Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10મા-12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, હવે વર્ષમાં બે વાર આપી શકશે પરીક્ષા, શિક્ષણ મંત્રાલયે આપી મંજૂરી

આ નવા નિર્ણય મુજબ હવે પહેલી પરીક્ષા એપ્રિલ મહિનામાં અને બીજી પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવશે. આ અંગે માહિતી આપતાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત એટલે કે JEEની તર્જ પર આયોજિત કરવા માટે સમજૂતી થઈ છે. તેમણે કહ્યું કે સરકાર ઇચ્છે છે કે આ નિયમ વધુ સારી રીતે લાગુ કરવામાં આવે, તેથી સરકાર CBSE અને અન્ય બોર્ડ સાથે આ અંગે ચર્ચા કરી રહી છે.

10મા-12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, હવે વર્ષમાં બે વાર આપી શકશે પરીક્ષા, શિક્ષણ મંત્રાલયે આપી મંજૂરી
10 std and 12 std Students
Follow Us:
| Updated on: Jun 16, 2024 | 8:01 AM

જો તમે 10મા કે 12મા (Board Exam)માં અભ્યાસ કરી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકારે 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. જે મુજબ આગામી વર્ષથી એટલે કે 2025થી 10મા અને 12માની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે. શિક્ષણ મંત્રાલયે આગામી શૈક્ષણિક સત્ર 2025-26થી વર્ષમાં બે વખત 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ યોજવાની મંજૂરી આપી છે.

સરકાર અન્ય બોર્ડ સાથે આ અંગે ચર્ચા કરી રહી છે

આ નવા નિર્ણય મુજબ હવે પહેલી પરીક્ષા એપ્રિલ મહિનામાં અને બીજી પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવશે. આ અંગે માહિતી આપતાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત એટલે કે JEEની તર્જ પર આયોજિત કરવા માટે સમજૂતી થઈ છે. તેમણે કહ્યું કે સરકાર ઇચ્છે છે કે આ નિયમ વધુ સારી રીતે લાગુ કરવામાં આવે, તેથી સરકાર CBSE અને અન્ય બોર્ડ સાથે આ અંગે ચર્ચા કરી રહી છે.

વર્ષમાં બે વખત પરીક્ષા લેવાથી વિદ્યાર્થીઓને રાહત મળશે

10મા અને 12માની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાથી વિદ્યાર્થીઓને ઘણી રાહત મળશે. પરીક્ષાઓને લઈને તેઓ જે તણાવ અનુભવે છે તે સમાપ્ત થઈ જશે. આ સાથે તેમનું વર્ષ પણ બગડતું બચી જશે. એકવાર પરીક્ષા સારી ન જાય તો થઈ જાય તો બાળકનું વર્ષ પણ બગડી જાય છે. આવી સ્થિતિમાં તેણે ફરીથી તે જ વર્ગમાં અભ્યાસ કરવો પડશે.

રણબીર કપૂરથી 11 વર્ષ નાની છે આલિયા ભટ્ટ, જુઓ ફોટો
દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી કેવી રીતે બને છે, જાણો કિંમત
યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો, જુઓ ફોટો
Plant In Pot : ઘરે આ રીતે ગુલાબ ઉગાડશો તો ફૂલોનો થઈ જશે ઢગલો
આજનું રાશિફળ તારીખ : 14-03-2025
Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પરંતુ સરકારના આ નવા નિર્ણયથી હવે વિદ્યાર્થીઓને વર્ષમાં બે વખત પરીક્ષા આપવાનો વિકલ્પ મળશે. જે મુજબ જો બાળક એપ્રિલમાં તેની પરીક્ષામાં નાપાસ થાય છે, તો તેણે ફરીથી પરીક્ષા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડશે નહીં. તેની પાસે ફેબ્રુઆરીમાં પરીક્ષા આપવાનો વિકલ્પ હશે.

વિદ્યાર્થીઓના તણાવને દૂર કરવાનો હેતુ

નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારે ગયા વર્ષે શિક્ષણ પ્રણાલીમાં ઘણા ફેરફારોની જાહેરાત કરી હતી. પુસ્તકોની સાથે તેમાં 2024ના શૈક્ષણિક સત્ર માટે નવા અભ્યાસક્રમની વર્ક ફ્રેમ પણ સામેલ છે. નવા અભ્યાસક્રમમાં વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા લેવાનો પણ સમાવેશ થાય છે.

આ અંતર્ગત બાળક પરીક્ષામાં સારા માર્ક્સ મેળવતા તેના આધારે આગળનો અભ્યાસ કરી શકશે. વર્ષમાં બે વાર પરીક્ષાઓ લેવાના નિર્ણય પાછળ સરકારનો પ્રયાસ નાની ઉંમરે વિદ્યાર્થીઓ દ્વારા અનુભવાતા તણાવને દૂર કરવાનો છે અને શિક્ષણ વ્યવસ્થાને પણ સરળ બનાવવાનો છે.

g clip-path="url(#clip0_868_265)">