પેપર લીક વિરુદ્ધમાં લવાયેલું બિલ લોકસભામાંથી પાસ, 10 વર્ષની જેલ અને 1 કરોડ દંડ જેવી ઘણી કડક જોગવાઈઓનો સમાવેશ

|

Feb 06, 2024 | 7:07 PM

દેશમાં વધી રહેલા પેપર કાંડને લઈ સખત પગલાં લેવા માટે મંગળવારે લોકસભામાં પેપર લીક વિરુદ્ધ બિલ પસાર કર્યું હતું. સરકારે સોમવારે ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. જેમાં પેપર લીક કરનાર આરોપીઓ સામે કડક વલણ દાખવી કામગીરી કરવા અંગે વિવિધ મુદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પેપર લીક વિરુદ્ધમાં લવાયેલું બિલ લોકસભામાંથી પાસ, 10 વર્ષની જેલ અને 1 કરોડ દંડ જેવી ઘણી કડક જોગવાઈઓનો સમાવેશ

Follow us on

સરકારે પેપર લીક વિરુદ્ધ બિલ લોકસભામાં પાસ કરી દીધું છે. સરકારે સોમવારે ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. આ બિલ એક નવું બિલ છે જે પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કરવાના દોષિતોને સજા કરવા માટે લાવવામાં આવ્યું છે. જેમાં શાળાની પરીક્ષાઓ, કોલેજની પરીક્ષાઓ અને સરકારી નોકરી માટેની પરીક્ષાઓનો સમાવેશ થાય છે.

10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડનો દંડ

આ બિલમાં સરકારે ગુનેગારો સામે ખૂબ જ કડક જોગવાઈઓ લાગુ કરી છે. જો દોષી સાબિત થાય તો 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

સરકારે 6 ફેબ્રુઆરીએ લોકસભામાં પેપર લીક સામે નવું બિલ પસાર કર્યું છે. હવે તેને ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની ઔપચારિક મંજૂરી બાદ તે કાયદો બની જશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓની આશા ઠગારી નીવડી

પેપર લીક સામેનું આ બિલ એવા વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ છે કે જેઓ આખું વર્ષ મહેનત કરીને પરીક્ષામાં પાસ થયા પછી પોતાના પગ પર ઊભા થઈ જશે એવી આશા સાથે પેપર આપે છે. જો કે, ઘણી વખત પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓની આશા ઠગારી નીવડી છે.

બિલમાં ઘણી કડક જોગવાઈઓ

આ વિધેયક હેઠળ, પરીક્ષાના પેપર લીક કરતા કે ઉત્તરવહીઓ સાથે ચેડા કરનારને 10 વર્ષ સુધીની જેલની સજા અને જો દોષિત ઠરશે તો 1 કરોડ રૂપિયાનો દંડ થશે. ઉલ્લેખનીય છે કે આ બિલ હેઠળ તમામ ગુનાઓ બિનજામીનપાત્ર હશે.

ઉપરાંત, પોલીસને પોતાની રીતે કાર્યવાહી કરવાનો અને વોરંટ વિના શકમંદોની ધરપકડ કરવાનો અધિકાર હશે. કથિત ગુનાઓ સમાધાન દ્વારા ઉકેલી શકાતા નથી.

Next Article