરા અને છોટુ વસાવાની (Chhotu Vasava)મુલાકાત થઈ હતી. આ દરમિયાન બે બેઠક પર સંમતિ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ (Amit Chavda) કહ્યું કે, ચૂંટણીલક્ષી જોડાણ અને ગઠબંધનના જે પણ નિર્ણય હશે તે અમારા પ્રભારી અને હાઈકમાન્ડ લેશે.

BTP અને AAPના ગઠબંધનનું ‘બાળમરણ’

દિલ્હીના સીએમ અને આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ગુજરાત પ્રવાસ દરમિયાન જ તેમને મોટો ઝટકો મળ્યો છે. ગઈ કાલે છોટુ વસાવાએ BTP અને આપનું (Aam Admi Party) ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી છે, ત્યારે આ સમાચાર આમ આદમી પાર્ટી માટે ખૂબ જ નુકસાનકારક રહી શકે છે. એક તરફ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ ગુજરાતના મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ BTP સાથેનું ગઠબંધન તૂટતા તેમને આદિવાસી વિસ્તારમાં મોટો ફટકો પડવાની સંભાવના છે.

છોટુ વસાવાના AAP પર ગંભીર આરોપ

વિધાનસભાની ચૂંટણી પહેલા આદિવાસી બહુમુલ્ય ધરાવતા નર્મદા જિલ્લામાંથી (Narmada) આમ આદમી પાર્ટીને મોટુ નુકસાન પહોંચાડતા સમાચાર સામે આવ્યા છે. BTP અને AAPના રાજકીય ગઠબંધનમાં ભંગાણ પડ્યું છે. છોટુ વસાવાએ BTP અને AAPનું રાજકીય ગઠબંધન તૂટવાની જાહેરાત કરી દીધી છે. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું કે, AAPના ટોપી વાળા લોકો દેખાતા નથી અને AAPના નેતાઓ BTPનું માનતા નથી એટલે આ ગઠબંધન તોડવાની ફરજ પડી છે. આ સાથે તેમને AAP પર ગંભીર આરોપ કરતા જણાવ્યુ કે AAP અને ભાજપ એક જ છે અને તેઓ ભેગા મળીને આદિવાસીની સંપત્તિ લૂંટી રહ્યા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">