AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RSSની વિદ્યા ભારતી સ્કૂલમાં English medium માં ભણાવવામાં આવશે, જાણો કેમ લેવાયો નિર્ણય

RSS Vidya Bharti Schools : RSS સાથે જોડાયેલી વિદ્યા ભારતીની શાળાઓમાં English medium માં ભણાવવામાં આવશે. અમુક પ્રદેશોમાં પ્રાથમિક કક્ષાએ અંગ્રેજી માધ્યમ ભણાવવામાં આવે છે.

RSSની વિદ્યા ભારતી સ્કૂલમાં English medium માં ભણાવવામાં આવશે, જાણો કેમ લેવાયો નિર્ણય
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 8:14 AM
Share

RSS Schools : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સહાયક સંસ્થા વિદ્યા ભારતી સાથે જોડાયેલી શાળાઓમાં હવે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બદલાતા સમયને ધ્યાનમાં રાખીને વિદ્યા ભારતી સાથે જોડાયેલી શાળાઓને અંગ્રેજી માધ્યમ બનાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની વધતી માગને ધ્યાનમાં રાખીને અમુક શિશુ ભારતી (પ્રાથમિક શાળાઓ)માં શિક્ષણ સંપૂર્ણ રીતે અંગ્રેજી માધ્યમમાં ચલાવવામાં આવી રહ્યું છે. 6 થી 12 ધોરણ સુધીના વર્ગમાં અંગ્રેજી માધ્યમના માત્ર બે-ચાર વિભાગો ચલાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Breaking News: RSSના વડા મોહન ભાગવત આજે મોડી રાત્રે આવશે ગુજરાત, આવતીકાલે સંત સમેલનમાં આપશે હાજરી

પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશમાં, અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ સૌપ્રથમ રાણી રેવતી દેવી સરસ્વતી વિદ્યા નિકેતન ઇન્ટર કોલેજ રાજાપુરમાં શરૂ થયો. હાલમાં આ શાળામાં ધોરણ 12 સુધીનું શિક્ષણ અંગ્રેજી અને હિન્દી એમ બંને માધ્યમોથી આપવામાં આવે છે. જ્વાલા દેવી સરસ્વતી વિદ્યા મંદિર ઇન્ટર કોલેજ, સિવિલ લાઇન્સ અને રસુલાબાદમાં પણ આ માધ્યમમાં અભ્યાસ હાથ ધરવામાં આવે છે.

અંગ્રેજીમાં પ્રકાશિત પુસ્તકો

નૈનીમાં 1992 થી કાર્યરત માધવ જ્ઞાન કેન્દ્ર ઇન્ટર કોલેજ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) પાસેથી જોડાણ મેળવવાની માંગ કરવામાં આવી છે. સીબીએસઈની એક ટીમે તાજેતરમાં શાળાની મુલાકાત લીધી હતી અને ટૂંક સમયમાં યુપી બોર્ડ દ્વારા સંચાલિત આ શાળાને પણ માન્યતા મળશે. પ્રયાગરાજમાં હજુ સુધી CBSE દ્વારા સંલગ્ન કોઈ વિદ્યા ભારતી સ્કૂલ નથી.

માતા-પિતાના કારણે આ શાળાએ CBSE બોર્ડમાંથી જોડાણ લેવાનો નિર્ણય કર્યો છે. લખનૌમાં વિદ્યા ભારતીના પ્રકાશક સરસ્વતી પ્રકાશને પ્રાથમિક અને જુનિયર વર્ગના પુસ્તકો અંગ્રેજીમાં પણ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું છે. જ્યારે અન્ય વર્ગોમાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના અંગ્રેજી માધ્યમના પુસ્તકો ભણાવવામાં આવે છે.

શું English medium માં ભણાવવામાં આવી રહ્યું છે?

હકીકતમાં દેશના વિવિધ ભાગોમાં હવે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. વાલીઓની સતત માગ છે કે તેમના બાળકોને અંગ્રેજીમાં ભણાવવામાં આવે. આગળનો અભ્યાસ પણ માત્ર અંગ્રેજી માધ્યમમાં જ થઈ રહ્યો છે. જેના કારણે શાળાઓ પર અંગ્રેજી માધ્યમ અપનાવવાનું દબાણ છે. જે-તે શાળાના જૂના શિક્ષકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવે તે માટે સમયાંતરે તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત એવા શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે, જેમનું અંગ્રેજી ખૂબ સારું છે.

એજ્યુકેશન, કરિયર, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો.

g clip-path="url(#clip0_868_265)">