School Reopen: ઉનાળુ વેકેશન પૂર્ણ, નાના બાળકોને આ તૈયારીઓ સાથે મોકલો સ્કૂલ, વાલીઓ આ બાબતોનું રાખે ખાસ ધ્યાન
કોરોના(Corona)ને અટકાવવાની અને બાળકોને આવા વાતાવરણ માટે તૈયાર કરવાની જવાબદારી માતા-પિતાની છે. જાણો બાળકોને આ નવા સામાન્ય જીવન માટે કેવી રીતે તૈયાર કરવા.
કોરોના(Corona)એ સ્કૂલ લાઈફ સંપૂર્ણપણે બદલી નાખી છે. હવે કોરોના પછીનું નવું સામાન્ય જીવન સાવ અલગ છે. બાળકો માટે રમત-ગમત સિવાય સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસવું, ટિફિન શેર ન કરવું, સ્કૂલમાં સાથે ન રમવું અને પૂરા સમય માસ્ક(Mask)પહેરીને બેસી રહેવું એ સંપૂર્ણપણે અલગ અનુભવ છે. કોરોનાને અટકાવવાની અને બાળકોને આવા વાતાવરણ માટે તૈયાર કરવાની જવાબદારી માતા-પિતાની છે. જાણો બાળકોને આ નવા સામાન્ય જીવન માટે કેવી રીતે તૈયાર કરવા.ન
ફરીથી નવી દિનચર્યાને અનુરૂપ બનાવવી
સમગ્ર ઉનાળુ વેકેશનમાં બાળકો માટે સૂવું, જાગવું અને રમવાનો કોઈ નિત્યક્રમ રહેતો નથી. હવે શાળા ખુલ્યા બાદ ઉનાળામાં ફરીથી નવા દિનચર્યાને અનુરૂપ બનાવાની તૈયારીઓ કરવી પડશે. બાળકોએ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કેવી રીતે કરવું, સામાજિક અંતર સાથે વર્ગો કેવી રીતે કરવા, આ માટે માતાપિતાએ બાળકોને તૈયાર કરવા પડશે. આ માટે, માતાપિતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, આ રીતે તેમની દિનચર્યા બનાવો.
બાળકોને માનસિક રીતે તૈયાર કરો
હવે જ્યારે શાળા શરૂ થવાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, ત્યારે આ યોગ્ય સમય છે કે વાલીઓ તેમને પહેલાની જેમ જીવનમાં પાછા જવા માટે માનસિક રીતે તૈયાર કરે. IHBAS હોસ્પિટલ દિલ્હીના વરિષ્ઠ મનોચિકિત્સક ડૉ. ઓમપ્રકાશ કહે છે કે સૌ પ્રથમ માતાપિતાએ બાળકોની દિનચર્યા પર કામ કરવું જોઈએ. સવારથી સાંજ સુધી શાળાના ટાઈમ ટેબલ પ્રમાણે તૈયાર કરો. તેમને ફરીથી શાળાના મિત્રો સાથે ભાવનાત્મક સંબંધો બાંધવા પ્રેરણા આપો. બાળકોને સામાજિક અંતર સાથે કોવિડ મુજબ વર્તન કરવાનું શીખવો જેથી કોરોના પછી તેમને વર્ગખંડમાં વ્યસ્તતા રાખવામાં કોઈ સમસ્યા ન આવે.
બાળકોને વધુ સારી ગુણવત્તાનો માસ્ક આપો
કોરોનાના જોખમો વચ્ચે, બાળકો માટે શાળામાં દિવસભર માસ્ક પહેરવાનું જરૂરી બનાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ઘણા બાળકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગે છે. આ માટે બાળકોને વધુ સારી ગુણવત્તાનો માસ્ક આપો, જેથી તેમના માટે શ્વાસ લેવામાં સરળતા રહે. ઉપરાંત, તેમને સામાજિક અંતર રાખીને પાણી પીવા અને વાત કરવાનું શીખવો.
સ્વાસ્થ્ય સાથે યોગ્ય સંકલન ખૂબ જ મહત્વપૂર્ણ
જુલાઇના ગરમ ઉનાળામાં શરીરમાં પાણીની ઉણપને કારણે શરીર ડિહાઈડ્રેટ થઈ જાય છે. આ માટે જરૂરી છે કે તમે ઘરમાં પણ બાળકોના ભોજનમાં પ્રવાહી વસ્તુઓ વધારવી. વળી, તેમને ટિફિનમાં એવી વસ્તુઓ આપો કે જે સુપાચ્ય હોય અને જેમાં વધુ પાણી હોય. બાળકોના શિક્ષણ માટે, તેમના સ્વાસ્થ્ય સાથે યોગ્ય સંકલન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સેનિટાઈઝરનો વધારે ઉપયોગ કરવાની જરૂર નથી
બાળકોને પણ સ્વચ્છતા શીખવો. તેઓએ શાળાએ તેમની સાથે સેનિટાઈઝર લઈ જવું જોઈએ અને કંઈપણ ખાતા અને પીતા પહેલા તેમના હાથને સેનિટાઈઝ કરવા જોઈએ. આમ તો બાટીને ખાવાથી પ્રેમ વધે છે પરંતુ પરિસ્થિતિને ધ્યાને રાખતા શાળામાં બાળકોએ ટિફિન શેર કરવું નહીં. આ સિવાય એ પણ શીખવો કે તેમને સેનિટાઈઝરનો વધારે ઉપયોગ કરવાની જરૂર નથી, જરૂર પડે ત્યારે જ તેનો ઉપયોગ કરો.