AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીએ ભારતીય દૂતાવાસ અને PM મોદીનો આભાર માન્યો

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા હેઠળ સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતીય અધિકારીઓએ પાકિસ્તાનના એક વિદ્યાર્થીની પણ મદદ કરી છે. પાકિસ્તાની વિદ્યાર્થી મોદી સરકારના જોરદાર વખાણ કરી રહ્યો છે.

Russia Ukraine War:  ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીએ ભારતીય દૂતાવાસ અને PM મોદીનો આભાર માન્યો
યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીને ભારતીય દૂતાવાસ અને PM મોદીનો આભાર માન્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 1:05 PM
Share

Russia Ukraine War: યુક્રેન પર રશિયા (Russia)ના હુમલા બાદ માત્ર ભારત જ નહીં અન્ય ઘણા દેશોના વિદ્યાર્થીઓ પણ ત્યાં ફસાયા છે. ભારત સરકારે ઓપરેશન ગંગા ચલાવીને અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢ્યા છે. આ ઓપરેશન હેઠળ માત્ર ભારતીય વિદ્યાર્થી (Indian student)ઓ જ નહીં પરંતુ અન્ય દેશોના વિદ્યાર્થીઓને પણ મદદ કરવામાં આવી રહી છે. બચાવ અભિયાન હેઠળ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓ મોદી સરકારના વખાણ કરી રહ્યા છે.

પાડોશી દેશ પાકિસ્તાનનો એક વિદ્યાર્થી પણ કેન્દ્ર સરકારના વખાણ કરી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીની અસમા શફીકને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બચાવી લેવામાં આવી છે. એટલા માટે અસ્મા કિવમાં ભારતીય દૂતાવાસ અને પીએમ મોદીના વખાણ કરતાં થાકતી નથી. તેણે પીએમ મોદીનો આભાર માન્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય અધિકારીઓએ અસમાને સુરક્ષિત રીતે બચાવી લીધી છે, તે હાલમાં પશ્ચિમ યુક્રેન જઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આસ્મા ટૂંક સમયમાં તેના પરિવારને મળશે.

સુમીમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે કહ્યું કે સુમીમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. યુક્રેન સરકારે સુરક્ષિત કોરિડોર બનાવ્યો હતો, ત્યારબાદ ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને બસ દ્વારા પોલ્ટાવા લઈ જવામાં આવ્યા હતા.

છેલ્લા 14 દિવસથી રશિયાની સેના યુક્રેનમાં (Russia-Ukraine crisis) તરખાટ મચાવી રહી છે. યુક્રેનમાં એક બાદ એક શહેર ખંડેર બની રહ્યા છે. 14 દિવસ બાદ પણ બંને દેશો યુદ્ધ (Russia-Ukraine war) રોકવા તૈયાર નથી. શાંતિ વાર્તા નિષ્ફળ જઇ રહી છે. આવી સ્થિતિ વચ્ચે ભારતના કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે. જો કે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના બે યુવાનોએ સ્વયં સેવક બનીને અનેક લોકોની મદદ કરી છે

આ પણ વાંચો : શ્રીનગરમાં ગ્રેનેડ હુમલાના વિરોધમાં એકઠા થયા કાશ્મીરીઓ, 30 વર્ષમાં પ્રથમ વખત લાલ ચોક ખાતે કેન્ડલ માર્ચ કાઢી

Follow Us
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
g clip-path="url(#clip0_868_265)">