AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: સત્તાના શિખર સર કરવા AAP મેદાનમાં, અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM આજે ગુજરાતમાં

આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામવાનો છે, કારણ કે AAP પણ મેદાને છે. દિલ્હી અને પંજાબમાં (Punjab) સતાના શિખર સર કરનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં (Gujarat) પણ પગપેસારો કરવા પ્રયાસ કરી રહી છે.

Gujarat Election: સત્તાના શિખર સર કરવા AAP મેદાનમાં, અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM આજે ગુજરાતમાં
Arvind kejriwal gujarat visit
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 11:56 AM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022)  હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી મહતમ બેઠકો હાંસલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામવાનો છે, કારણ કે AAP પણ મેદાને છે. દિલ્હી અને પંજાબમાં (Punjab) સતાના શિખર કરનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં (Gujarat) એજ રણનિતિથી આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર બાદ હવે ઉતર ગુજરાતનો ગઢ સર કરવા આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે.

આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે

આજે ફરી દિલ્હીના મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) ગુજરાત મુલાકાતે છે તો સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (CM Bhagwant Mann) પણ ગુજરાતી મતદારોને રીઝવવા પ્રયાસો કરશે. જો આજના કાર્યક્રમની વિગતે વાત કરીએ તો અમદાવાદમાં 1 : 30 વાગ્યે ટાઉનહોલમાં યુવાઓ સાથે વાત બેઠક કરશે તો 3 વાગ્યે ગુજરાતના કરાર આધારિત અને આઉટસોર્સ કર્મચારીઓ સાથે ટાઉનહોલમાં બેઠક કરવાના છે. જે બાદ તેઓ સફાઈ કર્મચારી સાથે પણ બેઠક કરવાના છે.

વડોદરામાં વધુ એક વખત કરી વચનોની લ્હાણી

થોડા દિવોસ અગાઉ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વડોદરામાં (Vadodara) પ્રજાને વધુ એક વાયદો કર્યો હતો. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના અમલી બનાવવાનો વાયદો આપ્યો. અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ કે ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. રાજ્ય સરકાર કર્મચારીઓના પ્રશ્નોને ઉકેલવામાં રસ દાખવતી નથી. અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓના આક્રોશને એનકેશ કરવાનો પ્રયત્ન કર્યો.

10 લાખ સરકારી નોકરીની તકો ઉભી કરીશુ

આ પહેલા એક સંબોધનમાં અરવિંદ કેજરીવાલે જનતાને જણાવ્યું હતું કે ગુજરાતની જનતા પાસેથી સારો એવો પ્રેમ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી જુઠ્ઠા વાયદા નથી કરતી, જે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ. હું તમારી પાસેથી પાંચ વર્ષની ગેરંટી માગુ છું. જો પાંચ વર્ષમાં કાંઈ ન થાય તો અમને ધક્કા મારીને નિકાળી દેજો. તેમણે પહેલી ગેરંટી આપી હતી કે દરેક યુવાઓ માટે રોજગારી આપીશું. દરેક બેરોજગારોને દર મહિને 3 હજાર રૂપિયાનું ભથ્થુ આપીશું. અમે 10 લાખ સરકારી નોકરીની તકો ઉભી કરીશું.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">