Goa Election: ગોવામાં ભાજપના તમામ 40 ઉમેદવારોની પરિણામો પહેલા મીટિંગ, આગળની રણનીતિ પર થશે ચર્ચા

ટીવી9/પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલના રૂઝાનો મુજબ જો વોટ શેયરની વાત કરીએ તો ભાજપને 36.6 ટકા, કોંગ્રેસને 28.4 ટકા, આમ આદમી પાર્ટી (AAP)ને 7.2 ટકા અને અન્ય પાર્ટીઓને 27.8 ટકા વોટ મળી શકે છે.

Goa Election: ગોવામાં ભાજપના તમામ 40 ઉમેદવારોની પરિણામો પહેલા મીટિંગ, આગળની રણનીતિ પર થશે ચર્ચા
Goa Chief Minister Pramod Sawant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 6:20 PM

ગોવા (Goa)ભાજપ (BJP)ના તમામ 40 ઉમેદવારોને પણજી (Panji)ની હોટલ વિવાંતામાં સાંજે 6 વાગ્યા બાદ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભાજપ ચૂંટણી પરિણામો પછીની તૈયારી કરી રહી છે. પાર્ટી ચૂંટણી (Goa Assembly Election) બાદ ગઠબંધનને લઈ અહીં બેઠક કરવાનું છે, જેથી આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી શકે. આ બેઠકમાં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત (Pramod Sawant), ગોવા ભાજપના નિરીક્ષકો અને પક્ષના અન્ય નેતાઓ હાજર રહેશે. ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. મતની ગણતરી આવતીકાલે એટલે કે ગુરૂવારે થવાની છે. ત્યારે તમામની નજર તેની પર અટકેલી છે.

એક્ઝિટ પોલના રૂઝાનો અનુસાર ગોવામાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે, કારણ કે રાજ્યમાં કોઈને બહુમતી મળતી દેખાઈ રહી નથી. ટીવી9/પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલના રૂઝાનો મુજબ જો વોટ શેયરની વાત કરીએ તો ભાજપને 36.6 ટકા, કોંગ્રેસને 28.4 ટકા, આમ આદમી પાર્ટી (AAP)ને 7.2 ટકા અને અન્ય પાર્ટીઓને 27.8 ટકા વોટ મળી શકે છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપને 17-19 સીટો મળી શકે છે. ત્યારે રૂઝાનોમાં કોંગ્રેસ (Congress) બીજા નંબરની પાર્ટી બની શકે છે, કોંગ્રેસને 11-13 સીટો મળવાનું અનુમાન છે.

પ્રમોદ સાંવતે વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

ત્યારે ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત એક્ઝિટ પોલમાં રાજ્યમાં ખંડિત જનાદેશના અંદાજના એક દિવસ પછી મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. સાવંતે વિધાનસભા ચૂંટણી જીતવા અને પ્રાદેશિક પક્ષોની મદદથી રાજ્યમાં આગામી સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગોવામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જેવા મુખ્ય દળોની સાથે તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના-રાષ્ટ્રવાદી કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા, રાજ્યમાં ભાજપના કદાવર નેતા અને ચાર વખત ગોવાના મુખ્યપ્રધાન રહેલા મનોહર પર્રિકરના નિધન બાદ વિધાનસભાની આ પ્રથમ ચૂંટણી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

જણાવી દઈએ કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 17 સીટ જીતવાની સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. ગોવાની 40 સીટોમાંથી ગઈ ટર્મમાં 17 સીટો કોંગ્રેસ, જ્યારે 13 સીટો ભાજપે જીતી હતી. તે છતાં ભાજપે સરકાર બનાવી હતી. ભાજપે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટી અને ત્રણ અપક્ષોના સમર્થનથી સરકાર બનાવી.

આ પણ વાંચો: ચૂંટણીના પરિણામ આવે તે પહેલા સટ્ટાબજાર ગરમાયું, કરોડની કિંમતમાં લાગ્યો સટ્ટો

આ પણ વાંચો: Russia Ukraine War: ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીએ ભારતીય દૂતાવાસ અને PM મોદીનો આભાર માન્યો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">