ગુજરાતની 550 ગ્રામ પંચાયતોના 40 હજાર ખેડૂતો કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી: PM મોદી

કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી પરંતુ પૃથ્વી માતા, ગાય માતા અને જીવની સેવા છે. આ દ્વારા ખેડૂતો(Farmers)માટે આવકના નવા સ્ત્રોત ખુલ્યા છે.

ગુજરાતની 550 ગ્રામ પંચાયતોના 40 હજાર ખેડૂતો કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી: PM મોદી
PM Narendra ModiImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 8:14 AM

પીએમ મોદી દેશમાં કુદરતી ખેતી(Natural Farming)ને આગળ વધારવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. આ અંતર્ગત રવિવારે ગુજરાતના સુરતમાં એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી પરંતુ પૃથ્વી માતા, ગાય માતા અને જીવની સેવા છે. આ દ્વારા ખેડૂતો(Farmers)માટે આવકના નવા સ્ત્રોત ખુલ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં કુદરતી ખેતીને લઈને એક મોટું અભિયાન ચાલી રહ્યું છે. જેની ઝલક સુરતમાં આયોજિત આ કાર્યક્રમમાં જોવા મળે છે. આ દેશના સૌથી મોટા કાર્યક્રમોમાંથી એક છે. પીએમ મોદીએ કહ્યું કે થોડા મહિના પહેલા દેશમાં કુદરતી ખેતીને લઈને રાષ્ટ્રીય કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, સુરત જિલ્લો કુદરતી ખેતી ક્ષેત્રે રાષ્ટ્રના અમૃત સંકલ્પને વેગ આપી રહ્યો છે. આ જ કારણ છે કે આજે સુરતની વિવિધ 550 ગ્રામ પંચાયતોના 40,000 થી વધુ ખેડૂતો કુદરતી ખેતી કરી રહ્યા છે. સુરતમાં પ્રાકૃતિક ખેતીની સફળતા માટે ત્યાંના લોકો અને જનપ્રતિનિધિઓની સરાહના કરતાં તેમણે કહ્યું કે, લોકોએ ત્યાંથી મહેનત કરી હતી. ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગ્રામ્ય સ્તરે ટીમો અને ટીમ લીડરોની રચના કરવામાં આવી હતી. પંચાયતોમાં ગ્રામસભાની બેઠકો યોજવામાં આવી હતી અને 75 ખેડૂતોની પસંદગી કરવામાં આવી છે.

ગુજરાતનું કુદરતી ખેતીનું મોડેલ દેશ માટે મોડેલ બનશે

વિવિધ કાર્યક્રમો દ્વારા ખેડૂતોને કુદરતી ખેતી વિશે તાલીમ આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતની પ્રાકૃતિક ખેતીમાં થયેલી પ્રગતિ જોઈને એક દિવસ ગુજરાત દેશમાં કુદરતી ખેતીના મોડલ તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ જાગ્યો છે. અહીં પ્રાકૃતિક ખેતીનું મોડેલ દેશની કુદરતી ખેતીનું મોડેલ બનશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તેમણે કહ્યું કે જો દેશની જનતા એક અભિયાનને સફળ બનાવવા માટે એક થઈ જાય તો તેની સફળતા નિશ્ચિત છે. આ જ રીતે દેશના ખેડૂતો પણ આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દેશના તમામ ખેડૂતો જે કુદરતી ખેતીમાં જોડાશે, આ અભિયાન તેટલું જ સફળ થશે.

કુદરતી ખેતી એ વધારાની આવકનો સ્ત્રોત છે

કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આપણું જીવન, આપણું આરોગ્ય ખેતી પર છે, ભારત પ્રકૃતિ અને સંસ્કૃતિ દ્વારા કૃષિ આધારિત દેશ રહ્યો છે. આથી દેશમાં જેમ જેમ ખેતી અને ખેડૂતો સમૃદ્ધ થશે તેમ તેમ દેશ પણ વિકાસના પંથે આગળ વધશે. તેમણે કહ્યું કે કુદરતી ખેતી એ લોકો માટે વધારાની આવકનું સાધન છે. કારણ કે આમાં ખેડૂતો છાણ માટે ગૌપાલન કરે છે. ગાયોના ઉછેર દ્વારા ખેડૂતોને વધારાની આવક થાય છે. કુદરતી ખેતી દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિની સેવાનું રક્ષણ થાય છે.

દેશમાં પરંપરાગત કૃષિ વિકાસ યોજના ચાલી રહી છે

પીએમ મોદીએ કહ્યું કે સુરતમાં કુદરતી ખેતી માટે ગાયના છાણમાંથી ખાતર બનાવવા માટે 30-40 ગૌશાળાઓ નોંધાયેલી છે. આ ગૌમાતાની સેવા કરશે. કુદરતી ખેતીમાં રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ થતો નથી, જેના કારણે લોકો સ્વસ્થ રહે છે અને સારવારનો ખર્ચ બચે છે. આ જ કારણ છે કે કુદરતી ખેતી વ્યક્તિગત સુખનો માર્ગ છે.

પરંપરાગત કૃષિ વિકાસ યોજનાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે તેને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં 30 હજાર ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. આ અંતર્ગત દેશની 10 લાખ હેક્ટર જમીનને આવરી લેવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે ગંગાના કિનારે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">