AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UK Post Study Work Visa: બ્રિટનમાં ભણનારા ગુજરાતી વિદ્યાર્થીઓને થશે ફાયદો, પોસ્ટ સ્ટડી વર્કની સમયસીમા વધારાઈ

UK Post Study work Visa: બ્રિટેનમાં (Britain) પોસ્ટ સ્ટડી વર્ક (પીએસડબ્લ્યૂ) વિઝા માટે યોગ્યતા સિદ્ધ કરવાની સમય સીમા વધારવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે.

UK Post Study Work Visa: બ્રિટનમાં ભણનારા ગુજરાતી વિદ્યાર્થીઓને થશે ફાયદો, પોસ્ટ સ્ટડી વર્કની સમયસીમા વધારાઈ
સાંકેતિક તસ્વીર
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 17, 2021 | 9:06 PM
Share

UK Post Study work Visa: બ્રિટેનમાં (Britain) પોસ્ટ સ્ટડી વર્ક (પીએસડબ્લ્યૂ) વિઝા માટે યોગ્યતા સિદ્ધ કરવાની સમય સીમા વધારવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રિટિશ યુનિવર્સિટીમાં એડમિશન લેનારા ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધારે છે. પીએસડબ્લ્યૂ વિઝા અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ  કર્યા બાદ બે વર્ષ સુધી અહીં કામ કરી શકે છે અથવા કામ શોધી શકે છે.

આને ગયા વર્ષે બ્રિટિશ ગૃહ મંત્રી પ્રીતિ પટેલે શરુ કર્યુ હતુ. આવેદન આવશ્યકતાઓ અંતર્ગત કોવિડ-19 લોકડાઉનને જોતા પીએસડબ્લ્યૂ વિઝાના ઈચ્છુક વિદ્યાર્થીઓ 21 જૂન સુધી અહીં ઉપસ્થિત રહેશે તેવી આશા હતી. પરંતુ ગૃહ-કાર્યાલયે ગયા અઠવાડિયે પોતાના દિશા-નિર્દેશમાં સંશોધન કરતા આ સમય સીમાને 27 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે.

ધ નેશનલ ઈન્ડિયન સ્ટૂડેન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન યુકે (એનઆઈએસયૂ) સહિત વિદ્યાર્થીઓના કેટલાય સંગઠન આ સમય સીમા વધારવાનું અભિયાન ચલાવી રહ્યા હતા. કોરોના વાયરસના ડેલ્ટા સ્વરુપમાં વૃદ્ધિ થયા બાદ 23 એપ્રિલે ભારત પર યાત્રા પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યા હતા. કાયદેસર વિઝા વાળા વિદ્યાર્થીઓને દેશમાં આવવાની પરવાનગી છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને પોતાની યોજનાઓને સ્થગિત કરવી પડી છે.

એવુ એટલા માટે કારણ કે બ્રિટનમાં આગમન પર ફરજિયાત વિદ્યાર્થીઓને દસ દિવસ સુધી હોટલમાં ક્વોરન્ટાઈન રહેવુ પડે છે અને તેના પર લગભગ 1,750 પાઉન્ડનો વધારે ભાર આવી જાય છે. એનઆઈએસએયૂ યૂકેની અધ્યક્ષ સનમ અરોડાએ કહ્યું કે અમને ખુશી છે કે ગૃહ કાર્યાલયે અમારા અનુરોધનો સ્વીકાર કરી લીધો છે. (Post Study Work Visa UK Covid 19 અને આનાથી કેટલાય વિદ્યાર્થીઓને ઘણી મદદ મળશે. જેઓ અત્યારે ભારતમાં કોવિડની સ્થિતિને જોતા યાત્રા કરવામાં અસમર્થ છે.

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના નવા 283 કેસ, 6 દર્દીઓના મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 7749 થયા

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">