AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UK Post Study Work Visa: બ્રિટનમાં ભણનારા ગુજરાતી વિદ્યાર્થીઓને થશે ફાયદો, પોસ્ટ સ્ટડી વર્કની સમયસીમા વધારાઈ

UK Post Study work Visa: બ્રિટેનમાં (Britain) પોસ્ટ સ્ટડી વર્ક (પીએસડબ્લ્યૂ) વિઝા માટે યોગ્યતા સિદ્ધ કરવાની સમય સીમા વધારવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે.

UK Post Study Work Visa: બ્રિટનમાં ભણનારા ગુજરાતી વિદ્યાર્થીઓને થશે ફાયદો, પોસ્ટ સ્ટડી વર્કની સમયસીમા વધારાઈ
સાંકેતિક તસ્વીર
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 17, 2021 | 9:06 PM
Share

UK Post Study work Visa: બ્રિટેનમાં (Britain) પોસ્ટ સ્ટડી વર્ક (પીએસડબ્લ્યૂ) વિઝા માટે યોગ્યતા સિદ્ધ કરવાની સમય સીમા વધારવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રિટિશ યુનિવર્સિટીમાં એડમિશન લેનારા ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધારે છે. પીએસડબ્લ્યૂ વિઝા અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ  કર્યા બાદ બે વર્ષ સુધી અહીં કામ કરી શકે છે અથવા કામ શોધી શકે છે.

આને ગયા વર્ષે બ્રિટિશ ગૃહ મંત્રી પ્રીતિ પટેલે શરુ કર્યુ હતુ. આવેદન આવશ્યકતાઓ અંતર્ગત કોવિડ-19 લોકડાઉનને જોતા પીએસડબ્લ્યૂ વિઝાના ઈચ્છુક વિદ્યાર્થીઓ 21 જૂન સુધી અહીં ઉપસ્થિત રહેશે તેવી આશા હતી. પરંતુ ગૃહ-કાર્યાલયે ગયા અઠવાડિયે પોતાના દિશા-નિર્દેશમાં સંશોધન કરતા આ સમય સીમાને 27 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે.

ધ નેશનલ ઈન્ડિયન સ્ટૂડેન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન યુકે (એનઆઈએસયૂ) સહિત વિદ્યાર્થીઓના કેટલાય સંગઠન આ સમય સીમા વધારવાનું અભિયાન ચલાવી રહ્યા હતા. કોરોના વાયરસના ડેલ્ટા સ્વરુપમાં વૃદ્ધિ થયા બાદ 23 એપ્રિલે ભારત પર યાત્રા પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યા હતા. કાયદેસર વિઝા વાળા વિદ્યાર્થીઓને દેશમાં આવવાની પરવાનગી છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને પોતાની યોજનાઓને સ્થગિત કરવી પડી છે.

એવુ એટલા માટે કારણ કે બ્રિટનમાં આગમન પર ફરજિયાત વિદ્યાર્થીઓને દસ દિવસ સુધી હોટલમાં ક્વોરન્ટાઈન રહેવુ પડે છે અને તેના પર લગભગ 1,750 પાઉન્ડનો વધારે ભાર આવી જાય છે. એનઆઈએસએયૂ યૂકેની અધ્યક્ષ સનમ અરોડાએ કહ્યું કે અમને ખુશી છે કે ગૃહ કાર્યાલયે અમારા અનુરોધનો સ્વીકાર કરી લીધો છે. (Post Study Work Visa UK Covid 19 અને આનાથી કેટલાય વિદ્યાર્થીઓને ઘણી મદદ મળશે. જેઓ અત્યારે ભારતમાં કોવિડની સ્થિતિને જોતા યાત્રા કરવામાં અસમર્થ છે.

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના નવા 283 કેસ, 6 દર્દીઓના મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 7749 થયા

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">