AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT ગાંધીનગરનું ક્રિએટિવ લર્નિંગ સેન્ટર એક જાદુઈ દુનિયા: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, "હું IIT ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગની પણ પ્રશંસા કરું છું, જે વિજ્ઞાનના સરળ શિક્ષણ અને સમજને પ્રોત્સાહન આપે છે."

IIT ગાંધીનગરનું ક્રિએટિવ લર્નિંગ સેન્ટર એક જાદુઈ દુનિયા: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
Dharmendra Pradhan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 7:49 PM
Share

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) રવિવારે IIT ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ IIT ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ વિશે જણાવ્યું હતું કે તે એક જાદુઈ વિશ્વ છે, સાથે જ તે આનંદદાયક અને અનુભવી શિક્ષણને નવા સ્તરે લઈ જાય છે.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કર્યુ ટ્વિટ

IIT ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ સાથેના તેમના ઘણા ફોટા શેર કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે IIT ગાંધીનગર ખાતેનું સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ ખરેખર એક જાદુઈ દુનિયા છે. આ કેન્દ્ર આનંદકારક અને પ્રાયોગિક શિક્ષણને સંપૂર્ણ નવા સ્તરે લઈ જઈ રહ્યું છે. તે આંતરિક સર્જનાત્મકતાને નવેસરથી પોષે છે અને લોકોમાં જિજ્ઞાસા પણ પેદા કરે છે. આ કેન્દ્ર નાનપણથી જ શીખનારાઓમાં રમકડાં, વિવિધ પ્રવૃત્તિઓ, પ્રદર્શનો અને DIY તકનીકો દ્વારા વૈજ્ઞાનિક સમજ વિકસાવે છે.

સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગની કરી પ્રશંસા

તેમણે વધુમાં કહ્યું, “હું વિજ્ઞાનના સરળ શિક્ષણ અને સમજને પ્રોત્સાહન આપવા માટે IIT ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગની પણ પ્રશંસા કરું છું.” અગાઉ, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IIT-G) ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “ભારતનું ભવિષ્ય નક્કી કરવું એ અમારી પ્રાથમિકતા છે. આ બાબતમાં, અમે સિંગાપોરના અનુભવનો લાભ લેવાની પણ આશા રાખીએ છીએ. વિશ્વ માટે ભાવિ કાર્યબળ તૈયાર કરવા માટે ભારત અને સિંગાપોર સાથે મળીને કામ કરવાની અપાર સંભાવનાઓ છે.

ભારતનું ભવિષ્ય અમારી પ્રાથમિકતા: ધર્મેન્દ્ર પ્રધાન

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને સિંગાપોરની નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત ઈન્ડિયા-સિંગાપોર હેકાથોનની ત્રીજી આવૃત્તિના સમાપન સમયે શિક્ષણ મંત્રીએ કહ્યું કે, અમે ભારતમાં સ્કિલિંગ ઈકોસિસ્ટમનું નિર્માણ કરવા ઈચ્છીએ છીએ. અમારી પ્રાથમિકતા ભારતનું ભવિષ્ય નક્કી કરવાની છે અને આ મામલે અમે આશા રાખીએ છીએ કે સિંગાપોરના અનુભવનો ઘણો ફાયદો થશે.

આ પણ વાંચો : Current Affairs 17 July 2023 : ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે કઈ બેંકે IFSC બેંકિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે?

હેકાથોન સમાપન સમારોહ

IIT ગાંધીનગર ખાતે G-20 ની અધ્યક્ષતામાં આયોજિત, હેકાથોનના સમાપન સમારોહમાં બંને દેશોના 600 થી વધુ વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ્સ, રોકાણકારો, નીતિ નિર્માતાઓ, કોર્પોરેટ્સ અને શિક્ષણવિદોએ હાજરી આપી હતી.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">