AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 થી 8 ધોરણ સુધીના બાળકો બનશે ડિજિટલ, શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે કોમ્પ્યુટરનો અભ્યાસક્રમ

દર શનિવારે શાળાઓમાં ઈ-ક્લાસ ચલાવવામાં આવશે. આ માટે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે ઈ-એજ્યુકેશન શરૂ કરવામાં આવશે. રાજ્યની 12,000 થી વધુ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તેની શરૂઆત કરવામાં આવશે. આ શાળાઓમાં દર શનિવારે ઈ-એજ્યુકેશન દ્વારા ઓનલાઈન વર્ગો લેવામાં આવશે. દર શનિવારે આ અંગેની માહિતી શાળાના નોટિસ બોર્ડ પર મુકવામાં આવશે. નિષ્ણાતોના મતે આ દ્વારા બાળકો પ્રાથમિક શિક્ષણથી જ ટેકનિકલ જ્ઞાન મેળવશે.

1 થી 8 ધોરણ સુધીના બાળકો બનશે ડિજિટલ, શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે કોમ્પ્યુટરનો અભ્યાસક્રમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 3:26 PM
Share

પહેલા ધોરણથી આઠમાં ધોરણ સુધીના બાળકો (Students) પણ હવે કોમ્પ્યુટરનો (Computer) અભ્યાસ કરશે. શિક્ષણ વિભાગ દ્વારા તેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અભ્યાસક્રમ તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. કમિટીને 10 દિવસમાં પોતાનો રિપોર્ટ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અભ્યાસક્રમ તૈયાર થયા બાદ તેને રાજસ્થાનની સરકારી શાળાઓમાં લાગુ કરવામાં આવશે.

મૂળભૂત કોમ્પ્યુટર અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે

શિક્ષણ સચિવ નવીન જૈનના જણાવ્યા અનુસાર અભ્યાસક્રમ તૈયાર કરવા માટે રાજ્યના પ્રોજેક્ટ ડાયરેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના અહેવાલના આધારે ધોરણ 1 થી ધોરણ 8 સુધીનો મૂળભૂત કોમ્પ્યુટર અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે બાળકોને ટેક્નોલોજી સાથે જોડવા માટે, તેમને તેની મૂળભૂત જાણકારી હોવી જોઈએ, જેથી ભવિષ્યમાં તેમના માટે તે વધુ સરળ બને.

ઈ-એજ્યુકેશન દ્વારા ઓનલાઈન વર્ગો લેવામાં આવશે

નવીન જૈને જણાવ્યું કે, દર શનિવારે શાળાઓમાં ઈ-ક્લાસ ચલાવવામાં આવશે. આ માટે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે ઈ-એજ્યુકેશન શરૂ કરવામાં આવશે. રાજ્યની 12,000 થી વધુ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તેની શરૂઆત કરવામાં આવશે. આ શાળાઓમાં દર શનિવારે ઈ-એજ્યુકેશન દ્વારા ઓનલાઈન વર્ગો લેવામાં આવશે. દર શનિવારે આ અંગેની માહિતી શાળાના નોટિસ બોર્ડ પર મુકવામાં આવશે.

આ પણ વાંચો : NCERTને ‘deemed-to-be-university’નો દરજ્જો આપવામાં આવ્યો, શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી શુભેચ્છા

શું ફાયદો થશે?

નિષ્ણાતોના મતે આ દ્વારા બાળકો પ્રાથમિક શિક્ષણથી જ ટેકનિકલ જ્ઞાન મેળવશે. આ શાળાના બાળકોના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને ટેક્નોલોજીનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. આ વિના વિકાસ શક્ય નથી. આ અંતર્ગત રાજ્યમાં કોમ્પ્યુટર પ્રશિક્ષકોની ભરતી કરવામાં આવી છે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">