AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Elections 2022: શું રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ ચાલુ રહેશે? કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે આજે ચૂંટણી પંચની મહત્વની બેઠક

બેઠકમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવા જેવા તમામ પાંચ રાજ્યો ચૂંટણી પંચને રસીકરણ અને કોરોના કેસની વર્તમાન સ્થિતિ વર્ચ્યુઅલ રીતે રજૂ કરશે.

Assembly Elections 2022:  શું રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ ચાલુ રહેશે? કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે આજે ચૂંટણી પંચની મહત્વની બેઠક
Election Commission - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 8:51 AM
Share

ચૂંટણી પંચ (Election Commission) આજે પાંચ ચૂંટણી રાજ્યોના આરોગ્ય સચિવો અને કેન્દ્રીય આરોગ્ય સચિવ (Union Health Secretary) સાથે સમીક્ષા બેઠક કરશે. જેમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી રેલીઓ પરના પ્રતિબંધને લંબાવવા અથવા પ્રતિબંધને હટાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચની આ બેઠક બપોરે 12.30 કલાકે મળશે.

આ દરમિયાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવા જેવા તમામ પાંચ રાજ્યો ચૂંટણી પંચને રસીકરણ અને કોરોના કેસની વર્તમાન સ્થિતિ વર્ચ્યુઅલ રીતે રજૂ કરશે. ચૂંટણી પંચે આગામી વિધાનસભા ચૂંટણી માટે રેલીઓ અને જાહેર સભાઓ પરનો પ્રતિબંધ 22 જાન્યુઆરી સુધી લંબાવ્યો છે.

જો કે, પંચે રાજકીય પક્ષોને 300 લોકો અથવા સ્થળની ક્ષમતાના 50 ટકા સાથે ઇન્ડોર મીટિંગ કરવાની મંજૂરી આપી છે. દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને કારણે ચૂંટણી પંચે 8 જાન્યુઆરીએ તમામ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરતી વખતે 15 જાન્યુઆરી સુધી તમામ પ્રકારની રેલીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને માત્ર વર્ચ્યુઅલ પ્રચારને જ મંજૂરી આપવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર રાજકીય પક્ષો દ્વારા કોઈપણ પદયાત્રા, સાયકલ યાત્રા કે રોડ શો કરવા પર પ્રતિબંધ છે.

ચૂંટણી પંચે રાજકીય પક્ષોને ડિજિટલ માધ્યમથી પ્રચાર કરવા વિનંતી કરી હતી. ચૂંટણી પંચ આ અંગે શું પગલાં લે છે તે અંગે કંઈપણ કહેવું મુશ્કેલ છે, કારણ કે શુક્રવારે ભારતમાં લગભગ 3.50 લાખ નવા કોવિડ કેસ નોંધાયા હતા. આ આંકડો ગુરુવારના 3.17 લાખ કેસ કરતાં નવ ટકા વધુ છે. તેમજ છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ. 3.85 કરોડ કેસ સાથે ભારત અમેરિકા પછી વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.

10 માર્ચે પરિણામ આવશે

સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા ચૂંટણી પંચે કહ્યું કે યુપીમાં પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ અને અંતિમ તબક્કાનું મતદાન 7 માર્ચે થશે. આ સિવાય બીજા તબક્કાનું મતદાન 14 ફેબ્રુઆરીએ, ત્રીજા તબક્કાનું 20 ફેબ્રુઆરીએ, ચોથા તબક્કાનું 23 ફેબ્રુઆરીએ, પાંચમાં 27 ફેબ્રુઆરીએ અને છઠ્ઠા તબક્કાનું મતદાન 3 માર્ચે થશે.

બીજી તરફ ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. પંજાબમાં 20 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. આ સિવાય મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે ચૂંટણી માટે મતદાન થશે. તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે.

આ પણ વાંચો : Exotic Vegetables Farming : ઘણી આસાનીથી થઇ શકે છે વિદેશી શાકભાજીની ખેતી, એક વાર વાવેતર પછી થશે અઢળક કમાણી

આ પણ વાંચો :સ્થળાંતર ફરી એક મુદ્દો બનશે! અમિત શાહ આજે કૈરાનામાં ડોર ટુ ડોર પ્રચારનો કરશે શંખનાદ, ઉમેદવારોને આપશે વિજય મંત્ર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">