AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: AAPના વડા અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાત પ્રવાસે, ગાંધીધામ-જૂનાગઢમાં જાહેરસભા કરશે

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને AAPના રાજ્યસભાના સભ્ય અને પાર્ટીના ગુજરાત મામલાના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા પણ આ બે દિવસ દરમિયાન ગુજરાતમાં હશે.

Gujarat Election: AAPના વડા અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાત પ્રવાસે, ગાંધીધામ-જૂનાગઢમાં જાહેરસભા કરશે
આપના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલImage Credit source: ફાઇલ તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 11:00 AM
Share

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજથી ફરી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) પણ ગુજરાતની મુલાકાત લેશે, જ્યાં તેઓ સંયુક્ત રીતે ચાર જાહેર સભાઓને સંબોધશે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતના સહ પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પણ કેજરીવાલ સાથે જઈ શકે છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પુરી તાકાત લગાવી દીધી છે.

કહેવામાં આવી રહ્યું છે કે આજે અરવિંદ કેજરીવાલ અને માન કચ્છ જિલ્લાના ગાંધીધામ અને જૂનાગઢ જિલ્લાના જોશીપુરામાં જાહેર સભાને સંબોધશે. AAPના ગુજરાત મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે પ્રવાસના બીજા દિવસે 2 ઓક્ટોબરે બંને નેતાઓ સુરેન્દ્રનગર શહેર અને ખેડબ્રહ્મા શહેરમાં જાહેર સભાઓને સંબોધશે.

કેજરીવાલ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે

પાર્ટીના એક કાર્યકર્તાએ જણાવ્યું કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને AAPના રાજ્યસભાના સભ્ય અને પાર્ટીના ગુજરાત મામલાના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા પણ આ બે દિવસ દરમિયાન ગુજરાતમાં હશે. સોરઠિયાએ કહ્યું કે, સિસોદિયા અને ચઢ્ઢા કેટલીક મહત્વપૂર્ણ સભાઓ અને રેલીઓ માટે અમદાવાદ આવી રહ્યા છે. કેજરીવાલ તેમની મુલાકાત દરમિયાન પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક પણ કરશે.

અગાઉ, સપ્ટેમ્બરના અંતમાં ગુજરાતની મુલાકાતે આવેલા કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં AAPના વધતા પ્રભાવથી ભાજપ ડરી રહી છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં તેથી તે લોકોને તેમની વિરુદ્ધ મોકલી રહી છે. હું જાણું છું કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મારા અને તમારા વિરોધમાં વધારો થતો જશે. કેજરીવાલે દાવો કર્યો છે કે શહેરી વિસ્તારોમાં AAPના વધતા પ્રભાવથી ભાજપ ડરી ગઈ છે.

આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે

કેજરીવાલે કહ્યું, “છેલ્લી ચૂંટણીઓ સુધી, રાજકીય વર્તુળોમાં એવું કહેવામાં આવતું હતું કે 66 શહેરી બેઠકો ભાજપનો ગઢ છે, કોઈ પ્રવેશ કરી શકશે નહીં, પરંતુ રાજ્યમાં AAPની એન્ટ્રી અને શહેરી વિસ્તારોમાં તેના ફેલાવાને કારણે ભાજપનો ગઢ મુશ્કેલીમાં છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા શાસિત ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">