AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Assembly Election: પંજાબ બાદ આમ આદમી પાર્ટી આવતીકાલે ગોવામાં સીએમ ઉમેદવારના નામની કરશે જાહેરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 19 જાન્યુઆરીએ પણજીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ ઉમેદવારના નામની જાહેરાત કરશે.

Goa Assembly Election: પંજાબ બાદ આમ આદમી પાર્ટી આવતીકાલે ગોવામાં સીએમ ઉમેદવારના નામની કરશે જાહેરાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 6:39 PM
Share

પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની (Assembly Election 2022) તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સત્તા મેળવવામાં લાગેલા તમામ રાજકીય પક્ષો જનતાને રીઝવવાના તમામ પ્રયાસો કરતા જોવા મળે છે. આમ આદમી પાર્ટીએ (Aam aadmi Party) પણ આ વખતે ગોવા વિધાનસભા ચૂંટણી માટે કમર કસી છે. હાલમાં જ પાર્ટી દ્વારા રાજ્યમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ખૂબ જ જલ્દી ગોવામાં સીએમ પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ અરવિંદ કેજરીવાલ 19 જાન્યુઆરીએ પણજીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ ઉમેદવારના નામની જાહેરાત કરશે.

આ પહેલા પાર્ટીએ પંજાબના સીએમ ઉમેદવારની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું હતું કે ભગવંત માન પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. કેજરીવાલે એક જાહેર સભામાં આ જાહેરાત કરી હતી. 48 વર્ષીય માન સંગરુરથી બે વખત લોકસભાના સાંસદ અને પાર્ટીના રાજ્ય એકમના વડા છે.

સીએમ કેજરીવાલે ઘણી મોટી જાહેરાતો કરી છે

ગોવાની વાત કરીએ તો રવિવારે અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં ઘણા ચૂંટણી વચનો આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જો રાજ્યમાં ‘આપ’ની સરકાર બનશે તો દરેકને રોજગાર આપવામાં આવશે અને જો તેઓ આપી શકતા નથી તો બધાને 3 હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. આ સિવાય મહિલાઓ માટે કેજરીવાલે જાહેરાત કરી હતી કે 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને 1000 રૂપિયા આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ગોવા વિધાનસભા ચૂંટણીમાં બહુ ઓછો સમય બાકી છે. ગોવામાં વિધાનસભાની 40 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે પરિણામ 10 માર્ચે આવશે. ગોવાની સાથે અન્ય ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને પંજાબમાં પણ 10 માર્ચે મતગણતરી થશે.

આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 40 વિધાનસભા બેઠકોમાંથી 25 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. AAPની ત્રીજી યાદીમાં 5 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જ્યારે બીજી યાદીમાં 10 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ પ્રથમ યાદીમાં 10 ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : UP Election: RLD નેતાઓને ટિકિટ મળ્યા બાદ SP કાર્યકરોનો બળવો, વધી શકે છે અખિલેશ-જયંતની મુશ્કેલીઓ

આ પણ વાંચો : કોરોનાની સારવાર અંગે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નવી માર્ગદર્શિકા, જાણો ગાઈડલાઈન્સમાં શું ફેરફાર થયા

Follow Us
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
g clip-path="url(#clip0_868_265)">