AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCERT News : 19 સભ્યોની કમિટી NCERTના નવા પુસ્તકો કરશે તૈયાર, સુધા મૂર્તિ અને શંકર મહાદેવન 12મી સુધીનો અભ્યાસક્રમ બનાવશે

ધોરણ 3 થી 12 માટે નવા પુસ્તકો તૈયાર કરવા માટે NSTC ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત કમિટી ધોરણ 1 થી 2 ના પુસ્તકોમાં પણ સુધારા કરશે.

NCERT News : 19 સભ્યોની કમિટી NCERTના નવા પુસ્તકો કરશે તૈયાર, સુધા મૂર્તિ અને શંકર મહાદેવન 12મી સુધીનો અભ્યાસક્રમ બનાવશે
NCERT books Sudha Murthy and Shankar Mahadevan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 10:00 AM
Share

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ 3 થી 12 ના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોને અંતિમ સ્વરૂપ આપવા માટે એક નવી સમિતિની રચના કરી છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિ (NSTC) નામની 19 સભ્યોની ઉચ્ચ સત્તાવાળી સમિતિ. તેનું નેતૃત્વ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન (NIEPA)ના ચાન્સેલર મહેશ ચંદ્ર પંત કરશે.

આ પણ વાંચો : NCERTએ ધોરણ 1 અને 2ના નવા પુસ્તકો લોન્ચ કર્યા, બાળકો ‘સારંગી’થી હિન્દી અને ‘મૃદંગ’થી અંગ્રેજી વાંચશે

સંગીતકાર શંકર મહાદેવનનો પણ સમાવેશ

આ કમિટીમાં ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) બિબેક દેબરોય, EAC-PM સંજીવ સાન્યાલ, RSSના વિચારક ચામુ કૃષ્ણ શાસ્ત્રી અને સંગીતકાર શંકર મહાદેવનનો પણ સમાવેશ થશે. જ્યાં પણ જરૂરિયાત ઊભી થશે, NSTC સલાહ, પરામર્શ અને સમર્થન માટે અન્ય નિષ્ણાતોને આમંત્રિત કરવા માટે મુક્ત રહેશે.

પાઠ્યપુસ્તકોને યોગ્ય રીતે સુધારવા પર પણ કરશે કામ

NSTC ને ધોરણ 3 થી 12 માટે શાળા અભ્યાસક્રમ સાથે શિક્ષણ અને અધ્યયન સામગ્રી વિકસાવવા માટે સત્તા આપવામાં આવશે. તે NCF માં સરળ સંક્રમણની ખાતરી કરવા માટે વર્ગ 1 અને 2 ના વર્તમાન પાઠ્યપુસ્તકોને યોગ્ય રીતે સુધારવા પર પણ કામ કરશે. મીડિયા અહેવાલો અનુસાર NSTC દ્વારા વિકસિત અને અંતિમ સ્વરૂપ આપવામાં આવેલા પાઠ્યપુસ્તકો અને અન્ય શિક્ષણ સામગ્રી NCERT દ્વારા પ્રકાશિત અને વિતરણ કરવામાં આવશે.

નેશનલ ઓવરસાઈટ કમિટી (NOC)ની પણ સ્થાપના

નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન (NCF-SE), જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ શાળાઓમાં અભ્યાસક્રમના સુધારા માટે સામાન્ય માળખું સ્પષ્ટ કરે છે, તે 28 જુલાઈના રોજ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને મોકલવામાં આવ્યું હતું.

એનએસસીટીને તેની કામગીરીમાં મદદ કરવા માટે, એનસીઈઆરટીએ પંજાબની સેન્ટ્રલ યુનિવર્સિટીના ચાન્સેલર જગબીર સિંઘની અધ્યક્ષતામાં નેશનલ ઓવરસાઈટ કમિટી (એનઓસી)ની પણ સ્થાપના કરી છે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">