Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધો 6થી 8ના વર્ગો આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે, ટુંક સમયમાં અન્ય વર્ગો પણ શરૂ થશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

શિક્ષણપ્રધાન દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ 6 અને 8ના વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે

ધો 6થી 8ના વર્ગો આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે, ટુંક સમયમાં અન્ય વર્ગો પણ શરૂ થશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
Classes 6 to 8 will start from next 3rd September: Bhupendrasinh Chudasama
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 1:13 PM

શિક્ષણપ્રધાન દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ 6 અને 8ના વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના શિક્ષણપ્રધાને જાહેરાત કરી છેકે રાજયમાં ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અંગે જાહેરાત કરી છે. ચુડાસમાએ જણાવ્યું છેકે રાજયમાં 2જી સપ્ટેમ્બરથી શાળાના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપી દેવાઇ છે.

આ સાથે ઓનલાઈન પણ શિક્ષણ ચાલુ રહેશે. સરકાર તરફથી સૂચનાઓનો સરકારી અને ખાનગી શાળાઓએ અમલ કરવાનું રહેશે. શિક્ષક સર્વેક્ષણમાં જેટલા શિક્ષકોએ ભાગ લીધો તે બદલ શિક્ષણપ્રધાને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સર્વેક્ષણમાં 38 ટકા શિક્ષકો હાજર રહ્યા હતા.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતના 6થી 8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ગુરુવારથી શરૂ કરાશે. શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. રાજયની 20 હજારથી વધુ શાળાઓમાં આ વર્ગો શરૂ કરવામાં આવશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 9થી12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલી રહ્યું છે. ત્યારે પ્રાથમિક શાળાના વર્ગો પણ હવેથી રાબેતા મુજબ શરૂ કરવાની કાર્યવાહી આરંભી દેવાઇ છે.

ભારતના ક્યા રાજ્યમાં એકપણ સાપ નથી, જાણીને ચોંકી જશો
તાજમહેલ જે જમીન પર બન્યો છે ત્યાં પહેલા શું હતું? કોની હતી જમીન જાણો
મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમમાં રોકાણ કર્યું હોત તો તમે આજે કરોડપતિ હોત
દિગ્ગજ અભિનેતાની પત્નીએ દીકરાના નામે 17 લાખનું દાન કર્યુ, જુઓ ફોટો
'અનુપમા'ના એક એપિસોડ માટે રૂપાલી ગાંગુલી કેટલો ચાર્જ લે છે, જાણો
ટોઇલેટ ફ્લશમાં બે બટન કેમ હોય છે? નાના બટનનો શું ઉપયોગ હોય છે?

સમગ્ર ગુજરાતમાં 15 જુલાઈથી ધોરણ 12ના વર્ગો ઓલરેડી શરૂ કરી દેવાયા છે અને 26 જુલાઈથી ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલો પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેતો આપ્યાં છે.

શિક્ષણમંત્રીએ કહ્યું કે કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે. બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક મળશે, જેમાં વધુ વર્ગો ક્યારે શરૂ કરવા એનો નિર્ણય લેવાશે. જોકે બાળકોએ શાળાએ આવવું ફરજિયાત નથી. બીજી તરફ સ્કૂલોએ ફરજિયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે, એમ શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું.

કોરોના મહામારીમાં શાળાના વર્ગો ઘણા સમયથી બંધ હતા

નોંધનીય છેકે છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીની પહેલી અને બીજી લહેરને પગલે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજો બંધ થઇ ગઇ હતી, કોરોનાની પહેલી લહેર મંદ પડતા થોડા દિવસ માટે શાળાના વર્ગો શરૂ થયા હતા. પરંતુ, ખુબ જ ટુંકાગાળામાં ફરી આ વર્ગોને બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, હવે કોરોનાની બીજી લહેર મંદ પડતા ફરી શાળાના વર્ગો શરૂ કરવા અંગે રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

હજુ કોરોનાની ત્રીજી લહેરની છે દહેશત

નોંધનીય છેકે કોરોનાની હજુ ત્રીજી લહેરની આશંકાઓ સેવાઇ રહી છે. ત્યારે શાળાના વર્ગો શરૂ કરવા મામલે સરકારે કેટલીક ગાઇડલાઇન પણ જાહેર કરી છે. જેમાં પચાસ ટકાની સંખ્યા સાથે શાળાના વર્ગો શરૂ કરવામાં આવશે. આ સાથે શાળામાં કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું પણ અનિવાર્ય છે.

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">